પીએમઇન્ડિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનાં રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (એફઆઈઆઈ) દરમિયાન જોર્ડનનાં રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જોર્ડન વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા ચર્ચાવિચારણા કરી હતી. એમાં જોર્ડનનાં રાજાની 27 ફેબ્રુઆરી, 2018થી 1 માર્ચ, 2018 સુધીની ભારત યાત્રા દરમિયાન હસ્તાક્ષર થયેલા સંમતિ પત્ર અને સમજૂતીઓ પણ સામેલ હતી. બંને નેતાઓએ મધ્ય પૂર્વની શાંતિ પ્રક્રિયા અને અન્ય પ્રાદેશિક ઘટનાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં રાજાની સાથે આતંકવાદનો મુકાબલો કરવામાં સહકાર આપવાનાં મુદ્દે પણ ચર્ચાવિચારણા કરી હતી.
ભારત અને જોર્ડન વચ્ચે પ્રાચીન સમયથી ઐતિહાસિક જોડાણ, સાંસ્કૃતિક સંબંધ અને નાગરિકો વચ્ચે સંપર્ક રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ જોર્ડનનાં પ્રવાસ દરમિયાન અને જોર્ડનનાં રાજાએ વર્ષ 2018ની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને એક નવી ગતિ આપી હતી, જેમાં વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દો પર પારસ્પરિક સન્માન અને સમન્વય માટેની સમજૂતીઓ સામેલ છે.
DK/DS/RP
Official engagements in Riyadh begin with a productive meeting with His Majesty @KingAbdullahII of Jordan. The two leaders discussed ways to deepen business and cultural linkages. pic.twitter.com/HPfgkqAOJU
— PMO India (@PMOIndia) October 29, 2019
Excellent meeting with His Majesty @KingAbdullahII in Riyadh. We discussed the full range of relations between India and Jordan. pic.twitter.com/fyLfGlaXhN
— Narendra Modi (@narendramodi) October 29, 2019