પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે “સેતુ ભારતમ્” યોજનાનો શુભારંભ કર્યો. 50,000 કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય રાજમાર્ગો પર સુરક્ષિત અને અવરોધરહિત મુસાફરી માટેનો આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
કાર્યક્રમનો ઉદ્દેશ્ય 2019 સુધીમાં રાષ્ટ્રીય રાજમાર્ગોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાનો છે.
208 નવા રોડ ઓવર બ્રિજ / રોડ અંડરપાસ બનાવવાની યોજના છે, જ્યારે 1500 પુલોને પહોળા, પુનર્વસન કે બદલી દેવામાં આવશે.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ દિશામાં ક્વોન્ટમ કુદકો લગાવવા ઈચ્છે છે. દેશના વિકાસમાં માળખાગત સુવિધાઓનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે જેમ માનવ શરીરમાં ધમની અને શિરાનું મહત્વ છે, તેટલું જ મહત્વ રાષ્ટ્ર માટે રસ્તાઓનું છે.
પ્રધાનમંત્રીએ બીજા ક્ષેત્રો જેવા કે રેલવે, સિંચાઈ અને ડિઝીટલ કનેક્ટીવીટી જેવા ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ માટે સરકારે કરેલી પહેલો વિશે પણ વાત કરી હતી.
J.Khunt/GP