Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ગ્રીસ વચ્ચે હવાઈ સેવા સમજૂતીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ગ્રીસ વચ્ચે થયેલા એર સર્વિસીસ એગ્રીમેન્ટ (એએસએ – હવાઈ સેવા સમજૂતી)ને મંજૂરી આપવામાં આવી હતી.

 

આ સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સાથે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે. તે બંને દેશોની એરલાઇનને સલામતી અને સુરક્ષા સાથે વાણિજ્યિક તકો પૂરી પાડશે, ત્યારે સતત અને સાતત્યપૂર્ણ જોડાણ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરશે.

 

એએસએની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ

  1. બંને દેશો એક કે વધારે એરલાઇન નિયુક્ત કરવાનો અધિકાર ધરાવશે.
  2. કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના વેચાણના પ્રોત્સાહન માટે અન્ય દેશના વિસ્તારોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.
  3. બંને દેશોની નિયુક્ત એરલાઇન્સને ચોક્કસ રુટો પર સંમત સેવાઓ કાર્યરત કરવાની વાજબી અને સમાન તક મળશે.
  4. કોઈ પણ પક્ષની નિયુક્ત એરલાઇન એ જ પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે સહકારી માર્કેટિંગ સમજૂતીઓ કરી શકે છે.
  5. રુટ શીડ્યુલ મુજબ, ભારતીય એરલાઇન્સ ભારતમાં કોઈ પણ પોઇન્ટ પરથી ગ્રીસમાં એથેન્સ, થેસ્સાલોનિકી, હેરાક ઇયોન અને પાછળથી નક્કી કરવામાં આવનાર 3 પોઇન્ટ સુધી ઓપરેટ કરી શકે છે, ત્યારે હેલેનિક પ્રજાસત્તાકની એરલાઇન્સ ભારતના 6 મેટ્રો એટલે કે નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નાઈમાં સીધી કામગીરી સ્થાપિત કરી શકે છે. ભારત અને ગ્રીસની નિયુક્ત એરલાઇન્સ માટે કોઈ પણ પોઇન્ટ ઇન્ટરમીડિએટ અને તેનાથી એક હદ સુધી આગળના પોઇન્ટમાં ઉપલબ્ધ થશે.

અત્યારે ભારત અને ગ્રીસ વચ્ચે કોઈ એએસએ નથી. બંને દેશોનું પ્રતિનિધિમંડળ 6-7 સપ્ટેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં મળ્યું હતું તથા એએસએના અંતિમ મુસદ્દાને તૈયાર કર્યો હતો. નવીન ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) ટેમ્પ્લેટ મુજબ આ સમજૂતી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નવીન હિલચાલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓનું જોડાણ વધારવાનો છે.

 

JKhunt/TR/GP