Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શ્રી રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું, “તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.”

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]