Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સંવત્સરી પર શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરીના પવિત્ર પ્રસંગે લોકોને પોતાની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંવત્સરી આપણને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક સંબંધને મજબૂત બનાવે છે. તેમણે દરેકને નમ્રતા અપનાવવા અને દયા તેમજ સદ્ભાવનાને તેમના કાર્યોનું માર્ગદર્શન કરવા દેવા આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

સંવત્સરી આપણને યાદ અપાવે છે કે ક્ષમા અને કરુણા દરેક સંબંધને મજબૂત બનાવે છે.

આ પવિત્ર પ્રસંગે, નમ્રતા આપણું માર્ગદર્શન કરે અને દયા તેમજ સદ્ભાવના આપણા દરેક કાર્યને આકાર આપે.

મિચ્છામિ દુક્કડં!

SM/BS/JD