પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ટેલિફોન કોલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ પ્રત્યે તેમના શૂન્ય-સહિષ્ણુતાના અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં ન્યાયી અને ટકાઉ શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
SM/IJ/GM/JD
Spoke with my friend Prime Minister Netanyahu. We reviewed progress in the India-Israel Strategic Partnership and agreed to further strengthen our cooperation. Also reaffirmed our shared commitment to zero tolerance for terrorism. India supports all efforts aimed at achieving a…
— Narendra Modi (@narendramodi) December 10, 2025