પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્યોદ્યોગ અને પશુપાલન ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કર્યો
આ વખતે, પશ્ચિમ બંગાળ દિવસની આ તારીખ વધુ ખાસ છે; આઝાદી પછી બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે જે સપનું જોવામાં આવ્યું હતું, બંગાળના મહાન આત્માઓએ જે વિઝન કલ્પ્યું હતું, આજે એક રીતે પહેલીવાર આપણે તે સપનાઓને પશ્ચિમ બંગાળ દિવસ પર હકીકતમાં બદલાતા જોઈ રહ્યા છીએ: પીએમ
આ ઐતિહાસિક તારીખ પશ્ચિમ બંગાળના વિકાસ માટે પ્રેરણા બને, ચાલો આપણે એક નવો અને ગૌરવશાળી ઇતિહાસ બનાવીએ: પીએમ
આજે સેંકડો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યો છે, રેલ, રોડ, કૃષિ અને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સ બંગાળના વિકાસને નવી ગતિ આપશે અને અહીંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરશે: પીએમ
બંગાળે રક્તપાત સહન કર્યો, બંગાળે પોતાના લોકોને ગુમાવ્યા; તેણે પોતાની માતૃભૂમિનું વિભાજન જોયું પરંતુ બંગાળે પોતાની ઓળખ અને અસ્મિતાને નષ્ટ થવા ન દીધી: પીએમ
પશ્ચિમબંગ દિવસ પર, જ્યારે આપણે પશ્ચિમ બંગાળ દિવસ મનાવી રહ્યા છીએ, ત્યારે આપણે માત્ર એક તારીખ યાદ નથી કરી રહ્યા, આપણે એક આખો ઇતિહાસ યાદ કરી રહ્યા છીએ, આપણે બંગાળના હજારો વર્ષ જૂના વારસાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ: પીએમ
ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ કામ કરી રહ્યું છે, વિકસિત ભારતના આ સંકલ્પનો સૌથી મોટો પાયો પૂર્વીય ભારતનો વિકાસ છે, આ માટે અમે મિશન પૂર્વોદય પર કામ કરી રહ્યા છીએ: પીએમ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પશ્ચિમબંગ દિવસ’ (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્યોદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં ફેલાયેલી આ પહેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, આજીવિકામાં સુધારો કરશે, ખેડૂતોનું કલ્યાણ વધારશે અને સમગ્ર રાજ્યમાં સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નો 23મો હપ્તો પણ જાહેર કર્યો હતો. આ હપ્તા હેઠળ દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં ₹18,880 કરોડથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી, જે તાજેતરની ચૂંટણીઓ અને નવી સરકારના શપથ ગ્રહણ પછી તેમની રાજ્યની પ્રથમ મુલાકાત છે. પશ્ચિમ બંગાળ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવતા શ્રી મોદીએ આ પ્રસંગને સમગ્ર રાજ્યમાં નવી આશા, આત્મવિશ્વાસ અને પ્રગતિની ભાવનાને પ્રતિબિંબિત કરતી એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. “પશ્ચિમ બંગાળે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની નવી સફર શરૂ કરી છે. લોકોમાં દેખાતો ઉત્સાહ અને સમગ્ર રાજ્યમાં સકારાત્મક વાતાવરણ ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે વધતા આત્મવિશ્વાસને દર્શાવે છે,” તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.
