પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બેનામી સંપત્તિ લેવડ-દેવડ અટકાયત કાયદો (પીબીપીટી), 1988 અંતર્ગત ન્યાય આપનાર સત્તાની નિમણૂંક અને અપીલીય ન્યાયાધિકરણની રચના કરવા માટે મંજૂરી આપી દીધી છે.
મુખ્ય લાક્ષણિકતાઓ:
ફાયદાઓ:
આ મંજૂરી મળવાથી ન્યાય આપનાર સત્તાને સુપરત કરવામાં આવતા કેસોના અસરકારક અને વધુ સારા નિરાકરણમાં પરિણમશે અને અપીલીય ન્યાયાધિકરણ સમક્ષ ન્યાય આપનાર સત્તાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ અરજીઓનો ઝડપી નિકાલ લાવશે.
ન્યાય આપનાર સત્તાની નિમણુક પીબીપીટી કાયદા અંતર્ગત વહીવટી પગલાઓની પ્રાથમિક તબક્કાની સમીક્ષા પૂરી પાડશે. પ્રસ્તાવિત અપીલીય ન્યાયાધિકરણની રચના થવાથી પીબીપીટી કાયદા અંતર્ગત ન્યાય આપનાર સત્તા દ્વારા પસાર કરવામાં આવેલ ઓર્ડર માટે એક અપીલીય માળખું તૈયાર કરવામાં આવશે.
GP/RP