Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે, શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને તેમની મુલાકાતની ઝલક શેર કરી

પ્રધાનમંત્રી કર્ણાટકની મુલાકાતે, શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને તેમની મુલાકાતની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકની તેમની મુલાકાતની ઝલક શેર કરી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે તેમણે કર્ણાટકના મંડ્યા જિલ્લામાં સ્થિત શ્રી આદિચુંચનગિરિ મહાસંસ્થાન મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પવિત્ર સ્થળ રાષ્ટ્રના શાશ્વત આધ્યાત્મિક સિદ્ધાંતો અને સેવા અને જ્ઞાનની તેની અખંડ પરંપરાઓને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ જ્વાલા પીઠની પણ મુલાકાત લીધી અને શ્રી કાલભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી.

શ્રી મોદીએ જગદગુરુ પરમપૂજ્ય શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી. તેમને આધ્યાત્મિકતા અને સેવાના પ્રતીક તરીકે વર્ણવતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સમાજના સશક્તિકરણ તરફ મહાસ્વામીજીના પ્રશંસનીય પ્રયાસોએ વિશ્વભરના અસંખ્ય લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે.

સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, શ્રી મોદીએ લખ્યું:

આજે સવારે, મેં કર્ણાટકના મંડ્યા જિલ્લામાં સ્થિત શ્રી આદિચુંચનગિરિ મહાસંસ્થાન મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો.

આ પવિત્ર સ્થળ આપણી ભૂમિના શાશ્વત આધ્યાત્મિક મૂલ્યો અને સેવા અને જ્ઞાનની અખંડ પરંપરાઓને શ્રદ્ધાંજલિ છે.

 

શ્રી આદિચુંચનગીરી મહાસંસ્થા મઠમાં, જ્વાલા પીઠના દર્શન કર્યા અને અને શ્રી કાલભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

 

પરમ પૂજ્ય જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને શ્રદ્ધાંજલિ. આધ્યાત્મિકતા અને સેવાના દીવાદાંડી, મહાસ્વામીજીએ સમાજના સશક્તિકરણ માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા. તેમના કાર્યથી વિશ્વભરના અસંખ્ય લોકોના જીવનને સ્પર્શી ગયું.

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]