Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

નવા રાષ્ટ્રપતિના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચેની સમય-પરીક્ષણ પામેલી મિત્રતા વધુ મજબૂત બનશે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તેઓ બંને દેશો અને પ્રદેશના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

“શ્રી તો લામને સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ, આપણા બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી અને સમયની કસોટી પામેલી મિત્રતા વધુ મજબૂત બનશે. હું આપણા લોકો અને પ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણી ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને વધુ ગાઢ બનાવવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું.”

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]