પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય રેલવેને ઊર્જા ક્ષેત્રમાં સ્વનિર્ભર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ (બ્રિટન સરકાર)ની સાથે સમજૂતી કરાર પર 02.12.2019નાં રોજ થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.
અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંક
રેલવે મંત્રાલયે ભારતીય રેલવેને ઊર્જા બાબતોમાં સ્વનિર્ભર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ (બ્રિટન સરકાર) સાથે નીચેની સમજૂતીઓ કરી છેઃ
પૃષ્ઠભૂમિ
રેલવે મંત્રાલયે ઊર્જા ક્ષેત્રમાં વિકાસ માટે ટેકનિક, નીતિ, સંશોધન અને વ્યાવસાયિક પાસાંઓમાં સહયોગ માટે સમજૂતી કરાર/ફેરફારોનું વ્યવસ્થાપન કરવા માટે હસ્તાક્ષર કર્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ માળખાગત સુધારાને ટેકો આપવા તથા ઇલેક્ટ્રિસિટી ગ્રીડથી અક્ષય ઊર્જાને જોડવાનો છે. એનો ખાસ ઉદ્દેશ અગાઉથી વધારે સતત અને સર્વાંગીણ આર્થિક વૃદ્ધિ, ઊર્જાને શ્રેષ્ઠ સુરક્ષા અને કાર્બનનાં ઓછા ઉત્સર્જનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.
ભારતીય રેલવે માટે આ સમજૂતી કરારો/ફેરફારોનું વ્યવસ્થાપન રેલવે ક્ષેત્રમાં નવીન વિકાસ અને જાણકારીને સંયુક્ત કરવાનો મંચ પ્રદાન કરે છે. આ સમજૂતીકરારો/ફેરફારોનું વ્યવસ્થાપન કરવાની ટેકનિકલ કુશળતા, રિપોર્ટ, ટેકનિકલ દસ્તાવેજો, તાલીમનું આદાનપ્રદાન અને અક્ષય ઊર્જા જેવા વિશેષ ટેકનોલોજીકલ ક્ષેત્રો પર સેમિનાર/કાર્યશાળાઓ આયોજિત કરવા અને જાણકારી આપવા મંચ પ્રદાન કરાવે છે.
NP/GP/DS