Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે કુરુક્ષેત્રની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે.

સાંજે લગભગ 4:00 વાગ્યે પ્રધાનમંત્રી ભગવાન કૃષ્ણના પવિત્ર શંખના માનમાં નિર્માણ પામેલા નવા પંચજન્યનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ મહાભારત અનુભવ કેન્દ્રની મુલાકાત લેશે, જે એક આકર્ષક અનુભૂતિ કેન્દ્ર છે જ્યાં મહાભારતના ખાસ એપિસોડ દર્શાવવામાં આવ્યા છે, જે તેના શાશ્વત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને દર્શાવે છે.

સાંજે લગભગ 4:30 વાગ્યે, પ્રધાનમંત્રી નવમા શીખ ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજીના 350મા શહીદ દિવસની ઉજવણી માટે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ગુરુના 350મા શહીદ દિવસ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટિકિટ બહાર પાડશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ભારત સરકાર ગુરુ તેગ બહાદુરના 350મા શહીદ દિવસના સન્માન માટે એક વર્ષભરના કાર્યક્રમનું આયોજન કરી રહી છે.

બાદમાં, સાંજે લગભગ 5:45 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મ સરોવરમાં દર્શન અને પૂજા કરશે. બ્રહ્મ સરોવર ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે, જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દૈવી જ્ઞાન સાથે સંકળાયેલું હોવાનું કહેવાય છે. આ મુલાકાત હાલમાં કુરુક્ષેત્રમાં 15 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ સાથે સુસંગત છે.

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]