પીએમઇન્ડિયા
આસામની કનેક્ટિવિટી, આર્થિક વિસ્તરણ અને વૈશ્વિક જોડાણમાં એક પરિવર્તનકારી સીમાચિહ્ન સ્થાપિત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ આસામ અને ઉત્તર–પૂર્વના વિકાસ અને પ્રગતિના ઉત્સવ સમાન છે. તેમણે ભાર મૂક્યો હતો કે જ્યારે પ્રગતિનો પ્રકાશ લોકો સુધી પહોંચે છે, ત્યારે જીવનનો દરેક માર્ગ નવી ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આસામની ધરતી પ્રત્યેનો તેમનો ઊંડો લગાવ, ત્યાંના લોકોનો પ્રેમ અને ખાસ કરીને આસામ અને ઉત્તર–પૂર્વની માતાઓ અને બહેનોની હૂંફ તેમને સતત પ્રેરણા આપે છે અને પ્રદેશના વિકાસ માટેના સામૂહિક સંકલ્પને મજબૂત બનાવે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજે આસામના વિકાસમાં ફરી એકવાર નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. ભારતરત્ન ભૂપેન હજારિકાની પંક્તિઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આનો અર્થ એ છે કે શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના કિનારા ચમકશે, અંધકારની દરેક દીવાલ તૂટી જશે અને આવું ચોક્કસપણે થશે કારણ કે તે રાષ્ટ્રનો સંકલ્પ અને પવિત્ર પ્રતિજ્ઞા છે.
ભૂપેન હજારિકાની પંક્તિઓ માત્ર એક ગીત નહોતું પરંતુ આસામને પ્રેમ કરનાર દરેક મહાન આત્માનો પવિત્ર સંકલ્પ હતો અને આજે આ સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે તેમ જણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે જેમ બ્રહ્મપુત્રાનો પ્રવાહ ક્યારેય અટકતો નથી, તેમ કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકારો હેઠળ આસામમાં વિકાસનો પ્રવાહ અવિરત ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ વિમાનમથક પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન આ પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે છે અને આ નવા ટર્મિનલ બિલ્ડિંગ માટે આસામ અને રાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું હતું કે થોડા સમય પહેલા તેમને આસામના પ્રથમ મુખ્યમંત્રી અને રાજ્ય માટે ગૌરવ સમાન ગોપીનાથ બારડોલોઈની પ્રતિમાનું અનાવરણ કરવાનો લહાવો મળ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રી બારડોલોઈએ આસામની ઓળખ, ભવિષ્ય અને હિતો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને તેમની પ્રતિમા ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે અને તેમનામાં આસામ માટે ગૌરવની ઊંડી લાગણી જગાડશે.
“આધુનિક વિમાનમથકની સુવિધાઓ અને અદ્યતન કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈપણ રાજ્ય માટે નવી શક્યતાઓ અને તકો માટેના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે અને લોકોમાં વધતા વિશ્વાસ અને ભરોસાના સ્તંભો તરીકે ઊભા છે”, પ્રધાનમંત્રીએ ઉદ્ગાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે લોકો આસામમાં ભવ્ય હાઇવે અને વિમાનમથકોનું નિર્માણ જુએ છે, ત્યારે તેઓ પોતે સ્વીકારે છે કે આસામ માટે સાચો ન્યાય આખરે શરૂ થયો છે. તેમણે ભૂતકાળ સાથે તુલના કરતા જણાવ્યું હતું કે અગાઉની સરકારો માટે આસામ અને ઉત્તર–પૂર્વનો વિકાસ ક્યારેય તેમના એજન્ડામાં નહોતો. તેમણે નોંધ્યું હતું કે તે સરકારોના નેતાઓ કહેતા હતા કે, “આસામ અને ઉત્તર–પૂર્વમાં કોણ જાય છે?” અને પ્રદેશમાં આધુનિક વિમાનમથકો, હાઇવે અને બહેતર રેલવેની જરૂરિયાત સામે પ્રશ્નો ઉઠાવતા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માનસિકતાને કારણે વિપક્ષોએ દાયકાઓ સુધી આખા પ્રદેશની અવગણના કરી હતી.
