Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

PM's speech during release of former President Shri Ram Nath Kovind's autobiography


આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, લોકસભાના અધ્યક્ષ આદરણીય ઓમ બિરલાજી અને શ્રીમતી સવિતા કોવિંદજી, ગૃહના બધા વરિષ્ઠ સભ્યો હાજર છે. હું બધાનો ઉલ્લેખ કરી શકીશ નહીં, પણ મને ખૂબ આનંદ છે કે આ એક પારિવારિક કાર્યક્રમ જેવો અનુભવ થઈ રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

આજે આપણને શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથાનું વિમોચન કરવાની તક મળી છે. મને આ કાર્યક્રમનો ભાગ બનવાનો આનંદ છે. હું શ્રી કોવિંદજીને લાંબા સમયથી ઓળખું છું, અને મને તેમને નજીકથી જાણવાની તક મળી છે. રાષ્ટ્રપતિ તરીકેનું તેમનું માર્ગદર્શન, મારા પ્રત્યેનો તેમનો ખાસ સ્નેહ અને આત્મીયતા મારા માટે એક મહાન સંપત્તિ રહી છે. તેમના જીવન અને તેમની સિદ્ધિઓ વિશે મેં જે સમજ્યું છે તેના પરથી, હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે શ્રી રામનાથ કોવિંદજીની આત્મકથા ભારતીય લોકશાહી અને ભારતીય સમાજ માટે એક ખજાનો બનશે. કોવિંદજીની જીવનયાત્રા, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનહું વિગતવાર વાત કરી શકું છું, પરંતુ પુસ્તકનું વિમોચન ફક્ત કર્ટન રેઝર જ રહેવું જોઈએ. જો તમે બધા પુસ્તકને સંપૂર્ણ લાભ માટે વાંચો તો શ્રેષ્ઠ રહેશે.

મિત્રો,

કોવિંદજીની જીવનયાત્રા વિશે તમારે તેમના પોતાના શબ્દોમાં, તેમના લખાણોમાં, તેમના અનુભવોમાં શીખવું જોઈએ અને દેશની નવી પેઢીએ તે વાંચવી જોઈએ; દરેક વ્યક્તિ આમાંથી ઘણું શીખશે. હું રામનાથ કોવિંદજીને આ આત્મકથા માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

મિત્રો,

કોવિંદજીએ તેમના પુસ્તકનું યોગ્ય શીર્ષક આપ્યું છે – “Triumph of the Indian Republic: My Life, My Struggles” મુદ્દો એ છે કે જીવન અને તેના સંઘર્ષો તેમના માટે વ્યક્તિગત છે, પરંતુ તે સંઘર્ષોના પરિણામે મળેલી જીત ભારતીય પ્રજાસત્તાકની છે, ભારતના લોકશાહીની છે.

મિત્રો,

આપણે બધા ઘણીવાર માનવ સ્વભાવનો અનુભવ કરીએ છીએ. લોકો પોતાની સફળતાનો શ્રેય પોતાને આપે છે અને જીવનની કઠણાઈઓ અને મુશ્કેલીઓ માટે સમાજને દોષ આપે છે. જો કે, જ્યારે કોઈનું હૃદય ઉદાર અને ભારતીય મૂલ્યો ધરાવે છે, ત્યારે વ્યક્તિ સમાજમાં ખામીઓ શોધવામાં સમય બગાડતો નથી; તેઓ તેના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને સમાજને તેમની સફળતામાં સમાન ભાગીદાર માને છે. કોવિંદજીની આત્મકથા અને તેનું શીર્ષક આના ઉદાહરણો છે. તેમનું જીવન જુઓ; તેમનો જન્મ કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. કોવિંદજીએ હમણાં એક પ્રસંગનું વર્ણન કર્યું, અને તેમના પુસ્તકમાં પણ લખે છે કે કેવી રીતે એક ઉનાળાના દિવસે તેમના ઘરમાં આગ લાગી. તેમની માતા પોતાની ચિંતાઓ છોડીને, ઘરનો સામાન બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. છેવટે, એક સામાન્ય પરિવારમાં, દરેક વસ્તુ માતા માટે તેના બાળકોને ઉછેરવાનું એક માધ્યમ હોય છે. તે જ પ્રયાસમાં, તેમની માતા આગમાં ફસાઈ ગઈ. તમે કલ્પના કરી શકો છો કે આવી ઘટના, આ રીતે માતા ગુમાવવી, આટલી નાની ઉંમરે કેટલી પીડાદાયક હશે. હું તો ભાગ્યશાળી રહ્યો છું કે મારી માતા 100 વર્ષથી પણ વધુ જીવ્યાં અને મને આશીર્વાદ આપતાં રહ્યાં. તેમ છતાં આજે પણ મને માતાની ખોટ અનુભવાય છે.

