પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિપબ્લિક સમિટને સંબોધિત કરી હતી. સમિટના સહભાગીઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આયોજકોને એવા સમયે “ગ્રેટ પાવર ઇન્ડિયા: નેશન ફર્સ્ટ” ની થીમ પર ચર્ચા યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે વિશ્વ ઝડપી અને નિર્ણાયક ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે.
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.
જી–7 સમિટમાં તેમની તાજેતરની સહભાગિતાને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વભરના નેતાઓ ‘નેશન ફર્સ્ટ‘ ના સિદ્ધાંત પ્રત્યે ભારતની અડગ પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. તેમણે ઉમેર્યું હતું કે આ માર્ગદર્શક ફિલસૂફી દેશની નીતિઓ, પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને આકાર આપવાનું ચાલુ રાખે છે કારણ કે તે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.
સરકારની 12 વર્ષની સેવા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ખાદીને પ્રોત્સાહન અને સ્થાનિક ઉત્પાદનો માટેની ઝુંબેશ જેવા મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહો સફળ થયા કારણ કે નાગરિકોએ રાષ્ટ્રને પ્રથમ રાખવાની ભાવનાને સ્વીકારી હતી. આદિવાસી અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં આ અભિગમની પરિવર્તનકારી અસરને હાઇલાઇટ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જે વિસ્તારો ક્યારેક હિંસા અને અલ્પવિકાસથી પીડાતા હતા તે અભૂતપૂર્વ પ્રગતિના સાક્ષી બની રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં 12,000 કિલોમીટરથી વધુ રસ્તાઓ, 9,500 થી વધુ મોબાઇલ ટાવર, બેન્કિંગ સુવિધાઓ, પોસ્ટ ઓફિસ અને સંચાર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યા છે.”
શ્રી મોદીએ અવલોકન કર્યું હતું કે માઓવાદી હિંસા, જેણે અગાઉના દાયકાઓમાં હજારો લોકોનો ભોગ લીધો હતો, તે હવે દ્રઢ સુરક્ષા પ્રયાસો અને ઝડપી વિકાસના સંયોજનને કારણે તેના અંતિમ તબક્કામાં છે. “બસ્તર ઓલિમ્પિક્સની વધતી જતી સફળતા એ વાતનો પુરાવો છે કે યુવાનોની આકાંક્ષાઓ અને પ્રતિભા એ આ ક્ષેત્ર સાથે ક્યારેક જોડાયેલા ડર અને અનિશ્ચિતતાનું સ્થાન લઈ લીધું છે”, તેમ તેમણે નિર્દેશ કર્યો હતો.
એક આકાંક્ષી ભારતના ઉદય પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે દેશ નિરાશાના યુગમાંથી બહાર આવીને આત્મવિશ્વાસ અને તકની દિશા તરફ આગળ વધ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે “બદલાવ શક્ય છે” એવો વિશ્વાસ ભારતની સૌથી મોટી શક્તિઓમાંની એક બની ગયો છે. “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ (આકાંક્ષી જિલ્લાઓ) અને એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામે દેશના કેટલાક સૌથી અલ્પવિકસિત વિસ્તારોને વિકાસના ચાલક બળોમાં ફેરવી દીધા છે. આ પ્રયાસોએ લાખો નાગરિકોના જીવનધોરણને સુધારવામાં અને તકોનો વિસ્તાર કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે”, તેમ શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના લાભો વ્યક્તિગત લાભાર્થીઓથી આગળ વધીને સમગ્ર સમાજની સમૃદ્ધિમાં ફાળો આપે છે. “તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવા સાથે એક મોટા નવ–મધ્યમ વર્ગના ઉદયથી આર્થિક પ્રવૃત્તિ મજબૂત થઈ છે અને તમામ ક્ષેત્રોમાં તકો વિસ્તરી છે. ગરીબી નાબૂદી એ માત્ર કલ્યાણકારી ઉદ્દેશ્ય નથી પરંતુ વિકાસ, આકાંક્ષા અને સામાજિક ગતિશીલતા માટે ઉત્પ્રેરક પણ છે”, તેમ તેમણે જણાવ્યું હતું.