છ થી સાત દાયકા દરમિયાન વિપક્ષોએ કરેલી ભૂલોને તેમના નેતૃત્વ હેઠળ એક પછી એક સુધારવામાં આવી રહી છે તે તરફ ઈશારો કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓ ઉત્તર–પૂર્વની મુલાકાત લે કે ન લે, તેઓ પોતે જ્યારે પણ આસામ અને પ્રદેશમાં આવે છે ત્યારે પોતાના લોકોમાં હોવાની લાગણી અનુભવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે આસામનો વિકાસ માત્ર જરૂરિયાત નથી પણ જવાબદારી અને ઉત્તરદાયિત્વ પણ છે. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષોમાં આસામ અને ઉત્તર–પૂર્વ માટે લાખો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે નોંધ્યું હતું કે આસામ આગળ વધી રહ્યું છે અને નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે, સાથે સંતોષ સાથે ઉલ્લેખ કર્યો કે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરનાર આસામ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આસામમાં 50 લાખથી વધુ સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવીને રેકોર્ડ પણ બનાવ્યો છે. તેમણે અગાઉના શાસનકાળ સાથે વિરોધાભાસ દર્શાવ્યો હતો, જ્યારે લાંચ કે ભલામણ વગર સરકારી નોકરી મેળવવી અશક્ય હતી અને અન્ડરલાઇન કરી હતી કે આજે હજારો યુવાનો આવી પ્રથાઓ વગર નોકરી મેળવી રહ્યા છે. શ્રી મોદીએ વધુમાં પ્રકાશ પડતા કહ્યું હતું કે તેમની સરકાર હેઠળ આસામની સંસ્કૃતિને દરેક પ્લેટફોર્મ પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે 13 એપ્રિલ 2023ની ઐતિહાસિક ઘટનાને યાદ કરી, જ્યારે 11,000 થી વધુ કલાકારોએ ગુવાહાટી સ્ટેડિયમમાં એકસાથે બિહુ નૃત્ય રજૂ કર્યું હતું, જે સિદ્ધિ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ હતી. તેમણે ટિપ્પણી કરી કે આવા નવા રેકોર્ડ બનાવીને આસામ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ નવા ટર્મિનલ બિલ્ડિંગ સાથે ગુવાહાટી અને આસામની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી વાર્ષિક 1.25 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે તે બાબત પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આનાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આસામની મુલાકાત લેવાની તક મળશે અને ભક્તો માટે મા કામાખ્યાના દર્શન કરવાનું સરળ બનશે. તેમણે જણાવ્યું હતું કે આ નવા એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશવું એ વિરાસત સાથે વિકાસના મંત્રનો સાચો અર્થ સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એરપોર્ટ આસામની પ્રકૃતિ અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં અંદર હરિયાળી અને ઇન્ડોર ફોરેસ્ટ (આંતરિક જંગલ) જેવી વ્યવસ્થા છે. તેમણે નોંધ્યું હતું કે ડિઝાઇન ચારેબાજુથી પ્રકૃતિ સાથે જોડાયેલી છે જેથી દરેક મુસાફર શાંતિ અને આરામ અનુભવે. તેમણે બાંધકામમાં વાંસના વિશેષ ઉપયોગ પર પણ ભાર મૂકતા કહ્યું કે વાંસ આસામના જીવનનો અભિગમ છે, જે શક્તિ અને સુંદરતા બંનેનું પ્રતીક છે. શ્રી મોદીએ એ પણ યાદ કર્યું કે તેમની સરકારે 2017 માં એક ઐતિહાસિક પગલામાં ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, 1927 માં સુધારો કર્યો હતો જેથી બિન–વન વિસ્તારોમાં ઉગાડવામાં આવતા વાંસને “વૃક્ષ” ને બદલે કાયદેસર રીતે “ઘાસ” તરીકે ફરીથી વર્ગીકૃત કરવામાં આવે. આ પગલાથી આજે એક અદભૂત ટર્મિનલના રૂપમાં સુંદર માળખાનું નિર્માણ થયું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે તે ઉદ્યોગોને વેગ આપે છે, રોકાણકારોને કનેક્ટિવિટીમાં વિશ્વાસ આપે છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટેના માર્ગો ખોલે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોને સૌથી મોટું આશ્વાસન આપવામાં આવ્યું છે, જેમના માટે નવી તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે આસામ અસીમ શક્યતાઓની આ જ ઉડાન પર આગળ વધતું જોવા મળી રહ્યું છે”.
શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આજે ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ બદલાયો છે અને ભારતની ભૂમિકા પણ પરિવર્તિત થઈ છે. તેમણે હાઇલાઇટ કર્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. તેમણે પ્રશ્ન કર્યો કે આ માત્ર 11 વર્ષમાં કેવી રીતે હાંસલ થયું અને ભારપૂર્વક જણાવ્યું કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસએ મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત 2047 માટે તૈયારી કરી રહ્યું છે, જે વિકસિત રાષ્ટ્રના સંકલ્પને પૂર્ણ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે અન્ડરલાઇન કરી હતી કે આ ભવ્ય વિકાસ અભિયાનનું સૌથી મહત્વનું પાસું દરેક રાજ્ય અને દરેક પ્રદેશની ભાગીદારી છે. તેમણે નોંધ્યું હતું કે સરકાર વંચિતોને પ્રાથમિકતા આપી રહી છે, તે સુનિશ્ચિત કરી રહી છે કે દરેક રાજ્ય સાથે મળીને પ્રગતિ કરે અને વિકસિત ભારતના મિશનમાં યોગદાન આપે. તેમણે ખુશી વ્યક્ત કરી કે આસામ અને ઉત્તર–પૂર્વ આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે એક્ટ ઈસ્ટ પોલિસી દ્વારા ઉત્તર–પૂર્વને પ્રાથમિકતા આપવામાં આવી છે અને આજે આસામ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી કે આસામ ભારતને આસિયાન (ASEAN) દેશો સાથે જોડતા સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે પુષ્ટિ આપી હતી કે આ શરૂઆત ઘણી આગળ વધશે અને આસામ અનેક ક્ષેત્રોમાં વિકસિત ભારતનું એન્જિન બનશે.
“આસામ અને સમગ્ર ઉત્તર–પૂર્વ ભારત વિકાસના નવા પ્રવેશદ્વાર બની રહ્યા છે,” શ્રી મોદીએ મલ્ટિ–મોડલ કનેક્ટિવિટીના વિઝને આ પ્રદેશની સ્થિતિ અને દિશા બંને બદલી નાખી છે તેના પર ભાર મૂકતા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આસામમાં નવા પુલો બનાવવાની ગતિ, નવા મોબાઇલ ટાવર સ્થાપિત કરવાની ઝડપ અને દરેક વિકાસ પ્રોજેક્ટની ગતિ સપનાઓને વાસ્તવિકતામાં ફેરવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા પર બનેલા પુલોએ આસામને કનેક્ટિવિટીમાં નવી શક્તિ અને વિશ્વાસ આપ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે આઝાદી પછીના છ થી સાત દાયકાઓમાં અહીં માત્ર ત્રણ મુખ્ય પુલો બાંધવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા દાયકામાં ચાર નવા મેગા બ્રિજ પૂર્ણ થયા છે, સાથે જ અનેક ઐતિહાસિક પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે બોગીબીલ અને ધોલા–સદિયા જેવા લાંબા પુલોએ આસામને વ્યૂહાત્મક રીતે મજબૂત બનાવ્યું છે. તેમણે અન્ડરલાઇન કરી હતી કે રેલવે કનેક્ટિવિટીમાં પણ ક્રાંતિકારી ફેરફાર થયો છે, જેમાં બોગીબીલ બ્રિજે અપર આસામ અને દેશના બાકીના ભાગો વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. તેમણે ટિપ્પણી કરી કે ગુવાહાટીથી ન્યુ જલપાઈગુડી સુધી દોડતી વંદે ભારત એક્સપ્રેસે મુસાફરીનો સમય ઘટાડ્યો છે. શ્રી મોદીએ વધુમાં હાઇલાઇટ કર્યું હતું કે આસામ જળમાર્ગોના વિકાસથી પણ લાભ મેળવી રહ્યું છે, જેમાં કાર્ગો ટ્રાફિકમાં 140 ટકાનો વધારો થયો છે, જે સાબિત કરે છે કે બ્રહ્મપુત્રા માત્ર એક નદી નથી પણ આર્થિક શક્તિનો પ્રવાહ છે. તેમણે જણાવ્યું હતું કે પાંડુ ખાતે પ્રથમ જહાજ રિપેરિંગ સુવિધા વિકસાવવામાં આવી રહી છે અને વારાણસીથી ડિબ્રુગઢ સુધીની ગંગા વિલાસ ક્રૂઝની આસપાસના ઉત્સાહએ ઉત્તર–પૂર્વને વૈશ્વિક ક્રૂઝ પ્રવાસન નકશા પર મજબૂત રીતે મૂક્યું છે.
