પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પર્યટન ક્ષેત્રમાં ભારત અને ક્રોએશિયા વચ્ચેના સમજૂતી કરારને પૂર્વવર્તિ અસરથી મંજૂરી આપી દીધી છે.
પર્યટન ક્ષેત્રમાં થયેલા આ સમજૂતી કરારથી બંને દેશોનાં પર્યટન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક સંસ્થાગત વ્યવસ્થા વિકસિત કરવામાં મદદ મળશે.
રાષ્ટ્રપતિની ક્રોએશિયાની યાત્રા દરમિયાન 26 માર્ચ, 2019નાં રોજ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
RP