પ્રધાનમંત્રીએ “સ્વચ્છતા સે સ્વાગત” પહેલમાં ભાગ લેવા બદલ નાગરિકોને અભિનંદન આપ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતા દૈનિક જીવન અને ટકાઉ વિકાસનો અભિન્ન ભાગ બનવી જોઈએ. પશ્ચિમ બંગાળ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે આ પ્રસંગ આઝાદી અને વિભાજન તરફ દોરી જનારા અશાંત સમયગાળા દરમિયાન ભારતની અંદર બંગાળની સાંસ્કૃતિક ઓળખ, વિરાસત અને સ્થાનને જાળવી રાખવા માટે આપવામાં આવેલા બલિદાનોની યાદ અપાવે છે. તેમણે બંગાળના લોકોના હિતો અને આકાંક્ષાઓની રક્ષા માટે કામ કરનારા સ્વપ્નદ્રષ્ટાઓ, સામાજિક નેતાઓ, વિદ્વાનો અને જાહેર હસ્તીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું, જેમણે વિભાજનના યુગ દરમિયાન બંગાળનો એક ભાગ ભારતની અંદર રહે તે સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તે ઐતિહાસિક ચળવળમાં ભાગ લેનારા અગ્રણી બુદ્ધિજીવીઓ, વિદ્વાનો, સમાજ સુધારકો, સમુદાયના નેતાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવેલા સમર્થનને પણ સ્વીકાર્યું હતું. “રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવી મહાન વિભૂતિઓ દ્વારા ઘડાયેલો પશ્ચિમ બંગાળનો સમૃદ્ધ વારસો દેશને પ્રેરણા આપતો રહે છે. ભવિષ્યની પેઢીઓ માટે નવી તકો ઊભી કરવાની સાથે આ વિરાસતને જાળવવાની અને તેની ઉજવણી કરવાની જરૂર છે,” તેમ શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે નવી સરકારે દાયકાઓથી એકત્રિત થયેલા પડકારોનો સામનો કરવાનું શરૂ કરી દીધું છે અને વિકાસને વેગ આપવા માટે ઝડપી ગતિએ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યની આર્થિક ક્ષમતાને અનલોક કરવા માટે નિર્ણયો ઝડપથી લેવામાં આવી રહ્યા છે અને લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ્સને પુનર્જીવિત કરવામાં આવી રહ્યા છે. “કાર્યક્રમ દરમિયાન રેલવે, માર્ગો, કૃષિ અને મત્સ્યોદ્યોગ સાથે સંબંધિત સેંકડો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પહેલો ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરશે, કનેક્ટિવિટીમાં સુધારો કરશે, સ્થાનિક અર્થતંત્રોને વેગ આપશે અને રોજગારી તથા વિકાસ માટે નવી તકો ઊભી કરશે,” તેમ શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ પીએમ-કિસાનના 23મા હપ્તાની રજૂઆત પર પ્રકાશ પાડ્યો હતો, જે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તેમણે તમામ લાભાર્થી ખેડૂત પરિવારોને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી. નાગરિકોને રાજ્યના ઇતિહાસમાંથી પ્રેરણા લેવા આહવાન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળ અસાધારણ સાંસ્કૃતિક, બૌદ્ધિક અને આર્થિક શક્તિ ધરાવે છે અને તે ભારતની વિકાસ યાત્રામાં ફરી એકવાર અગ્રણી યોગદાનકર્તા તરીકે ઉભરી શકે છે. “પશ્ચિમ બંગાળ દિવસ માત્ર ઇતિહાસના સ્મરણ તરીકે જ નહીં પરંતુ વિકાસ, પ્રગતિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેના નવા સંકલ્પ તરીકે કામ કરવો જોઈએ. રાજ્યના લોકો વધુ મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતના નિર્માણમાં અગ્રણી ભૂમિકા ભજવશે,” તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના લોકોને આપવામાં આવેલા વચનો સમયબદ્ધ રીતે પૂરા કરવામાં આવી રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યના દરેક પાત્ર ગરીબ પરિવારને હવે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ મળશે. તેમણે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત, જલ જીવન મિશન દ્વારા સ્વચ્છ પીવાના પાણીની વિસ્તૃત પહોંચ, સરકારી નોકરીઓ માટેની વય મર્યાદામાં છૂટછાટ અને મહિલાઓ માટે મફત બસ મુસાફરીના અમલીકરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. “વર્ષોથી અટકેલી કલ્યાણકારી યોજનાઓ હવે જનસંપર્ક શિબિરો (પબ્લિક આઉટરીચ કેમ્પ્સ) દ્વારા સીધી લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે, જે પારદર્શિતા, કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે અને વચેટિયાઓને દૂર કરે છે,” તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ નોંધ્યું કે લાંબા સમયથી પેન્ડિંગ કેટલાક પ્રોજેક્ટ્સ હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આમાં ચિંગરીઘાટા ક્રોસિંગ ખાતે કોલકાતા મેટ્રોની ઓરેન્જ લાઇનના કામની પૂર્ણાહુતિ, હાવડામાં નવી ડિવિઝનલ રેલવે હોસ્પિટલનો શિલાન્યાસ, પૂર્બા મેદિનીપુરમાં રોડ ઓવરબ્રિજ અને સાંકરાઇલ-સંતરાગાચી રેલ લિંક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા, પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની શરૂઆતને આવકારી હતી, જે પાકના નુકસાન સામે ખેડૂતોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. તેમણે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનમાં રાજ્યના એકીકરણની પણ જાહેરાત કરી હતી, જે ખેડૂત રજિસ્ટ્રી, ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ અને કૃષિ સેવાઓ તથા લાભોની બહેતર ડિલિવરી સક્ષમ બનાવશે. “પીએમ ધાન ધાન્ય કૃષિ યોજના હેઠળ, પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓ — પુરુલિયા, દાર્જિલિંગ, અલીપુરદ્વાર અને ઝારગ્રામ — ને કૃષિ ઉત્પાદકતા વધારવા, સંગ્રહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા અને ધિરાણ સુધીની પહોંચ સુધારવા માટે કેન્દ્રિત સહાય મળશે,” તેમ શ્રી મોદીએ નોંધ્યું હતું.
