પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છેઃ
મુખ્ય અસર:
આ મંજૂરીથી FACTને બેંકનું ઋણ ઘટાડવામાં અને ખાતરની ઉત્પાદન ક્ષમતા વધારવા અને માલ પરિવહન/કાચા માલનું સંચાલન કરવાની ક્ષમતાને અપગ્રેડ કરીને પ્રોજેક્ટનો અમલ કરવા મદદ મળશે.
લાભઃ
FACTને નવેસરથી બેઠી કરવાથી કંપનીનાં વિસ્તરણ અને વૈવિધ્યકરણ માટે તકોનું સર્જન થશે, જેનાં પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું વધારે સર્જન કરવામાં મદદ મળશે. આની ચોખ્ખી અસરને પગલે કેરળ રાજ્યનાં અર્થતંત્રને વેગ મળશે અને દક્ષિણ ભારતમાં ખાતરની ઉપલબ્ધતામાં વધારો થશે. ખાતર અને રસાયણોની આયાત પર નિર્ભરતામાં ઘટાડો થવાથી દેશનાં વિદેશી વિનિમયમાં બચત થશે તેમજ ખાતર તથા ખાદ્ય સુરક્ષામાં વધારો પણ થશે. જમીનનાં વેચાણનાં અમલીકરણ પર નજર રાખવા નિયત સમયમર્યાદાનીસમાવેશકતા દ્વારા જમીનનાં વેચાણ પછી કામગીરી હાંસલ કરવા મેનેજમેન્ટની જવાબદારી સુનિશ્ચિત થશે. આ એકમકાચામાલઅને ઇંધણ તરીકે સ્વચ્છ એલએનજી તરફ વળ્યું છે, જેનાથી ઊર્જાદક્ષતા અને પર્યાવરણલક્ષી અનુકૂળતામાં સુધારો થશે.
DK/NP/J.Khunt/GP/RP