પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે ₹1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે જશે. આશરે 4:30 PM વાગ્યે, પ્રધાનમંત્રી સાણંદ, અમદાવાદ ખાતે CG SEMI આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનસભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી જોધપુરમાં
નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મોટો વેગ આપવા માટે, પ્રાદેશિક કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રી જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. આ ભારતની સિવિલ એવિએશન ક્ષિતિજમાં એક નોંધપાત્ર આગેકૂચ દર્શાવે છે અને “ઉડે દેશ કા આમ નાગરિક”ના વિઝનને વધુ આગળ ધપાવશે. આગામી 10 વર્ષોમાં ₹28,840 કરોડની ફાળવણી સાથે, આ યોજનાનો ઉદ્દેશ્ય એવિએશન-આધારિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. તે વ્યાપક અને ટકાઉ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે રચાયેલા બહુવિધ વ્યૂહાત્મક ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સમગ્ર દેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા માટે, ₹12,000 કરોડથી વધુના ખર્ચના સમર્થન સાથે, હાલની સેવાવિહીન એરસ્ટ્રિપ્સમાંથી 100 એરોડ્રોમ્સના વિકાસ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રાદેશિક એરપોર્ટની કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન તેમની સદ્ધરતા સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ (O&M) સપોર્ટ માટે ₹2,500 કરોડથી વધુની રકમ અલગ રાખવામાં આવી છે. અંતરિયાળ અને મુશ્કેલ ભૂપ્રદેશોમાં સુલભતાના પડકારોને પહોંચી વળવા માટે, આ યોજના 200 આધુનિક હેલિપેડ્સના વિકાસની પણ દરખાસ્ત કરે છે.
આ યોજના એરલાઇન્સ માટે ₹10,000 કરોડથી વધુના વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) સપોર્ટને પણ ચાલુ રાખે છે, જે ક્રમિક વ્યાપારી સદ્ધરતાને પ્રોત્સાહિત કરવાની સાથે ટકાઉ પ્રાદેશિક કામગીરી સુનિશ્ચિત કરે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવતા, આ પહેલમાં અલ્પસેવા ધરાવતા પ્રદેશોમાં કનેક્ટિવિટી અને કામગીરી વધારવા માટે HAL ધ્રુવ અને ડોર્નિયર પ્લેટફોર્મ જેવા સ્વદેશી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની ખરીદીનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટ ખાતે ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ₹480 કરોડના કુલ ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 23,000 ચોરસ મીટરથી વધુના વિસ્તારમાં ફેલાયેલું આ ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોને સંભાળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે સીમલેસ અને આરામદાયક પ્રવાસનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે આધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે.
રાજસ્થાનની શાહી વારસાથી પ્રેરિત આ ટર્મિનલમાં પરંપરાગત સ્થાપત્ય તત્ત્વો, જેમ કે કમાનો અને ઝરોખાને આધુનિક ડિઝાઇન સાથે સુંદર રીતે સંકલિત કરવામાં આવ્યા છે. ટર્મિનલની રચનામાં ટકાઉ વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં ઊર્જા-કાર્યક્ષમ પ્રણાલીઓ, જળ સંરક્ષણના ઉપાયો અને હરિત નિર્માણ (Green Building)ની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેને 5-સ્ટાર GRIHA રેટિંગ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધારી શકાય. જોધપુર એરપોર્ટ પર ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન આ પ્રદેશમાં પ્રવાસન, વેપાર અને રોજગાર નિર્માણને નોંધપાત્ર વેગ આપશે.
પ્રધાનમંત્રી બાલોત્રામાં
પ્રધાનમંત્રી બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સ પેટ્રોકેમિકલ્સ, અર્બન ટ્રાન્સપોર્ટ, રેલવે, રોડ, રિન્યુએબલ એનર્જી અને પાવર ટ્રાન્સમિશન સહિતના બહુવિધ ક્ષેત્રોને આવરી લે છે.