રાજ્યના અર્થતંત્રમાં મત્સ્યોદ્યોગના મહત્વને સ્વીકારતા, શ્રી મોદીએ દક્ષિણ 24 પરગણામાં ફ્રેઝરગંજ ફિશિંગ હાર્બરના વિસ્તરણ અને બીરભૂમમાં આધુનિક માછલી બજારના વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો, જેનાથી આજીવિકાને વેગ મળવાની અને મત્સ્યોદ્યોગ ક્ષેત્ર મજબૂત થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ દેશભરના ખેડૂતોને સરકારના “ખેત બચાવો અભિયાન” માં ભાગ લેવા પણ અપીલ કરી હતી, જે જમીનના સ્વાસ્થ્ય, રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવા અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની હિમાયત કરે છે.
2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનનો પુનરોચ્ચાર કરતા, પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂર્વોદય પહેલ હેઠળ પૂર્વીય ભારતનો વિકાસ આ મિશનના કેન્દ્રમાં છે, જેમાં પશ્ચિમ બંગાળ પ્રાદેશિક અને રાષ્ટ્રીય વૃદ્ધિને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. “ટકાઉ વિકાસની સાથે શાંતિ, સામાજિક સૌહાર્દ અને સાંસ્કૃતિક સંરક્ષણ હોવું જરૂરી છે, જેથી સામૂહિક પ્રગતિ માટે સાથે મળીને કામ કરવાની સાથે બંગાળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સામાજિક તાણાવાણાને મજબૂત કરી શકાય,” તેમ શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
પોતાના સંબોધનના સમાપનમાં, પ્રધાનમંત્રીએ રાજ્યભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વામી વિવેકાનંદ અને શ્રી અરવિંદની આ ભૂમિ યોગ, સુખાકારી અને માનવ એકતાના સંદેશ દ્વારા ફરી એકવાર વિશ્વને પ્રેરિત કરશે.
Delighted to be in Tarakeswar. Addressing a programme on Paschimbanga Divas. Do watch. https://t.co/fh9IHujCpQ
— Narendra Modi (@narendramodi) June 20, 2026
इस बार पश्चिम बंग दिवस की ये तारीख और भी खास है।
— PMO India (@PMOIndia) June 20, 2026
आज़ादी के बाद बंगाल के उज्जवल भविष्य के लिए जो सपना देखा गया था... बंगाल की महान आत्माओं ने जो परिकल्पना की थी... आज एक तरह से पहली बार हम पश्चिम बंग दिवस पर उन सपनों को सच्चाई में बदलते देख रहे हैं।
ये ऐतिहासिक तारीख... पश्चिम…
आज यहाँ सैकड़ों करोड़ रुपए की विकास परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है।
— PMO India (@PMOIndia) June 20, 2026
रेल, रोड, कृषि, मछली पालन से जुड़ी ये परियोजनाएं बंगाल के विकास को नई गति देंगी।
इन परियोजनाओं से यहां की ग्रामीण अर्थव्यवस्था को मजबूती मिलेगी: PM @narendramodi
बंगाल ने रक्तपात सहा... बंगाल ने अपनों को खोया... अपनी मातृभूमि के टुकड़े होते देखे... लेकिन, बंगाल ने अपनी अस्मिता और पहचान को नष्ट नहीं होने दिया।
— PMO India (@PMOIndia) June 20, 2026
इसी का परिणाम था... जब पूरे बंगाल को भारत से अलग करने की साजिश हो रही थी... तब अलग पश्चिम बंगाल बनाकर उन मंसूबों को कामयाब नहीं…
पश्चिम बंग दिवस के रूप में हम केवल एक तारीख को याद नहीं कर रहे हैं।
— PMO India (@PMOIndia) June 20, 2026
हम पूरे इतिहास को याद कर रहे हैं।
हम हजारों साल पुरानी बंगाल की विरासत को नमन कर रहे हैं: PM @narendramodi
भारत 2047 तक विकसित देश बनने के लक्ष्य पर काम कर रहा है।
— PMO India (@PMOIndia) June 20, 2026
विकसित भारत के इस संकल्प का सबसे बड़ा आधार है- पूर्वी भारत का विकास!
