પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડિયામાં “લોહપુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પ અર્પણ કર્યા હતા, એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી અને આ પ્રસંગે આયોજિત એકતા પરેડના સાક્ષી બન્યાં હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેવિડયાના સંપૂર્ણ કે સંકલિત વિકાસ માટે ઉદ્ઘાટન થયેલા વિવિધ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને સી-પ્લેન સર્વિસ દ્વારા સરદાર સાહેબના દર્શન કરવાનો લાભ પણ મળશે.
મહર્ષિ વાલ્મિકી દ્વારા સાંસ્કૃતિક એકતા
પ્રધાનમંત્રીએ નિવેદન કર્યું હતું કે ભારત અત્યારે જે એકતા અનુભવે છે એનાથી વધારે એકતા ઊભી કરવા થોડી સદીઓ અગાઉ આદિકવિ મહર્ષિ વાલ્મિકીએ ભારતને વધારે જીવંત, ઊર્જાવંત અને સાંસ્કૃતિક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, વાલ્મિકી જયંતિ જોગાનુજોગે એકતા દિવસે આવી છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે દેશમાં જે રીતે એની ઉજવણી થઈ રહી છે એ દેશની સહિયારી ક્ષમતા, તથા હાલ ચાલુ કોરોના રોગચાળાનો સામનો કરવાની દેશની ઇચ્છાશક્તિને અભૂતપૂર્વ રીતે વ્યક્ત કરે છે.
એકતાનું નવું પાસું
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અત્યારે કાશ્મીર એના વિકાસ આડેના અવરોધોને દૂર કરીને વિકાસના નવા માર્ગે અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે આજે દેશમાં એકતાનું નવું પાસું સ્થાપિત થયું છે. તેમણે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં શાંતિને ફરી સ્થાપિત કરવા માટે સરકારે લીધેલા પગલાં અને આ રાજ્યોના વિકાસ માટે હાથ ધરવામાં આવેલી પહેલો વિશે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશ પછી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને આ સરદાર પટેલના ભારતની સાંસ્કૃતિક ભવ્યતાને પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ છે.
આત્મનિર્ભર ભારત
પ્રધાનમંત્રીએ ટિપ્પણીએ કરી હતી કે, આજે 130 કરોડ દેશવાસીઓ રાષ્ટ્રનું નિર્માણ કરવા ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે. આપણો દેશ મજબૂત અને સક્ષમ છે, જેમાં દરેક નાગરિક માટે સમાનતા હોવી જોઈએ. વળી આપણા દેશમાં પુષ્કળ તકો પણ છે. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર રાષ્ટ્ર જ એની પ્રગતિ માટે આત્મવિશ્વાસ ધરાવી શકે છે અને પોતાની સુરક્ષા કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ કારણે જ દેશ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવાના માર્ગે અગ્રેસર થઈ રહ્યો છે.
સરહદી વિસ્તારોનો વિકાસ તથા ભારતની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરહદો પ્રત્યે ભારતનો પરિપ્રેક્ષ્ય અને અભિગમ પણ બદલાઈ રહ્યો છે. પડોશી દેશોની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારતની જમીન પર ડોળો કરનાર લોકોને ઇંટનો જવાબ પત્થરથી મળી રહ્યો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સરહદો પર સેંકડો કિલોમીટરના માર્ગો, ડઝન જેટલા પુલો અને અનેક ટનલોનું નિર્માણ કરી રહ્યો છે. તેમણે દ્રઢતા વ્યક્ત કરી હતી કે, હાલ ભારત એની સાર્વભૌમિકતા અને અખંડિતતાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે સજ્જ છે.
