પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં ભારત અને જીનિવા વચ્ચેના સમજૂતી કરારોને મંજૂરી આપી હતી.
ઉદ્દેશ્ય:
આ સમજૂતી કરારના ઉદ્દેશ્યો નીચે મુજબ છે:
• સહયોગાત્મક સંસ્થાગત સંબંધ માટેનો પાયો સ્થાપિત કરવો.
• બંને પક્ષો વચ્ચે પારસ્પરિક ફાયદા, સમાનતા અને આદાન-પ્રદાનના આધાર પર પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય ટેકનીકલ સહયોગને પ્રોત્સાહન આપવું અને તેને આગળ વધારવું.
• સહયોગના ક્ષેત્રમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, જૈવ ઊર્જા અને વેસ્ટ ટુ એનર્જી, સ્મોલ હાયડ્રો સ્ટોરેજ તથા ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે.
આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે.
DS/RP