इसके लिए हम मिशन पूर्वोदय पर काम कर रहे हैं: PM @narendramodi
देशभर के अपने अन्नदाताओं के कल्याण और सशक्तिकरण के लिए हम संकल्पबद्ध हैं। पश्चिम बंगाल के हुगली से आज पीएम-किसान की 23वीं किस्त जारी करने का सौभाग्य मिला। इससे करोड़ों किसान परिवारों को आर्थिक संबल मिलेगा और उनके जीवन में खुशहाली बढ़ेगी। pic.twitter.com/l2pfJaFZPL
— Narendra Modi (@narendramodi) June 20, 2026
जो बंगाल भारत के विकास का नेतृत्व कर सकता था, वो कांग्रेस, लेफ्ट और टीएमसी के दशकों के कुशासन में लगातार पिछड़ता चला गया। आज पश्चिम बंग दिवस पर हम संकल्प लें कि अब इतिहास की वो गलतियां दोहराई नहीं जाएंगी। pic.twitter.com/ZUDPvBBIpu
— Narendra Modi (@narendramodi) June 20, 2026
पश्चिम बंगाल के मेरे परिवारजनों ने बीजेपी को अपना भरपूर आशीर्वाद देकर रिकॉर्ड सीटों से विजयी बनाया। आज पूरा देश देख रहा है कि कैसे इसके नतीजे के रूप में जनता-जनार्दन को वो सारे अधिकार हासिल हो रहे हैं, जिनसे उन्हें वर्षों तक वंचित रखा गया। pic.twitter.com/dWNIKNjmZa
— Narendra Modi (@narendramodi) June 20, 2026
हमारी धरती मां और खेतों की सुरक्षा के लिए देशभर के किसान भाई-बहनों से मेरा यह विनम्र आग्रह… pic.twitter.com/2XzKEvowc0
— Narendra Modi (@narendramodi) June 20, 2026
সমগ্র দেশে আমাদের সকল অন্নদাতাদের কল্যাণ ও ক্ষমতায়নের জন্য আমরা সংকল্পবদ্ধ। পশ্চিমবঙ্গের হুগলি থেকে আজ পিএম-কিসানের ২৩তম কিস্তি প্রদান করার সৌভাগ্য লাভ করেছি। এর ফলে কোটি কোটি কৃষক পরিবার আর্থিক সহায়তা পাবে এবং তাদের জীবনে সুখ-সমৃদ্ধি বৃদ্ধি পাবে। pic.twitter.com/EJ46mWxyRF
— Narendra Modi (@narendramodi) June 20, 2026
যে বাংলা ভারতের উন্নয়নে নেতৃত্ব দিতে পারত, তা কংগ্রেস, বামফ্রন্ট এবং টিএমসি-র দশকের পর দশক ধরে চলা অপশাসনের কারণে ক্রমাগত পিছিয়ে পড়েছে। আজ পশ্চিমবঙ্গ দিবসে আসুন আমরা সংকল্প নিই যে ইতিহাসের সেই ভুলগুলির আর পুনরাবৃত্তি হবে না। pic.twitter.com/nmTiOT3Dc1
— Narendra Modi (@narendramodi) June 20, 2026
আমার পশ্চিমবঙ্গের পরিবার-পরিজনেরা বিজেপি-কে তাঁদের আশীর্বাদ দিয়ে রেকর্ড সংখ্যক আসনে বিজয়ী করেছেন। আজ সমগ্র দেশ দেখছে কীভাবে এর ফলস্বরূপ সাধারণ জনগণ-যে অধিকারগুলি থেকে তাঁদের বছরের পর বছর বঞ্চিত করে রাখা হয়েছিল-সেই সমস্ত অধিকার লাভ করছেন । pic.twitter.com/VEWbW1dUVe
— Narendra Modi (@narendramodi) June 20, 2026
আমাদের মা ধরিত্রী এবং খেতের সুরক্ষার জন্য দেশের সমস্ত কৃষক ভাই-বোনদের প্রতি আমার এই বিনীত অনুরোধ... pic.twitter.com/dLdqqFdV1t
— Narendra Modi (@narendramodi) June 20, 2026