Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે મોસ્કોમાં રાષ્ટ્રીય આપદા પ્રબંધન કેન્દ્રની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 ડિસેમ્બર, 2015 ના રોજ મોસ્કો સ્થિત રશિયાના રાષ્ટ્રીય આપદા પ્રબંધન કેન્દ્ર (એનસીએમસી) ની મુલાકાત લેશે.

એનસીએમસી એક બહુ સ્તરીય સમન્વય કેન્દ્ર છે, જેને આપાત સ્થિતિ દરમિયાન આંતર એજન્સી સમન્વય પ્રદાન કરવા અને લોકોને ખતરા પ્રત્યે એલર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એનસીએમસીની ક્ષમતાઓમાં ખૂબ ઓછા સમયમાં દેખરેખ કરવી, ડેટા સંગ્રહ કરવો, વિશ્લેષણ કરવું વગેરે સામેલ છે. તે વૈશ્વિક નેવીગેશન ઉપગ્રહ પ્રણાલી અને રિમોટ સેંસિંગ પર આધારિત વૈશ્વિક દેખરેખ પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરે છે. મોસ્કો સ્થિત એનસીએમસી સમગ્ર રશિયાથી માહિતી પ્રાપ્ત કરે છે અને ઔદ્યોગિક સંસ્થાનો, ભીડભાડવાળા વિસ્તારો, સુનામીના ખતરા અને અન્ય પ્રાકૃતિક આપદાઓની નિગરાની કરવામાં સક્ષમ છે.