પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતી પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સમજૂતી નીચેનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાની સુવિધા પ્રદાન કરે છેઃ
આ સમજૂતી બંને દેશોનાં પ્રતિનિધિઓને સમાવતાં સંયુક્ત કાર્યકારી જૂથ રચવાની જોગવાઈ પ્રદાન કરે છે, જેનું કામ સહકારની યોજનાઓ તૈયાર કરવા માટે હશે, આ સમજૂતીનાં અમલીકરણ દરમિયાન ઊભી થયેલી સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરવાનું હશે અને બંને પક્ષો દ્વારા નક્કી થયેલા કાર્યોનાં અમલીકરણ પર નજર રાખવાનું હશે. કાર્યકારી જૂથની બેઠકો ઓછામાં ઓછા દર બે વર્ષે યોજાશે, એક વાર ભારતમાં તો પછી ઉઝેબિકસ્તાનમાં. આ સમજૂતી હસ્તાક્ષરની તારીખથી અમલમાં આવશે અને પાંચ વર્ષનાં ગાળા માટે લાગુ રહશે, પછી પાંચ વર્ષ માટે ઓટોમેટિક રિન્યૂ થશે. આ સમજૂતી કોઈ પણ પક્ષ રદ કરવાની જાણકારી આપ્યાનાં તારીખથી છ મહિના પછી રદ થશે.
NP/J.Khunt/RP