મિત્રો,

આ તેમના જીવનની એક આઘાતજનક ઘટના હતી, જે કોઈપણને ચકનાચૂર કરી શકે છે. પરંતુ તે મુશ્કેલીઓએ કોવિંદજીને મજબૂત બનાવ્યા. એક પાડોશીએ તેમને ઉછેરવામાં મદદ કરી. આનાથી તેમને સામાજિક એકતા અને સંવાદિતાની શક્તિ સમજાઈ. આ ઘટના પછી કોવિંદજીના જીવનમાં તેમના પિતાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની. તેમણે જે રીતે પોતાના પરિવારને સંભાળ્યો અને બાળકોને સંસ્કાર આપ્યા, તેના કારણે કોવિંદજી પોતાના પિતાને પોતાના હીરો માને છે.

મિત્રો,

બાળપણના આ સંઘર્ષો વચ્ચે કોવિંદજીએ શિક્ષણને તેમની ક્ષમતા વધારવાનો માર્ગ બનાવ્યો. તેમણે સખત મહેનત કરી, સંસાધનોની અછતને નબળાઈ બનવા દીધી નહીં. અને તેઓ એવા પદ પર પહોંચ્યા જેની તે સમયે લોકો કલ્પના પણ કરી શકતા ન હતા. તેઓ ભારત જેવા વિશાળ દેશના રાષ્ટ્રપતિ બન્યા.

મિત્રો,

આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ, કોવિંદજીનું નમ્ર વ્યક્તિત્વ અને સાદગી અકબંધ રહી. મને યાદ છે કે જ્યારે હું પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં તેમની મુલાકાત લેતો હતો. તેઓ એવી બાબતો વિશે વાત કરતા હતા જે પ્રોટોકોલ દ્વારા મંજૂરી ન હતી. તેઓ પ્રધાનમંત્રીને વિદાય આપવા માટે કારના દરવાજા પાસે પણ આવતા હતા. શરૂઆતમાં, હું તેમને વિનંતી કરતો હતો કે, “કૃપા કરીને આવું ન કરો,” પરંતુ તેમણે તેમના જીવનના અંત સુધી ક્યારેય તેમની નમ્રતા છોડી ન હતી. રાષ્ટ્રપતિ બન્યા પછી, જ્યારે તેઓ તેમના ગામ, પરાઉંખની મુલાકાત લીધી, ત્યારે તેમણે તેમના ગુરુઓના ચરણ સ્પર્શ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગામની માટી પર નમન કર્યું અને સામાન્ય ગ્રામજનોનો આભાર માન્યો. સમગ્ર દેશે તે ભાવનાત્મક દ્રશ્ય જોયું. તેમના વર્તનથી વિશ્વ સમક્ષ ભારતીય મૂલ્યોનું ચિત્ર રજૂ થયું જેના પર દરેક ભારતીય ગર્વ કરે છે.

મિત્રો,

આપણા દેશે સેંકડો વર્ષોની ગુલામી દરમિયાન અપાર આર્થિક અને સામાજિક નુકસાન સહન કર્યું. આપણા પૂર્વજોએ સદીઓ સુધી સંઘર્ષ કર્યો. મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને અન્ય ઘણા મહાનુભાવોએ ભારતનું પુનર્નિર્માણ કરવાનું સ્વપ્ન જોયું હતું. એક એવું ભારત જ્યાં ગરીબમાં ગરીબ, સૌથી વંચિત, સફળતાના શિખર પર પહોંચવાની તક મળી શકે. કોવિંદજી જેવા વ્યક્તિઓએ પોતાની મહેનત અને ક્ષમતા દ્વારા માત્ર પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું જ નથી, પરંતુ તેમણે સદીઓ જૂના સ્વપ્ન, તે દ્રષ્ટિને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અને આ દિશામાં આપણા પ્રયાસો હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં આપણને કોવિંદજી જેવા ઘણા યુવાનોની જરૂર છે, જેઓ પ્રતિકૂળતાથી હાર માનતા નથી, જેઓ મુશ્કેલીઓનો સામનો કરીને નિરાશ થતા નથી, પરંતુ જેઓ પોતાની મહેનત દ્વારા દરેક લક્ષ્યને શક્ય બનાવવાની હિંમત ધરાવે છે. આ પરિવર્તન એક મજબૂત ભારત બનાવવાના સંકલ્પને પૂર્ણ કરશે. આ તે સ્થાન છે જ્યાં આત્મનિર્ભર અને વિકસિત ભારતનો માર્ગ મોકળો થશે.

મિત્રો,

કોવિંદજીની આત્મકથા આવી યુવા શક્તિના નિર્માણ માટે પ્રેરણાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે.

