પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બોલિવિયા વચ્ચે શાંતિપુર્ણ હેતુઓ માટે બાહ્ય અવકાશના વપરાશ અને સંશોધનમાં સહકાર અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. ભારતના રાષ્ટ્રપતિની બોલિવિયાની મુલાકાત દરમિયાન બોલિવિયાના સાન્ટા ક્રુઝ ડે લા સિએરા ખાતે 29 માર્ચ, 2019ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો અને બોલિવિયાની અંતરિક્ષ સંસ્થા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
વિગતોઃ
આ સમજૂતી કરાર દ્વારા અવકાશ વિજ્ઞાન, પૃથ્વીના રિમોટ સેન્સીંગ, ઉપગ્રહ સંચાર, ઉપગ્રહ આધારિત નેવીગેશન, અવકાશ વિજ્ઞાન તથા ગ્રહોના સંશોધન, અવકાશ યાન અને અવકાશ પ્રણાલીનો ઉપયોગ તથા ગ્રાઉન્ડ સીસ્ટમ અને અવકાશી તકનીકીના ઉપયોગ જેવા ક્ષેત્રે ટેકનોલોજી અને એપ્લીકેશન જેવા પરસ્પર હિતો અંગે સહકાર સુનિશ્ચિત થશે.
આ સમજૂતી કરાર અંતર્ગત સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરાશે. જેમાં ઇસરો તથા બોલિવિયન સ્પેસ એજન્સી-એબીઇના સભ્યોનો સમાવેશ કરાશે. આ કાર્યકારી જૂથ સમજૂતી કરારની બાબતોનું નિયત સમય મર્યાદામાં અમલીકરણ માટેની કાર્યયોજના ઘડશે.
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
સમજૂતી કરાર પર હસ્તાક્ષર બાદ વિશેષ અમલીકરણ વ્યવસ્થા અને નિયત સમયમર્યાદામાં સમજૂતી કરારની બાબતોમાં અમલીકરણ માટે કાર્યયોજના ઘડવા કાર્યકારી જૂથની રચના કરવી.
મુખ્ય અસરોઃ
આ સમજૂતી કરાર દ્વારા પૃથ્વીના રિમોટ સેન્સીંગ ક્ષેત્રે નવી ગતિવિધિઓ, સંશોધન અને તેનો ઉપયોગ, ઉપગ્રહ નેવીગેશન, અવકાશ વિજ્ઞાન અને ગ્રહોના સંશોધન ક્ષેત્રને નવું પ્રોત્સાહન મળશે.
ખર્ચની માહિતીઃ
દરેક વિશિષ્ટ પ્રવૃત્તિઓ અંગે નાણાંકીય યોગદાન સંયુક્ત ગતિવિધિઓની પ્રવૃત્તિ પર આધારિત રહેશે અને અનુરૂપ અમલીકરણ કરારમાં તે અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરાશે.
લાભોઃ
આ સમજૂતી કરાર દ્વારા માનવતાના લાભાર્થે અવકાશી તકનીકી ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે, જેના દ્વારા દેશના તમામ વર્ગો તથા વિસ્તારોને લાભ મળશે.
પૃષ્ઠભૂમિઃ
DK/NP/J.Khunt/GP/RP