આતંકવાદ સામે એકતા
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ પ્રયાસો વચ્ચે ઘણા નવા પડકારો છે, જેનો ભારત અને આખી દુનિયા અત્યારે સામનો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો આતંકવાદના સમર્થનમાં ઉતરી આવ્યાં છે એ અત્યારે દુનિયા માટે ચિંતાજનક બાબત છે. તેમણે દુનિયાના તમામ દેશો, તમામ સરકારો, તમામ ધર્મોને આતંકવાદ સામે એક થવાની જરૂરિયાતની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, માનવજાતની ખરી ઓળખ શાંતિ, ભાઈચારો અને પારસ્પરિક આદર છે. તેમણે ઉમેર્યું હતું કે, આતંકવાદ કે હિંસાથી કોઈનું ક્યારેય કલ્યાણ ન થઈ શકે. તેમણે કહ્યું હતું કે, આપણી વચ્ચે વિવિધતામાં એકતાનું અસ્તિત્વ છે તથા આપણો દેશ આ બાબતે અસાધારણ છે. તેમણે યાદ અપાવી હતી કે, ભારતની આ એકતા જ દેશની ખરી તાકાત છે, જે અન્ય લોકોને વિચારતા રાખે છે. તેઓ આ એકતાને તોડી પાડવા, એને નબળી પાડવા ઇચ્છે છે. તેમણે આ પ્રકારના બળોને ઓળખવાની અને સતત સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પુલ્વામાનો હુમલો
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ આજે અર્ધલશ્કરી દળોની પરેડને જોઈ રહ્યાં છે, ત્યારે તેમને પુલ્વામા હુમલાની યાદ આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશ એ હુમલાને ક્યારેય ભૂલી ન શકે અને આપણા બહાદુર સપૂતો શહીદ થયાનું આખા દેશને દુઃખ થયું હતું. તેમણે કહ્યું હતું કે, આ હુમલા પર થઈ રહેલા નિવેદનોને દેશ ક્યારેય નહીં ભૂલે. તેમણે ઉમેર્યું હતું કે, પડોશી દેશની સંસદમાં આ હુમલા વિશે તાજેતરમાં નિવેદનો થયા છે, જેથી સત્ય બહાર આવ્યું છે.
તેમણે દેશમાં રમાઈ રહેલા વિકૃત રાજકારણની ટીકા કરી હતી, જેમાં સંપૂર્ણ સ્વાર્થ અને અભિમાન દેખાય છે. પુલ્વામામાં હુમલો થયા પછી જે રાજકારણ રમાયું એ પોતાના રાજકીય હિત પોષવા લોકો કઈ હદ સુધી જઈ શકે છે એનું આદર્શ ઉદાહરણ છે. તેમણે આ પ્રકારના રાજકીય પક્ષોને દેશના સુરક્ષાના હિતમાં કામ કરવા અને આપણા સૈન્ય દળોની નૈતિકતા વધારવા માટે કામ કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તમારા સ્વાર્થ સંતોષવા માટે તમે જાણે-અજાણે રાષ્ટ્રવિરોધી તત્ત્વોના હાથમાં રમી રહ્યાં છો, તમે તમારા દેશ માટે કે તમારા પક્ષના હિત માટે કામ કરી શકતા નથી. તેમણે ભાર મૂક્યો હતો કે, આપણા બધાનું સર્વોચ્ચ હિત રાષ્ટ્રહિત હોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આપણે દરેકના હિતનો વિચાર કરીએ છીએ, ત્યારે જ આપણે પ્રગતિ કરી શકીશું.
આ સંબોધન અગાઉ પ્રધાનમંત્રી ગુજરાત રાજ્યના પોલીસ દળ, સેન્ટ્રલ રિઝર્વ આર્મ્ડ ફોર્સ (સીઆરએએફ), સરહદી સુરક્ષા દળ (બીએસએફ), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ) અને રાષ્ટ્રીય સુરક્ષા દળની રંગબેરંગી પરેડના સાક્ષી બન્યા હતા. પરેડમાં સીઆરપીએફની મહિલા અધિકારીઓની રાઇફલ ડ્રિલ પણ સામેલ હતી. આ પ્રસંગે ભારતીય વાયુ દળના જગુઆર કે હેલિકોપ્ટરે પણ ફ્લાય-પાસ્ટ કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે ભારતના જનજાતિઓના વારસાને રજૂ કરતા સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતા એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી પણ બન્યાં હતાં.