આસામ અને ઉત્તર–પૂર્વને વિકાસથી દૂર રાખવા બદલ અગાઉની સરકારોની ટીકા કરતા શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રએ સુરક્ષા, એકતા અને અખંડિતતાના સંદર્ભમાં ભારે કિંમત ચૂકવવી પડી છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે વિપક્ષી શાસન હેઠળ દાયકાઓ સુધી હિંસા ફૂલીફાલી હતી, જ્યારે છેલ્લા 10-11 વર્ષમાં તેનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં એક સમયે ઉત્તર–પૂર્વમાં હિંસા અને રક્તપાત પ્રવર્તતો હતો, આજે ત્યાં 4G અને 5G ટેકનોલોજી દ્વારા ડિજિટલ કનેક્ટિવિટી પહોંચી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે જિલ્લાઓ એક સમયે હિંસા પ્રભાવિત માનવામાં આવતા હતા તે હવે આકાંક્ષી જિલ્લાઓ તરીકે વિકસી રહ્યા છે અને આગામી સમયમાં આ જ પ્રદેશો ઔદ્યોગિક કોરિડોર બનશે. તેમણે અન્ડરલાઇન કરી હતી કે ઉત્તર–પૂર્વ અંગે નવો આત્મવિશ્વાસ પેદા થયો છે અને તેને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આસામ અને ઉત્તર–પૂર્વના વિકાસમાં સફળતા એટલા માટે પણ મળી રહી છે કારણ કે સરકાર આ પ્રદેશની ઓળખ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહી છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે વિપક્ષોએ આ ઓળખ ભૂંસી નાખવાનું કાવતરું ઘડ્યું હતું અને આ કાવતરું માત્ર થોડા વર્ષો પૂરતું મર્યાદિત નહોતું. તેમણે જણાવ્યું હતું કે આ અન્યાયના મૂળ આઝાદી પૂર્વેના યુગમાં જાય છે, જ્યારે મુસ્લિમ લીગ અને બ્રિટિશ સરકાર ભારતની ફાળવણી માટે મેદાન તૈયાર કરી રહ્યા હતા અને તે સમયે આસામને અખંડ બંગાળ એટલે કે પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનાવવાની યોજના પણ હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે કોંગ્રેસ આ કાવતરાનો ભાગ બનવા જઈ રહી હતી, પરંતુ શ્રી બારડોલોઈ જી પોતાની પાર્ટી સામે ઉભા રહ્યા, આસામની ઓળખ નષ્ટ કરવાના આ કાવતરાનો વિરોધ કર્યો અને આસામને દેશથી અલગ થતાં બચાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાર્ટી દરેક દેશભક્તનું સન્માન કરવા માટે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠે છે અને શ્રી અટલ બિહારી વાજપેયી જીના નેતૃત્વમાં જ્યારે તેમની સરકાર સત્તામાં આવી ત્યારે બારડોલોઈ જીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જ્યારે શ્રી બારડોલોઈ જીએ આઝાદી પહેલા આસામને બચાવ્યું હતું, ત્યારે આઝાદી પછીના પ્રથમ શાસનકાળે તે પછી ફરી એકવાર આસામ વિરોધી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે તેઓએ ધાર્મિક તુષ્ટિકરણ દ્વારા તેમની વોટ બેંક વિસ્તારવાનું કાવતરું ઘડ્યું હતું, બંગાળ અને આસામમાં ઘૂસણખોરોને છૂટો દોર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રદેશની વસ્તી વિષયક સ્થિતિ બદલાઈ ગઈ હતી અને આ ઘૂસણખોરોએ જંગલો અને જમીનો પર અતિક્રમણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિણામે આખા આસામ રાજ્યની સુરક્ષા અને ઓળખ જોખમમાં મુકાઈ હતી.
શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે શ્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની સરકાર આસામના સંસાધનોને ગેરકાયદેસર અને રાષ્ટ્રવિરોધી અતિક્રમણથી મુક્ત કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે આસામના સંસાધનોનો લાભ આસામના લોકોને મળે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઘૂસણખોરી રોકવા માટે કડક પગલાં પણ લીધા છે, જેમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને દૂર કરવા માટે ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષ અને તેમના જોડાણે ખુલ્લેઆમ રાષ્ટ્રવિરોધી એજન્ડા અપનાવ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ ઘૂસણખોરોને દૂર કરવાની વાત કરી છે. તેમણે નોંધ્યું હતું કે આ પક્ષો ઘૂસણખોરો બચાવમાં નિવેદનો જારી કરી રહ્યા છે અને તેમના વકીલો તેમને વસાવવા માટે કોર્ટમાં દલીલો કરી રહ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે જ્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે SIR પ્રક્રિયા હાથ ધરે છે, ત્યારે આ જૂથો તેનો વિરોધ કરે છે. પ્રધાનમંત્રીએ અન્ડરલાઇન કરી હતી કે આવા લોકો આસામી ભાઈઓ અને બહેનોના હિતોનું રક્ષણ નહીં કરે અને અન્ય લોકોને તેમની જમીન અને જંગલો પર કબજો કરવા દેશે. તેમણે ચેતવણી આપી હતી કે તેમની રાષ્ટ્રવિરોધી માનસિકતા અગાઉના સમયની હિંસા અને અશાંતિ ફરી પેદા કરી શકે છે. તેમણે ભાર મૂક્યો હતો કે તેથી સતર્ક રહેવું, આસામના લોકો માટે એકજૂથ રહેવું અને આસામના વિકાસને પાટા પરથી ઉતરતા રોકવા માટે વિપક્ષના કાવતરાઓને હરાવવાનું ચાલુ રાખવું આવશ્યક છે.
“આજે વિશ્વ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યું છે અને ભારતના ભવિષ્યનો નવો સૂર્યોદય ઉત્તર–પૂર્વથી શરૂ થવાનો છે”, શ્રી મોદીએ પુષ્ટિ કરી હતી. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે આ માટે આસામના વિકાસને મોખરે રાખીને સહિયારા સપનાઓ તરફ કામ કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંયુક્ત પ્રયાસો આસામને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરશે. તેમના સંબોધનના અંતમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નવા ટર્મિનલના ઉદ્ઘાટન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રીઓ શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી કે. રામમોહન નાયડુ, શ્રી મુરલીધર મોહોલ, શ્રી પવિત્ર માર્ગેરિટા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નવું પૂર્ણ થયેલ ઇન્ટિગ્રેટેડ ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ, જે લગભગ 1.4 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે, તે વાર્ષિક 1.3 કરોડ મુસાફરોને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેને રનવે, એરફિલ્ડ સિસ્ટમ્સ, એપ્રોન્સ અને ટેક્સીવેના મોટા અપગ્રેડ દ્વારા સમર્થન મળે છે.
