પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બેઠકમાં અધિકૃત ‘ટેકનોલોજી ગ્રુપ’ની રચનાને મંજૂરી આપી હતી.
વિગતઃ
કેબિનેટે ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફીક એડવાઈઝરના અધ્યક્ષપદે 12 સભ્યોના ટેકનોલોજી ગ્રુપની રચનાને મંજૂરી આપી છે. આ જૂથ અતિ આધુનિક ટેકનોલોજી અંગે, ટેકનોલોજીના આકલન અંગે અને ટેકનોલોજી પ્રોડક્ટસ તથા નેશનલ લેબોરેટરી અને સરકારી સંશોધન અને વિકાસ સંસ્થાઓમાં વિકસાવાયેલી ટેકનોલોજીના ઉપયોગ અને વ્યાપારીકરણ બંને અંગે સમયસર નીતિ વિષયક સલાહ આપશે. કેટલીક પસંદગીની ટેકનોલોજી માટે સ્વદેશીકરણ અને ટેકનોલોજી વિકાસના યોગ્ય સંશોધન અને વિકાસ કાર્યક્રમો પસંદ કરવા અંગે માર્ગદર્શન આપશે.
મુખ્ય અસરઃ
આ ટેકનોલોજી ગ્રુપ નીચે મુજબની કામગીરી સંભાળશેઃ
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
ટેકનોલોજી ગ્રુપની કામગીરીના ત્રણ સ્થંભો નીચે મુજબ છેઃ
આ ટેકનોલોજી ગ્રુપ નીચેની બાબતોની ખાત્રી રાખશેઃ
પૂર્વભૂમિકાઃ
ટેકનોલોજી સેક્ટરમાં 5 મહત્વના મુદ્દાઓ છેઃ (અ) નવી ટેકનોલોજીના વિકાસ માટે સંગ્રહ વ્યવસ્થા (બ) ઔદ્યોગિક વિકાસને લાગુ પડતા નહીં વિકસાવાયેલા અને અમલમાં નહીં મૂકાયેલા ટેકનોલોજીના ધોરણો (ક) બેવડા વપરાશ માટેની વ્યાપારી ધોરણે ઉપયોગમાં નહીં લેવાયેલી ટેકનોલોજી (ડ) ટેકનોલોજી વિકાસના પ્રયાસો સાથે નહીં જોડાયેલા સંશોધન અને વિકાસના કાર્યક્રમો (ઈ) સમાજ અને ઉદ્યોગ માટે મહત્વની ઉપયોગિતા માટેની ટેકનોલોજીનું આકલન. આ ટેકનોલોજી જૂથની રચના ઉપર દર્શાવેલી સમસ્યાઓને હલ કરવા માટે કરવામાં આવી છે.
RP