છેલ્લા દાયકામાં મધ્યમ વર્ગ પર સરકારના ધ્યાનને રેખાંકિત કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના પરિવારોના જીવનની સરળતામાં સુધારો કરવો એ એક મુખ્ય પ્રાથમિકતા રહી છે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે વિલંબિત રહેણાંક પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે ₹25,000 કરોડનું ખાસ ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું, જેના પરિણામે દેશભરના ઘર ખરીદનારાઓને હજારો ઘરો સોંપવામાં આવ્યા હતા. “પોસાય તેવા હાઉસિંગ ફાઇનાન્સ, ડિજિટલ સેવાઓ અને બહેતર શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહોંચથી નાગરિકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ–ઇનકમ હાઉસિંગ (SWAMIH) ફંડ જેવા પગલાંએ હજારો અટકેલા હાઉસિંગ યુનિટ્સ પૂર્ણ કરવામાં અને ઘર ખરીદનારાઓને પહોંચાડવામાં મદદ કરી છે”, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતના પરિવહન અને કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નોંધપાત્ર વિસ્તાર થયો છે. “મેટ્રો રેલ નેટવર્ક હવે દરરોજ એક કરોડથી વધુ મુસાફરોને સેવા આપે છે, જ્યારે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી રેલવે ટ્રેનો દેશભરમાં કનેક્ટિવિટી મજબૂત કરી રહી છે. વિસ્તૃત રોડ નેટવર્ક, હાઇવે અને એરપોર્ટોએ ગતિશીલતામાં સુધારો કર્યો છે અને શહેરી તેમજ ઉભરતા વિકાસ કેન્દ્રો બંનેમાં નાગરિકો માટે નવી તકો ઊભી કરી છે”, તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.
કર સુધારાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કરદાતાઓ માટે ઉપલબ્ધ આવક વધારવા અને અનુપાલનનો બોજો ઘટાડવાના હેતુથી લેવાયેલા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ફેસલેસ પ્રક્રિયાઓ અને ઓનલાઇન ફાઇલિંગ સિસ્ટમ્સ સહિત સરળ અને ટેકનોલોજી સક્ષમ કર વહીવટે સુવિધા અને પારદર્શિતામાં વધારો કર્યો છે.
પ્રધાનમંત્રીએ પરિવારો માટે આરોગ્યસંભાળના ખર્ચને ઘટાડવાના સરકારના પ્રયાસોને પણ રેખાંકિત કર્યા હતા, જેમાં સસ્તી દવાઓ પૂરી પાડતા જન ઔષધિ કેન્દ્રો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય કવચનો સમાવેશ થાય છે. તેમણે અવલોકન કર્યું કે આ પહેલોએ લાખો પરિવારો માટે પોતાના ગજવામાંથી થતા ખર્ચને ઘટાડીને આરોગ્યસંભાળ સુધીની પહોંચ સુધારવામાં મદદ કરી છે.
મધ્યમ વર્ગને લાભ આપવાના હેતુથી આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કર રાહતના પગલાંએ કરમુક્ત આવકની મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી ઉપલબ્ધ આવકમાં વધારો થયો છે. તેમણે ટેકનોલોજી આધારિત સુધારાઓ દ્વારા કર વહીવટના સરળીકરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ઓનલાઇન ફાઇલિંગ સિસ્ટમ્સ અને ફેસલેસ એસેસમેન્ટ મિકેનિઝમ્સનો સમાવેશ થાય છે, જેણે અનુપાલનનો બોજો ઘટાડ્યો છે અને પારદર્શિતામાં સુધારો કર્યો છે.