SD/GP/BT
आज सरदार सरोवर से साबरमती रिवर फ्रंट तक सी-प्लेन सेवा का भी शुभारंभ होने जा रहा है।
— PMO India (@PMOIndia) October 31, 2020
सरदार साहब के दर्शन के लिए, स्टैच्यू ऑफ यूनिटी को देखने के लिए देशवासियों को अब सी-प्लेन सर्विस का भी विकल्प मिलेगा।
ये सारे प्रयास इस क्षेत्र में पर्यटन को भी बहुत ज्यादा बढ़ाने वाले हैं: PM
ये भी अद्भुत संयोग है कि आज ही वाल्मीकि जयंती भी है।
— PMO India (@PMOIndia) October 31, 2020
आज हम भारत की जिस सांस्कृतिक एकता का दर्शन करते हैं,
जिस भारत को अनुभव करते हैं,
उसे और जीवंत और ऊर्जावान बनाने का काम सदियों पहले आदिकवि महर्षि वाल्मीकि ने ही किया था: PM
ये आपदा अचानक आयी। इसने पूरे विश्व में मानव जीवन को प्रभावित किया है, हमारी गति को प्रभावित किया।
— PMO India (@PMOIndia) October 31, 2020
लेकिन इस महामारी के सामने देश ने जिस तरह अपने सामूहिक सामर्थ्य को, अपनी सामूहिक इच्छाशक्ति को साबित किया वो अभूतपूर्व है: PM
कश्मीर के विकास में जो बाधायें आ रही थीं, उन्हें पीछे छोडकर अब कश्मीर विकास के नए मार्ग पर बढ़ चुका है।
— PMO India (@PMOIndia) October 31, 2020
चाहे नॉर्थईस्ट में शांति की बहाली हो, या नॉर्थईस्ट के विकास के लिए उठाए जा रहे कदम, आज देश एकता के नए आयाम स्थापित कर रहा है: PM#RashtriyaEktaDiwas
सोमनाथ के पुनर्निर्माण से सरदार पटेल ने भारत के सांस्कृतिक गौरव को लौटाने का जो यज्ञ शुरू किया था, उसका विस्तार देश ने अयोध्या में भी देखा है।
— PMO India (@PMOIndia) October 31, 2020
आज देश राममंदिर पर सुप्रीमकोर्ट के फैसले का साक्षी बना है, और भव्य राममंदिर को बनते भी देख रहा है।#RashtriyaEktaDiwas
आज हम 130 करोड़ देशवासी मिलकर एक ऐसे राष्ट्र का निर्माण कर रहे हैं जो सशक्त भी हो और सक्षम भी हो।
— PMO India (@PMOIndia) October 31, 2020
जिसमें समानता भी हो, और संभावनाएं भी हों: PM#RashtriyaEktaDiwas
आत्मनिर्भर देश ही अपनी प्रगति के साथ साथ अपनी सुरक्षा के लिए भी आश्वस्त रह सकता है।
— PMO India (@PMOIndia) October 31, 2020
इसलिए, आज देश रक्षा के क्षेत्र में भी आत्मनिर्भर बनने की ओर बढ़ रहा है।
इतना ही नहीं, सीमाओं पर भी भारत की नज़र और नज़रिया अब बदल गए हैं: PM
आज भारत की भूमि पर नज़र गड़ाने वालों को मुंहतोड़ जवाब मिल रहा है।
— PMO India (@PMOIndia) October 31, 2020
आज का भारत सीमाओं पर सैकड़ों किलोमीटर लंबी सड़कें बना रहा है, दर्जनों ब्रिज, अनेक सुरंगें बना रहा है।
अपनी संप्रभुता और सम्मान की रक्षा के लिए आज का भारत पूरी तरह तैयार है: PM
प्रगति के इन प्रयासों के बीच, कई ऐसी चुनौतियां भी हैं जिसका सामना आज भारत, और पूरा विश्व कर रहा है।
— PMO India (@PMOIndia) October 31, 2020
बीते कुछ समय से दुनिया के अनेक देशों में जो हालात बने हैं,
जिस तरह कुछ लोग आतंकवाद के समर्थन में खुलकर सामने आ गए हैं,
वो आज वैश्विक चिंता का विषय है: PM
आज के माहौल में,
— PMO India (@PMOIndia) October 31, 2020
दुनिया के सभी देशों को,
सभी सरकारों को,
सभी पंथों को,
आतंकवाद के खिलाफ एकजुट होने की बहुत ज्यादा जरूरत है।
