Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ભારત સરકારની કેબિનેટની બેઠકમાં ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે આરોગ્ય અને તબીબ ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતિ કરાર પર કરાયેલા હસ્તાક્ષરને પાછલી અસરથી મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમજૂતિના કરાર પર તા. 16 મે 2017ના રોજ કરાર કરવામા આવ્યા હતા.

 

આ સમજૂતિના કરારમાં સહયોગનાં નીચે મુજબનાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.

  • આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓનુ ક્ષમતા નિર્માણ
  • ચેપથી ફેલાતા રોગો અટકાવવા તથા તેનું નિયંત્રણ કરવું.
  • ફિઝીયોથેરાપી અને પુનઃવસન
  • ડ્રગ્ઝ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ઈક્વિપમેન્ટ, અને
  • પરસ્પરના હિતનો સમાવેશ થતો હોય તેવાં અન્ય ક્ષેત્રો

 

આ સહયોગ અંગે વિસ્તૃત વિગત નક્કી કરવા માટે તથા સમજૂતિ કરારના અમલની દેખરેખ માટે એક વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવશે.

 

AP/J.Khunt/GP