પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં આગની ભીષણ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સુરતમાં આગની ભીષણ દુર્ઘટનાથી હું અત્યંત દુઃખી થયો છું. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય. મેં ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાયતા પ્રદાન કરવા માટે જણાવ્યું છે.
RP
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 24, 2019