Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સત્ય અને ખંતના મૂલ્યને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અથાક પરિશ્રમ અને સત્યના માર્ગે ચાલીને મેળવેલી સફળતા ટકાઉ હોય છે. તેમણે નોંધ્યું હતું કે આવી સફળતા માત્ર આત્મવિશ્વાસ જ નથી વધારતી પરંતુ મનને ઊંડો સંતોષ પણ આપે છે.

પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

तथा बलवीर्याभ्यां जयन्ति विजिगीषवः

यथा सत्यानृशंस्याभ्यां धर्मेणैवोद्यमेन ॥”

સુભાષિત સમજાવે છે કે જેઓ જીતવાની આકાંક્ષા રાખે છે તેઓ માત્ર શક્તિ અને સત્તા દ્વારા સફળ થતા નથી, પરંતુ સત્ય, કરુણા, ધર્મ અને અથાક પ્રયત્નો દ્વારા સફળ થાય છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“અથાક મહેનત અને સત્યના માર્ગ પર ચાલવાથી મળેલી સફળતા કાયમી હોય છે. તે આત્મવિશ્વાસ વધારે છે અને મનને અપાર સંતોષ આપે છે.

तथा बलवीर्याभ्यां जयन्ति विजिगीषवः

यथा सत्यानृशंस्याभ्यां धर्मेणैवोद्यमेन ।।”

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com