शांति-भाईचारा और परस्पर आदर का भाव ही मानवता की सच्ची पहचान है।
आतंकवाद-हिंसा से कभी भी, किसी का कल्याण नहीं हो सकता: PM
हमारी विविधता ही हमारा अस्तित्व है।
— PMO India (@PMOIndia) October 31, 2020
हम एक हैं तो असाधारण हैं।
लेकिन साथियों, हमें ये भी याद रखना है कि भारत की ये एकता, ये ताकत दूसरों को खटकती भी रहती है।
हमारी इस विविधता को ही वो हमारी कमजोरी बनाना चाहते हैं।
ऐसी ताकतों को पहचानना जरूरी है, सतर्क रहने की जरूरत है: PM
आज यहां जब मैं अर्धसैनिक बलों की परेड देख रहा था, तो मन में एक और तस्वीर थी।
— PMO India (@PMOIndia) October 31, 2020
ये तस्वीर थी पुलवामा हमले की।
देश कभी भूल नहीं सकता कि जब अपने वीर बेटों के जाने से पूरा देश दुखी था, तब कुछ लोग उस दुख में शामिल नहीं थे,
वो पुलवामा हमले में अपना राजनीतिक स्वार्थ देख रहे थे: PM
देश भूल नहीं सकता कि तब कैसी-कैसी बातें कहीं गईं, कैसे-कैसे बयान दिए गए।
— PMO India (@PMOIndia) October 31, 2020
देश भूल नहीं सकता कि जब देश पर इतना बड़ा घाव लगा था, तब स्वार्थ और अहंकार से भरी भद्दी राजनीति कितने चरम पर थी: PM
पिछले दिनों पड़ोसी देश से जो खबरें आईं हैं,
— PMO India (@PMOIndia) October 31, 2020
जिस प्रकार वहां की संसद में सत्य स्वीकारा गया है,
उसने इन लोगों के असली चेहरों को देश के सामने ला दिया है।
अपने राजनीतिक स्वार्थ के लिए, ये लोग किस हद तक जा सकते हैं,
पुलवामा हमले के बाद की गई राजनीति, इसका बड़ा उदाहरण है: PM
मैं ऐसे राजनीतिक दलों से आग्रह करूंगा कि,
— PMO India (@PMOIndia) October 31, 2020
देश की सुरक्षा के हित में, हमारे सुरक्षाबलों के मनोबल के लिए, कृपा करके ऐसी राजनीति न करें, ऐसी चीजों से बचें।
अपने स्वार्थ के लिए, जाने-अनजाने आप देशविरोधी ताकतों की हाथों में खेलकर, न आप देश का हित कर पाएंगे और न ही अपने दल का: PM
हमें ये हमेशा याद रखना है कि हम सभी के लिए सर्वोच्च हित- देशहित है।
— PMO India (@PMOIndia) October 31, 2020
जब हम सबका हित सोचेंगे, तभी हमारी भी प्रगति होगी, उन्नति होगी: PM
महाकवि और स्वतंत्रता सेनानी सुब्रह्मण्यम भारती ने भारत की विविधता के बारे में जो लिखा, उस अद्भुत भावना को मां नर्मदा के किनारे सरदार साहब की प्रतिमा की छांव में और करीब से महसूस कर सकते हैं। pic.twitter.com/cJ8MhG9bek
— Narendra Modi (@narendramodi) October 31, 2020
विपदाओं और चुनौतियों के बीच भी देश ने कई ऐसे काम किए हैं, जो कभी असंभव मान लिए गए थे। pic.twitter.com/7Rv11B8cow
— Narendra Modi (@narendramodi) October 31, 2020
आज हम 130 करोड़ देशवासी मिलकर एक ऐसे राष्ट्र का निर्माण कर रहे हैं, जो सशक्त भी हो और सक्षम भी हो, जिसमें समानता भी हो और संभावनाएं भी हों।
— Narendra Modi (@narendramodi) October 31, 2020
आत्मनिर्भर देश ही अपनी प्रगति के साथ-साथ अपनी सुरक्षा के लिए भी आश्वस्त रह सकता है। pic.twitter.com/U9nVCNzPVd
हमें यह हमेशा याद रखना है कि हम सभी के लिए सर्वोच्च हित- देशहित है।
— Narendra Modi (@narendramodi) October 31, 2020
जब हम सबका हित सोचेंगे, तभी हमारी प्रगति भी होगी, उन्नति भी होगी। pic.twitter.com/EvXLTf8v3H