ભારતનું પ્રથમ પ્રકૃતિ–થીમ આધારિત એરપોર્ટ ટર્મિનલ, એરપોર્ટની ડિઝાઇન “બામ્બૂ ઓર્કિડ્સ” (Bamboo Orchids) થીમ હેઠળ આસામની જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસામાંથી પ્રેરણા લે છે. આ ટર્મિનલ ઉત્તર–પૂર્વના સ્થાનિક સ્ત્રોતમાંથી મેળવેલા આશરે 140 મેટ્રિક ટન વાંસનો પાયોનિયર ઉપયોગ કરે છે, જે કાઝીરંગાથી પ્રેરિત ગ્રીન લેન્ડસ્કેપ્સ, જાપી મોટિફ્સ, આઇકોનિક ગેંડાનું પ્રતીક અને કોપૌ ફૂલને પ્રતિબિંબિત કરતા 57 ઓર્કિડ–પ્રેરિત સ્તંભો દ્વારા પૂરક છે. એક અનોખું “સ્કાય ફોરેસ્ટ” (Sky Forest), જેમાં દેશી પ્રજાતિના લગભગ એક લાખ છોડ છે, તે આસામ આવતા મુસાફરોને જંગલ જેવો અદભૂત અનુભવ પૂરો પાડે છે.
આ ટર્મિનલ મુસાફરોની સુવિધા અને ડિજિટલ ઇનોવેશનમાં નવા માપદંડો સ્થાપિત કરે છે. ઝડપી અને બિન–સૂક્ષ્મ સુરક્ષા સ્ક્રિનિંગ માટે ફુલ–બોડી સ્કેનર, ડિજિયાત્રા–સક્ષમ કોન્ટેક્ટલેસ મુસાફરી, ઓટોમેટેડ બેગેજ હેન્ડલિંગ, ફાસ્ટ–ટ્રેક ઇમિગ્રેશન અને AI-સંચાલિત એરપોર્ટ ઓપરેશન્સ જેવી સુવિધાઓ સીમલેસ, સુરક્ષિત અને કાર્યક્ષમ મુસાફરી સુનિશ્ચિત કરે છે.
The new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport will boost connectivity, commerce and tourism across Assam and entire Northeast.
https://t.co/jRJdcJIOSB— Narendra Modi (@narendramodi) December 20, 2025
Modern airports and advanced connectivity infrastructure serve as gateways to new possibilities and new opportunities for any state. pic.twitter.com/E7fs1kgCQK
— PMO India (@PMOIndia) December 20, 2025
Today, Assam and the entire North East are emerging as the new gateway to India’s development. pic.twitter.com/6IR2FaTi5x
— PMO India (@PMOIndia) December 20, 2025
The North East will lead India’s future growth. pic.twitter.com/1uURYScmQc
— PMO India (@PMOIndia) December 20, 2025
SM/IJ/GP/JD
The new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport will boost connectivity, commerce and tourism across Assam and entire Northeast.
— Narendra Modi (@narendramodi) December 20, 2025
https://t.co/jRJdcJIOSB
Modern airports and advanced connectivity infrastructure serve as gateways to new possibilities and new opportunities for any state. pic.twitter.com/E7fs1kgCQK
— PMO India (@PMOIndia) December 20, 2025
Today, Assam and the entire North East are emerging as the new gateway to India's development. pic.twitter.com/6IR2FaTi5x
— PMO India (@PMOIndia) December 20, 2025
The North East will lead India's future growth. pic.twitter.com/1uURYScmQc
— PMO India (@PMOIndia) December 20, 2025