મિત્રો,

કોવિંદજીએ પોતાના જીવનચરિત્રમાં મોરારજી દેસાઈ સાથેના પોતાના અનુભવો વિશે પણ વિગતવાર જણાવ્યું છે. કોવિંદજીનો દેશભક્તિ પ્રત્યેનો જુસ્સો, મોરારજી દેસાઈ સાથે કામ કરવાથી તેમણે શીખેલા પાઠ અને તેમણે શોધેલો માર્ગ. કોવિંદજી રાજકારણ અને સમાજ સેવાને પોતાના માર્ગ તરીકે પસંદ કરી. તેઓ પોતાની ફરજો પ્રત્યે સમર્પિત રહ્યા. તેમણે સેવાને પોતાના ધ્યેય તરીકે રાખી કામ કર્યું. સંસદમાં તેમનો કાર્યકાળ આ વાતનો સાક્ષી છે. તેમણે રાજ્યપાલ તરીકે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું. રાષ્ટ્રપતિ તરીકે પણ આપણે આ જ સમર્પણ જોવા મળ્યું. રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પરથી નિવૃત્ત થયા પછી પણ, તેમણે આરામ કર્યો નથી. તેઓ હજુ પણએક રાષ્ટ્ર, એક ચૂંટણીના મહત્વપૂર્ણ મુદ્દા પર કામ કરી રહ્યા છે. તેઓ રાષ્ટ્રને જાગૃત કરી રહ્યા છે. આ એક એવો વિષય છે જેનો ઉકેલ દેશના લોકશાહીમાં એક નવો અધ્યાય ખોલી શકે છે. મારું માનવું છે કે દેશના લોકો કોવિંદજીના સમર્પણ અને સેવાની ભાવનાથી ઘણું શીખી શકે છે.

મિત્રો,

સામાજિક જીવનમાં સક્રિય રહીને આત્મકથા માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. કોવિંદજીએ આપણા બધા માટે આ કર્યું છે, કારણ કે તેમના જીવનમાં ઘણું બધું છે જેનાથી ગરીબ અને વંચિત પૃષ્ઠભૂમિના ઘણા લોકો પોતાના જીવનનું પ્રતિબિંબ જોઈ શકે છે. કેવી રીતે એક સામાન્ય પરિવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શુદ્ધતા અને પ્રામાણિકતા સાથે સમાધાન કરતો નથી, કેવી રીતે તે આદર્શો પાછળથી આપણા જીવનનો પાયો બને છે, કેવી રીતે આપણા મુશ્કેલ સમયના મૂલ્યો આપણા જીવન દરમ્યાન આપણા જીવનને પ્રકાશિત કરે છે, કેવી રીતે આ પવિત્રતા આપણને રાષ્ટ્રની સેવા કરવાની શક્તિ આપે છે. વિવિધ હોદ્દાઓ સંભાળતી વખતે, કોવિંદજીએ સમાજને સતત આ રીતે પ્રેરણા આપી છે.

મિત્રો,

મને વિશ્વાસ છે કે કોવિંદજીની આત્મકથા ફક્ત તેમના જીવનની જ નહીં પરંતુ આપણા લોકશાહીની પણ મહત્વપૂર્ણ સ્મૃતિઓને સુરક્ષિત રાખશે. હું ફરી એકવાર તેમને તેમની આત્મકથા માટે શુભકામનાઓ પાઠવું છું. અને હું ખાસ કરીને યુવા પેઢીને આગ્રહ કરીશ, આ રીલનો જમાનો છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તમને ખેંચીને ક્યાંક ને ક્યાંક લઈ જાય છે. શોર્ટકટના આ યુગમાં પણ આપણે એક વાત યાદ રાખવી જોઈએ, રેલવે સ્ટેશનો પર એક બોર્ડ હોય છે જેમાં લખ્યું હોય છે, કેટલાક લોકોને પાટા પર કૂદવાની અને પુલનો ઉપયોગ ન કરવાની આદત હોય છે. તો ત્યાં લખ્યું હોય છે-  “શોર્ટકટ વિલ કટ યૂ શોર્ટ. અને જો તમારે શોર્ટકટના રસ્તેથી જ બહાર નીકળવું છે તો, હું યુવાનોને ગમે તે આત્મકથા વાંચવા માટે પ્રોત્સાહિત કરીશ. આત્મકથાઓ તે સમયગાળાની ઐતિહાસિક ઘટનાઓને અલગ રીતે સમજવાની તક પૂરી પાડે છે. જીવનચરિત્ર ઇતિહાસની ખૂબ નજીક છે અને તેથી હું ચોક્કસપણે આશા રાખું છું કે કોવિંદજીની મહેનત ભવિષ્યની પેઢીઓ માટે, ખાસ કરીને યુવા પેઢી માટે ઉપયોગી થશે. ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]