પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગરિક ઉડ્ડયન સુરક્ષામાં સહકારના સંવર્ધન અને વિકાસ માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.
આ એમઓયુ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની ઓથોરિટીઝને ઓસ્ટ્રેલિયન ઉડ્ડયન ઓથોરિટીઝની કુશળતા જાણવાની અને ભારતમાં ઉડ્ડયન સુરક્ષાનું સંપૂર્ણ વાતાવરણ સુધારવાની તક પૂરી પાડશે.
આ એમઓયુ આંતરરાષ્ટ્રીય નીતનિયમોનું પાલન કરશે તેમજ બંને દેશો વચ્ચે સુરક્ષા સહકારના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપશે.