Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીની નેપાળના પ્રધાનમંત્રી સાથે મુલાકાત


નેપાળના પ્રધાનમંત્રી આદરણીય શ્રી કે. પી. શર્મા ઓલી ૩૦ મે, 2019ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.

31 મે, 2019ના રોજ પ્રધાનમંત્રી મોદી સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં પ્રધાનમંત્રી ઓલીએ પ્રધાનમંત્રીને સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષને મળેલા વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમનો શુભેચ્છાઓ આપવા બદલ આભાર માન્યો હતો અને ભારત તથા નેપાળ વચ્ચેની પારંપરીક, ગાઢ અને બહુઆયામી ભાગીદારીને આગળ વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય પરિયોજનાઓ અને પહેલોના અમલીકરણમાં પ્રાપ્ત થયેલ પ્રગતિ અંગે સંતોષ સંતોષ વ્યક્ત કર્યો હતો.

RP