પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને કિંગડમ ઑફ સાઉદી અરેબિયાના સાઉદી કમીશન ફોર પ્રવાસન એન્ડ નેશનલ હેરિટેજ વચ્ચેનાં સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશ્યો આ મુજબ છે:
પૂર્વભૂમિકા:
ભારત અને સાઉદી અરેબિયા લાંબા સમયના મજબૂત રાજદ્વારી અને લાંબા આર્થિક સંબંધો ધરાવે છે. વર્તમાન સંબંધોને હવે વધુ મજબૂત બનાવવાની અને આગળ વિકસિત કરવાની ઈચ્છા ધરાવતા બંને પક્ષોએ ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને સાઉદી અરેબિયા કિંગડમના સાઉદી કમીશન ફોર ટુરીઝમ એન્ડ નેશનલ હેરિટેજની વચ્ચે પ્રવાસનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે આ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં ભારત માટે સક્ષમતા ધરાવતા પ્રવાસીઓને આકર્ષતા અનેક બજારોમાનું એક છે. સાઉદી અરેબિયા સાથેના સમજૂતી કરારો આ સ્રોત બજારમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યાને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
RP