પ્રધાનમંત્રી બાલોત્રાના પચપદ્રા ખાતે ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટીગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કરશે, જે દેશના ઊર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકાર વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે વિકસિત, દર વર્ષે 9 મિલિયન મેટ્રીક ટન (MMTPA) ગ્રીનફિલ્ડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ₹79,450 કરોડથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે.
આ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ કોમ્પ્લેક્સ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનને એકીકૃત કરે છે, જેમાં પેટ્રોકેમિકલ ક્ષમતા 2.4 MMTPA છે. આ રિફાઇનરી 17.0 નો ઉચ્ચ નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ અને 26% થી વધુની પેટ્રોકેમિકલ યીલ્ડ ધરાવે છે, જે કાર્યક્ષમતા અને ટકાઉપણું માટેના વૈશ્વિક માપદંડો સાથે સુસંગત છે.
આ પ્રોજેક્ટ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા, પેટ્રોકેમિકલ આત્મનિર્ભરતા વધારવા અને ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. તે આ પ્રદેશમાં પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પાર્કના વિકાસ માટે એક એન્કર ઉદ્યોગ તરીકે કામ કરશે, જે ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે. વધુમાં, રિફાઇનરી આ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપીને નોંધપાત્ર રોજગારીની તકો ઊભી કરવા માટે સજ્જ છે.
પ્રધાનમંત્રી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2નો શિલાન્યાસ કરશે, જેની કુલ કિંમત ₹13,000 કરોડથી વધુ છે. ફેઝ 2 હેઠળ, પ્રહલાદપુરાથી તોડી મોડ સુધી 41-કિલોમીટર લાંબો નોર્થ-સાઉથ મેટ્રો કોરિડોર વિકસાવવામાં આવશે, જે 36 સ્ટેશનો દ્વારા સીતાપુરા અને વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રિયલ એરિયા (VKI)ના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોને જોડશે. આ કોરિડોર સીતાપુરા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, VKI, જયપુર એરપોર્ટ, ટોંક રોડ, SMS હોસ્પિટલ, SMS સ્ટેડિયમ, અંબાબારી અને વિદ્યાધર નગર સહિતના મુખ્ય સ્થળોને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્રોજેક્ટ જયપુરના મુખ્ય ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે, જે રહેવાસીઓને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ જાહેર પરિવહન પ્રદાન કરશે. ફેઝ 1 હેઠળ, 11 સ્ટેશનો સાથેનો 11.64-કિલોમીટરનો મેટ્રો કોરિડોર હાલમાં કાર્યરત છે.
પ્રધાનમંત્રી આશરે ₹900 કરોડના ખર્ચે નિર્મિત ચુરુ-સાદુલપુર (58 km) અને ચુરુ-રતનગઢ (46 km) રેલ ડબલિંગ પ્રોજેક્ટ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. કુલ 104 કિલોમીટરની લંબાઈ ધરાવતા, આ પ્રોજેક્ટ્સ ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત કરશે. તેઓ રેલ લાઇન ક્ષમતામાં વધારો કરશે, જેનાથી રેલ નેટવર્ક પરની ભીડ ઓછી થશે અને પેસેન્જર તેમજ માલસામાન બંને ટ્રેનોનું વધુ સુધારેલું, સુરક્ષિત અને સમયસર સંચાલન શક્ય બનશે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં રોકાણ, રોજગાર નિર્માણ અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે.
પ્રધાનમંત્રી NH-125A, જોધપુર રિંગ રોડ સેક્શન-2 (કરવડ-ડાંગિયાવાસ) ના ફોર-લેનિંગનું પણ ઉદ્ઘાટન કરશે. આશરે ₹740 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલો આ પ્રોજેક્ટ જોધપુરની આસપાસ પ્રાદેશિક કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને મુસાફરીને વધુ સરળ તેમજ સુરક્ષિત બનાવશે.
