Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જનપથ દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે સવારે 11 વાગે હું 15 જનપથ, દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરીશ. આ પ્રસંગ વધારે વિશેષ છે, કારણ કે મને આ સેન્ટરનું શિલારોપણ કરવાની તક મળી હતી. આપણી રાષ્ટ્રીય રાજધાનીનાં હાર્દમાં ડો. આંબેડકરને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે. ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર બૌદ્ધ સંપ્રદાયનું જોડાણ છે અને સમકાલીન સ્થાપત્ય છે. તેમાં સેમિનાર અને કોન્ફરન્સ હોલ સામેલ છે. તેમાં ત્રણ ઓડિટોરિયમ અને ડિજિટલ પુસ્તકોનાં ખજાના સાથે વિસ્તૃત પુસ્તકાલય છે. આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ થશે. આ સંસ્થા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે તેમજ યુવાનો વચ્ચે સંશોધન, મૌલિક વિચારસરણીને પ્રોત્સાહન આપશે.”

J.Khunt/GP