Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને પેરુ વચ્ચેની સમજૂતિને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લીમા, પેરૂ ખાતે મે 2018માં ભારત અને પેરૂ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપી હતી.

આ સમજૂતિનો ઉદ્દેશ નવીન અને નવીનીકરણીય ઊર્જાના મામલે પરસ્પરના લાભ અને સમાનતાના આધારે દ્વિપક્ષીય તકનિકી સહયોગ વધારવા માટે સહયોગાત્મક સંસ્થાગત સંબંધ સ્થાપિત કરવાનો છે. આ કરારના અમલીકરણ માટે એક કાર્ય યોજના ઘડવા સંયુક્ત સમિતિની રચના કરવામાં આવી છે.

આ કરાર બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.

***

NP/RP