Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ની ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ) હેઠળ લોનની મુદ્દત 15 વર્ષથી વધારીને 20 કરવા મંજૂરી આપીમધ્યમ આવક ધરાવતા જૂથ માટે નવી સીએલએસએસ રજૂ કરવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નીચેની દરખાસ્તો માટે કાર્યોત્તર મંજૂરી આપી છેઃ

 

  • પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અભિયાનની વર્ટિકલ ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ) (જેનું નામ બદલીને ઇડબલ્યુએસ (ઓછી આવક ધરાવતા વર્ગ)/એલઆઇજી (ઓછી આવક ધરાવતું જૂથ) માટે સીએલએસએસ કરવામાં આવ્યું છે) અંતર્ગત લોનની મુદ્દત 15 વર્ષથી વધારીને 20 વર્ષ કરવી. હવે તેનું નામ બદલાઈને સમાજના આર્થિક રીતે નબળા વર્ગો/ઓછી આવક ધરાવતા જૂથ માટે સીએલએસએસ થશે;

 

  • એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) કેટેગરીને લક્ષ્યાંક બનાવવા એમઆઇજી માટે નવી ક્રેડિટ-લિન્ક્ડ સબસિડી સ્કીમ પ્રસ્તુત કરવી;

 

  • પીએમએવાય (શહેરી) (હવે ઇડબલ્યુએસ/એલઆઇજી માટે સીએલએસએસ)ના સીએલએસએસ વર્ટિકલ હેઠળ કેન્દ્રીય નોડલ એજન્સીઓ (સીએનએ) સાથે સમજૂતીકરાર (એમઓયુ) કરનાર મુખ્ય ધિરાણ સંસ્થાઓ (પીએલઆઇ)ને એમઆઇજી માટે સીએલએસએસને તેમના એમઓયુમાં કામગીરી વધારવાનો વિકલ્પ પૂરો પાડવો, જે માટે લાગુ કરી શકાય તેવા યોગ્ય ફેરફારો કરવાની છૂટ આપવી;

 

  • આ યોજનાઓ હેઠળ મંજૂર થયેલ લોન્સ માટે પીએલઆઇને ચુકવવાપાત્ર પ્રોસેસિંગ ફીને તાર્કિક બનાવવી/પ્રસ્તુત કરવી;

 

  • એમઆઇજી માટે સૂચિત સીએલએસએસ માટે બીઇ સ્ટેજ પર 2017-18 માટે બજેટમાં શરૂઆતમાં રૂ. 1000 કરોડની ફાળવણી અને

 

  • હવાલો સંભાળતા મંત્રાલયની મંજૂરી સાથે એમઆઇજી માટે સીએલએસએસની કાર્યકારી માર્ગદર્શિકા બહાર પાડવી.

 

ઉદ્દેશો

  1. હાલના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) – તમામ માટે મકાન પૂરું પાડવાના અભિયાન હેઠળ આર્થિક રીતે પછાત વર્ગ (ઇડબલ્યુએસ) અને ઓછી આવક ધરાવતા જૂથ (એલઆઇજી) સેગમેન્ટ્સ માટે ઓફટેકમાં વૃદ્ધિ;

 

  1. મધ્યમ આવક ધરાવતા જૂથ (એમઆઇજી) સુધી પહોંચવું;

 

  1. મુખ્ય ધિરાણ સંસ્થાઓ (પીએલઆઇ) માટે પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવશે;

 

  1. હાઉસિંગ અને શહેરી વિકાસ ક્ષેત્રમાં ભાગીદારી વધારવા પીએલઆઇને પ્રોત્સાહન પુરું પાડવામાં આવશે;

 

  1. અંદાજપત્રીય જોગવાઈઓ મારફતે જરૂરી ભંડોળ પુરું પાડીને ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને

 

  1. કાર્યક્રમોની પ્રક્રિયાઓ/અમલીકરણની સ્પષ્ટ પરિભાષાકરવામાં આવશે.

વર્ષ 2022 સુધી તમામને મકાન પૂરા પાડવા આ યોજનાઓની પહોંચ સમાજના ઇડબલ્યુએસ (આર્થિક રીતે પછાત વર્ગ), એલઆઇજી (ઓછી આવક ધરાવતા જૂથ) અને એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) સેગમેન્ટ વચ્ચે વિસ્તૃત સહભાગીદારી સુનિશ્ચિત કરશે, જેથી સમાનતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત થશે.

 

પીએલઆઇ લાયકાતના માપદંડો પૂર્ણ થયા પછી લાભાર્થીઓના હોમ લોન ખાતાઓમાં વ્યાજની સહાય જમા કરશે.

 

એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) માટે સૂચિત વ્યાજ સહાય યોજના આ કેટેગરીના લોકોની મકાનોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નવીન અભિગમ છે.

 

 

AP/JKhunt/TR/GP