પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળામાં એક જન આભાર રેલીનું સંબોધન કર્યું હતું. અહીં રાજ્યમાં ભાજપની સરકારે શાસનનું એક વર્ષ પૂર્ણ કર્યું એનાં ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રીએ રેલીનું સંબોધન કરતાં અગાઉ સરકારી યોજનાઓ પર યોજાયેલા એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.
ત્યારબાદ જનસભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોને સંબોધતા તેમણે હિમાચલ પ્રદેશની ભૂમિને આધ્યાત્મિકતા અને સાહસિકતાની ધરતી ગણાવીને પ્રશંસા કરી હતી.
તેમણે આ રાજ્ય સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનાં વિશેષ જોડાણને પણ યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનાં લાભને લોકો સુધી પહોંચાડવાની પ્રશંસા કરી હતી, ખાસ કરીને રાજ્યનાં ગ્રામીણ વિસ્તારનાં લોકો સુધી સરકારી યોજનાઓનાં લાભ પહોંચાડવાની.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર અત્યાધુનિક માળખાગત સુવિધા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં હાઇવે, રેલવે, પાવર, સૌર ઊર્જા અને પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ નિર્માણાધિન છે.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રની સંભવિતતા પર વિસ્તૃત વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં વર્ષ 2013માં પ્રવાસીઓની સંખ્યા 70 લાખથી વધીને વર્ષ 2017માં 1 કરોડ થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતંવ કે, એ જ રીતે ભારતમાં વર્ષ 2013માં હોટેલ્સની સંખ્યા આશરે 1200 હતી, જે અત્યારે વધીને 1800 થઈ ગઈ છે.
પ્રધાનમંત્રીએ સરકારનાં ભૂતપૂર્વ સૈનિકો માટે કલ્યાણકારક પગલાંને યાદ કરતાં કહ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓની ‘વન રેન્ક, વન પેન્શન’ (ઓઆરઓપી)ની માંગણી પૂરી થઈ નહોતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમની સરકારે વર્ષ 2014માં શાસન સંભાળ્યું, ત્યારે તેમણે તમામ મુદ્દાઓનું સમાધાન કરી દીધું હતું અને આ માટે જરૂરી સંસાધનોની સમજણ મેળવી હતી. પછી આપણાં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓનાં કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ઓઆરઓપીનો અમલ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશની જનતાનો સ્વચ્છતા માટે કટિબદ્ધતા બદલ વિશેષ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશની જનતાએ ‘સ્વચ્છતા’ને પોતાનાં ‘સંસ્કાર’ તરીકે અપનાવી લીધી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા વધવાથી રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન પણ મળ્યું છે.
પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારને અંકુશમાં વિવિધ પ્રકારનાં પગલાં કેવી રીતે લીધા છે. તેમણે કહ્યું હતું કે, સરકારી સહાયને લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવા (ડીબીટી)થી ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો છે અને સરકારે આશરે રૂ. 9,000 કરોડની બચત થઈ છે.
RP
Here are pictures from the public meeting in Dharamshala.
— Narendra Modi (@narendramodi) December 27, 2018
I congratulate the Himachal Pradesh Government under CM Shri Jairam Thakur on completing one year of providing good governance to the people of the state. @jairamthakurbjp pic.twitter.com/YVNXhncVQ5
हिमाचल प्रदेश और अटल जी का नाता अटूट रहा।
— Narendra Modi (@narendramodi) December 27, 2018
अटल जी ने हिमाचल के विकास की मजबूत नींव रखी और उसी से प्रेरित होकर भाजपा सरकार राज्य के विकास के लिए काम कर रही है। pic.twitter.com/QT4z64C0fE
Know how the emphasis on next-generation infrastructure will have a positive impact on the people of Himachal Pradesh. pic.twitter.com/y1KmQ93Yn8
— Narendra Modi (@narendramodi) December 27, 2018
Congress is a master at misleading farmers.
— Narendra Modi (@narendramodi) December 27, 2018
Their fake promises and tokenism will not cut ice with the hardworking farmers of India. pic.twitter.com/VgNupyi3ZE
उनको चौकीदार से डर लगने लगा है।
— Narendra Modi (@narendramodi) December 27, 2018
चोरों की नींद हराम हो गई है कि चौकीदार सोने को तैयार नहीं है।
चौकीदार चोरों को छोड़ेगा नहीं।
देश में ईमानदारी ही चलेगी। pic.twitter.com/nECzvqdbev