નાગરિકોની બદલાતી આકાંક્ષાઓ પર બોલતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારતની વિકાસ યાત્રાએ વધતી જતી અપેક્ષાઓની સંસ્કૃતિ ઊભી કરી છે, જેમાં લોકો વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઝડપી સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણની અપેક્ષા રાખે છે. આ આકાંક્ષાઓ દેશના ભવિષ્યમાં આત્મવિશ્વાસની સકારાત્મક નિશાની છે અને પ્રગતિ પ્રાપ્ત કરવા યોગ્ય છે તેવા નાગરિકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના યુવાનો, ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને સ્ટાર્ટ–અપ્સ ઝડપથી બદલાતા વૈશ્વિક વાતાવરણમાં ઉભરતી તકોનો લાભ લેવામાં મોખરે છે. તેમણે ‘નેશન ફર્સ્ટ‘ ના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શિત સુધારાઓ, નવીનતા અને નાગરિક કેન્દ્રી શાસન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. શ્રી મોદીએ ઝડપથી વિકાસ કરી રહેલા ભારતની આકાંક્ષાઓ અને સતત નકારાત્મકતા તેમજ વિરોધ દ્વારા ચિહ્નિત રાજકીય પ્રવચનના એક વર્ગ વચ્ચેનો વિરોધાભાસ દર્શાવ્યો હતો. તેમણે અવલોકન કર્યું કે જ્યારે નાગરિકો વધુને વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, કનેક્ટિવિટી અને તકો શોધે છે, ત્યારે કેટલાક જૂથો વિકાસલક્ષી પહેલોનો વિરોધ કરે છે, ભલે તેઓ તેના દ્વારા મળતા પરિણામોની માંગ કરતા હોય. રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નાગરિકોને, ખાસ કરીને યુવાનોને ભારતના વિકાસના લક્ષ્યો અને ‘નેશન ફર્સ્ટ‘ ના સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત રાખવા આહ્વાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ નિષ્કર્ષ આપ્યો કે વિશ્વ અભૂતપૂર્વ વિક્ષેપોનું સાક્ષી બની રહ્યું છે જે પરંપરાગત પ્રણાલીઓને પડકારે છે અને સાથે સાથે વિકાસ અને નવીનતા માટે નવી તકો પણ ઊભી કરે છે. તેમણે ભારતના યુવાનો, ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને આ તકોનો લાભ લેવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી હતી. “સરકાર આ પરિવર્તનકારી યાત્રામાં જનતાની સાથે દ્રઢતાથી ઉભી છે. દેશ ઝડપી વિકાસના પંથે મક્કમતાથી આગળ વધી રહ્યો છે અને આ ગતિ વધુ મજબૂત થતી રહેશે”, તેમ શ્રી મોદીએ દોહરાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસો અને આકાંક્ષાઓ વિકસિત ભારતના વિઝનને સાકાર કરશે અને તમામ નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
Speaking at the Republic Summit. @republic https://t.co/SWnVKuCT9V
— Narendra Modi (@narendramodi) June 22, 2026
India is not only a fast-growing economy, but also a credible one.#RepublicSummit2026 pic.twitter.com/45Jt0eQyGx
— PMO India (@PMOIndia) June 22, 2026
Along with being a rising power, India is also a reliable power. pic.twitter.com/BTWavM4f0N
— PMO India (@PMOIndia) June 22, 2026
For India, Nation First is the highest guiding principle. pic.twitter.com/BObBRFQEDo
— PMO India (@PMOIndia) June 22, 2026
Maoist terror is breathing its last in India. pic.twitter.com/0IJpVGbd5x
— PMO India (@PMOIndia) June 22, 2026
The shift in mindset from “this can never be done” to “this will be done” is India’s greatest achievement. pic.twitter.com/DaNBzvERuA
— PMO India (@PMOIndia) June 22, 2026
Empowering the poor and middle-class. pic.twitter.com/KLyi9NsMBR
— PMO India (@PMOIndia) June 22, 2026
The collective efforts of 140 crore Indians will realise the dream of a Viksit Bharat. pic.twitter.com/5jHnaIEYP1
— PMO India (@PMOIndia) June 22, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Speaking at the Republic Summit. @republic https://t.co/SWnVKuCT9V
— Narendra Modi (@narendramodi) June 22, 2026
India is not only a fast-growing economy, but also a credible one.#RepublicSummit2026 pic.twitter.com/45Jt0eQyGx
— PMO India (@PMOIndia) June 22, 2026
Along with being a rising power, India is also a reliable power. pic.twitter.com/BTWavM4f0N
— PMO India (@PMOIndia) June 22, 2026
For India, Nation First is the highest guiding principle. pic.twitter.com/BObBRFQEDo
— PMO India (@PMOIndia) June 22, 2026
Maoist terror is breathing its last in India. pic.twitter.com/0IJpVGbd5x
— PMO India (@PMOIndia) June 22, 2026
The shift in mindset from "this can never be done" to "this will be done" is India's greatest achievement. pic.twitter.com/DaNBzvERuA
— PMO India (@PMOIndia) June 22, 2026
Empowering the poor and middle-class. pic.twitter.com/KLyi9NsMBR
— PMO India (@PMOIndia) June 22, 2026
The collective efforts of 140 crore Indians will realise the dream of a Viksit Bharat. pic.twitter.com/5jHnaIEYP1
— PMO India (@PMOIndia) June 22, 2026