Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને બ્રુનેઈ દારૂસલામ વચ્ચે કરવેરા સંબંધી માહિતીનાં આદન-પ્રદાન અને કરવેરા સંગ્રહણમાં સહાય અંગેના કરાર પર કરાયેલા હસ્તાક્ષરને કેબિનેટની મંજૂરી અને સમર્થન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બ્રુનેઈ દારૂસલામ વચ્ચે કરવેરા સંબંધિ માહિતીના આદાન-પ્રદાન અને કરવેરા સંગ્રહણમાં સહાય અંગેના કરાર પર હસ્તાક્ષરને મંજૂરી તેમજ સમર્થન આપ્યું છે.

વિગતોઃ

1. આ કરારથી ભારત અને દારૂસલામની સક્ષમ ઓથોરિટીને વહિવટી તંત્ર માટે જરૂરી તેમજ બંને દેશોના સ્થાનિક કાયદાઓના અમલ માટે તથા ભાવિ પગલાં માટે સુસંગત હોય તેવી માહિતીના આદાન-પ્રદાન દ્વારા સહાયને આવરી લેવામાં આવેલ છે.

2. આ કરાર હેઠળ એકત્ર કરાયેલી માહિતીને ગુપ્ત રાખવામાં આવશે અને આ કરાર હેઠળ આવરી લેવાયેલ વેરા સંબંધી માહિતી માત્ર કરવેરા સંબંધી એસેસમેન્ટ, એકત્રીકરણ, ફરજપાલન, કાનૂની કાર્યવાહિ તેમજ અપીલ માટેની ઓથોરિટી ધરાવતી વ્યક્તિઓને જ (અદાલતી તેમજ વહિવટી સંસ્થાઓ સહિત) જણાવવામાં આવશે. આવી માહિતી અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા કે ન્યાય તંત્રને માહિતી મોકલનાર દેશની લેખિત પૂર્વ મંજૂરી પછી જ જણાવવામાં આવશે.

3. આ કરાર હેઠળ વિવિધ કેટેગરી ધરાવતા કેસ અંગેની માહિતીનું ભારત અને બ્રુનેઈ વચ્ચે આપમેળે આદાન- પ્રદાન થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.

4. આ કરારમાં બંને દેશો વચ્ચેના કરવેરાના દાવા હેઠળની રકમ એકત્ર કરવામાં સહાય અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે.

5. આ કરારમાં એક બીજા સાથેના મતભેદ નિવારવા માટે પરસ્પરની સંમતિ પ્રક્રિયા દ્વારા અથવા તો કરાર હેઠળની પ્રક્રિયામાં સંમત થવાની જોગવાઈ કરવામાં આવી છે.

6. આ કરાર બંને દેશોના કાયદા હેઠળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરારના અમલીકરણના નોટિફિકેશન બાદ અમલમાં આવશે.

આ કરારને કારણે ભારત અને બ્રુનેઈ વચ્ચે કરવેરા સંબંધી માહિતીના આદાન-પ્રદાનના પ્રવાહને વેગ મળશે અને તેનાથી કરવેરો ભરવાનું ટાળવાના અથવા તો નહીં ભરવાના કિસ્સાઓ નિયંત્રિત કરવામાં સહાય થશે. આ કરારથી બંને દેશો વચ્ચે કરવેરાની રકમના દાવા પ્રાપ્ત કરવામાં પણ સહાય થશે.

એક રીતે જોતાં આ કરારની કોઈ નાણાંકિય અસરો નથી, પરંતુ કરારની કલમ-9 અનુસાર જો ખર્ચ 500 યુએસ ડોલરથી વધી જાય તો તે ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારત દ્વારા કરાયેલા આ પ્રકારના અન્ય માહિતીના આદાન-પ્રદાન ને લગતા કરાર પ્રમાણેની જ છે.

પશ્ચાદ્દભૂમિકાઃ

ભારત સરકાર આવકવેરા ધારા 1961ની કલમ-90 હેઠળ વિદેશના દેશો સાથે અથવા તો ચોક્કસ પ્રદેશો સાથે કરવેરો નહીં ભરવાના અને કરવેરો ભરવાનું ટાળવાના કિસ્સાઓ અંગે માહિતી મેળવવાનો આવકવેરા ધારા હેઠળ આ પ્રકારના કરાર કરવા માટેનો અધિકાર ધરાવે છે. કરવેરા સંબંધિ માહિતીના આદાન- પ્રદાન માટેનો આ કરાર કરવા અંગેની વાટાઘાટો કરવાની કાર્યવાહિ બ્રુનેઈમાં તા.10 થી 11 જાન્યુઆરી 2017 દરમિયાન હાથ ધરવામાં આવી હતી, તેને અનુસરીને ભારત સરકાર અને બ્રુનેઈ દારૂસલામ આ કરાર અંગે સંમત થયા છે.

NP/J.Khunt/GP/RP