વધુમાં, પ્રધાનમંત્રી આશરે ₹5,500 કરોડના રોકાણ સાથે વિકસિત SJVN લિમિટેડનો 1,000 MW બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટમાં 24.22 લાખ સ્થાનિક રીતે ઉત્પાદિત સોલર મોડ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી NHPC નો 300 MW કર્ણીસર બિકાનેર સોલર એનર્જી પ્લાન્ટ પણ સમર્પિત કરશે. આ પ્રોજેક્ટમાં આશરે 7.75 લાખ સ્થાનિક રીતે ઉત્પાદિત સોલર PV સેલ્સ અને મોડ્યુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી રાજસ્થાન રિન્યુએબલ એનર્જી ઝોન (REZ)માંથી પાવર ઇવેક્યુએશન (વીજળી નિકાસ) માટે ₹1,900 કરોડથી વધુના ખર્ચે નિર્મિત ટ્રાન્સમિશન લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાન REZ માટે 530 કિલોમીટર લાંબી પાવર ટ્રાન્સમિશન સિસ્ટમનો શિલાન્યાસ કરશે. આ ટ્રાન્સમિશન સિસ્ટમ્સ રાજસ્થાનમાં ઉત્પાદિત રિન્યુએબલ એનર્જીના ઇવેક્યુએશનને સરળ બનાવશે અને રાજ્યમાં અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરાયેલા આશરે 54,000 યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરશે. આ નવનિયુક્ત ઉમેદવારોમાં શિક્ષણ, ઊર્જા, ગૃહ, પંચાયતી રાજ, પરિવહન, ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આયોજન, કૃષિ, માહિતી ટેકનોલોજી અને વહીવટી સુધારણા વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી સાણંદમાં
પ્રધાનમંત્રી ગુજરાતના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન ફેસિલિટી ખાતે વ્યાપારી ઉત્પાદનની શરૂઆત સાથે ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા તરફ એક મોટું પગલું દર્શાવે છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે અને તેને ₹7,500 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે.
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ કરશે. આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. CG સેમી ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે.
આ સુવિધાના કાર્યાન્વયનથી ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
I look forward to being among the people of Rajasthan and Gujarat tomorrow, 4th July, to take part in various programmes relating to sectors like energy, aviation, semiconductors, urban development and more. These works will add significant momentum to our efforts of becoming…
— Narendra Modi (@narendramodi) July 3, 2026
From Jodhpur, the Modified UDAN Scheme will be launched. This will ensure that more people are able to fly and connectivity across India is enhanced. Focus will be on developing 100 aerodromes from existing unserved strips and allocating more resources to Operations and…
— Narendra Modi (@narendramodi) July 3, 2026
Tomorrow, 4th July, is a very special day for the people of Jodhpur. The New Terminal Building of Jodhpur Airport will be inaugurated. Jodhpur has a very important place as far as tourism in India is concerned. This upgraded infrastructure will encourage more tourists to come to… pic.twitter.com/GdOuk4NgCr
— Narendra Modi (@narendramodi) July 3, 2026
Tomorrow’s programme in Balotra will be historic, marking the inauguration and laying of foundation stones of works worth over Rs. 1.06 lakh crore. This includes the dedication of the integrated refinery-cum-petrochemical complex at Pachpadra. This project will boost India’s… pic.twitter.com/coYf1sxQsH
— Narendra Modi (@narendramodi) July 3, 2026
Congratulations to the people of Jaipur! Tomorrow, the foundation stone will be laid for the second phase of the Jaipur Metro Rail Project. A corridor will be developed connecting various residential and industrial areas.
— Narendra Modi (@narendramodi) July 3, 2026
The other projects that will be dedicated to the nation…
Sanand has made a place for itself on the world map, synonymous with cutting-edge innovation and growth. I will be in Sanand tomorrow for the inauguration of the CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) facility. It will be a momentous occasion for India’s… pic.twitter.com/RVDn19bCKU
— Narendra Modi (@narendramodi) July 3, 2026