Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ભારત અને વિદેશી પ્રસારકો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરારોને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ભારત અને વિદેશી પ્રસારકો વચ્ચેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.

ફાયદા:

વિદેશી પ્રસારકો સાથેના સમજૂતી કરારો નીચે મુજબ મદદરૂપ થશે:

  1. જાહેર પ્રસારકોને નવો દૃષ્ટિકોણ અપનાવવામાં;
  2. નવી ટેકનોલોજી અને તીવ્ર સ્પર્ધાની માંગને પહોંચી વળવા માટે નવી વ્યૂહરચનાઓ ઘડવામાં;
  3. મીડિયાના ઉદારીકરણમાં;
  4. વૈશ્વિકરણમાં.

મુખ્ય અસરો:

પારસ્પરિક આદાનપ્રદાન અને કો-પ્રોડક્શનના માધ્યમથી કરવામાં આવેલ કાર્યક્રમોનું પ્રસારણ દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયોનાં દર્શકો/શ્રોતાઓને સમાનતા અને સમાવેશીતા તરફ દોરી જશે. ટેકનિકલ જાણકારી, તજજ્ઞો અને માનવ બળની તાલીમ વડે જાહેર પ્રસારકોને પ્રસારણના ક્ષેત્રમાં આવી રહેલા પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે.

 

DK/NP/J.Khunt/DS/RP