Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સારનાથનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ થવા પર આનંદ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સારનાથનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ થવા પર આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.

તેમણે નોંધ્યું હતું કે સારનાથ ભગવાન બુદ્ધ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેમનો જ્ઞાન, કરુણા અને સદ્ભાવનાનો કાલાતીત સંદેશ વિશ્વને પ્રેરણા આપે છે.

શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે આ માન્યતા ભારતની ઊંડી સભ્યતા અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે તે વિશ્વભરના વધુ લોકોને સારનાથ આવવા અને ભગવાન બુદ્ધના આદર્શો સાથે જોડાવા માટે પણ પ્રેરિત કરશે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ! ઉત્તર પ્રદેશના સારનાથનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ થયો હોવાથી અત્યંત આનંદ થયો. સારનાથ ભગવાન બુદ્ધ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેમનો જ્ઞાન, કરુણા અને સદ્ભાવનાનો કાલાતીત સંદેશ વિશ્વને પ્રેરણા આપે છે. આ માન્યતા ભારતની ઊંડી સભ્યતા અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરે છે. તે વિશ્વભરના વધુ લોકોને સારનાથ આવવા અને ભગવાન બુદ્ધના આદર્શો સાથે જોડાવા માટે પણ પ્રેરિત કરશે.

 @UNESCO”

SM/DK/JD