Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આજે બપોરે ગુજરાતનાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે


ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે સવારે સંસદ ભવનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં તથા રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે ઊભી થયેલી સ્થિતિની જાણકારી આપી હતી.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ નવા રાષ્ટ્રપતિની શપથવિધિ પૂર્ણ થયા પછી આજે બપોરે ઉત્તર ગુજરાતનાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો.

AP/J.Khunt