પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સંસદમાં રજૂ કરવા માટે વ્યાવસાયિક અદાલતો, વ્યાવસાયિક ડિવિઝન અને ઉચ્ચ અદાલતોનાં વ્યાવસાયિક ડિવિઝન (સંશોધન) બિલ, 2018ને મંજૂરી આપી દીધી છે.
બિલમાં નીચેનાં લક્ષ્યાંકો હાંસલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે:
પૃષ્ઠભૂમિ
ઝડપથી થઈ રહેલાં આર્થિક વિકાસની સાથે વ્યાવસાયિક પ્રક્રિયાઓ પણ ઝડપથી વધી છે અને સાથે સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાવસાયિક વિવાદોમાં ઝડપથી વધારો થયો છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) અને વિદેશો સાથે વ્યાવસાયિક લેણદેણમાં વધારાથી વ્યાવસાયિક વિવાદોની સંખ્યામાં પર્યાપ્ત વધારો થયો છે.
વ્યાવસાયિક વિવાદો સાથે સંબંધિત કેસોની ઝડપથી પતાવટને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને વિદેશી રોકાણકારો વચ્ચે ભારતીય કાયદાકીય વ્યવસ્થાની સ્વતંત્ર અને જવાબદાર સકારાત્મક છબી બનાવવા માટે, વ્યાવસાયિક અદાલતો, વ્યાવસાયિક ડિવિઝન અને ઉચ્ચ અદાલતોનાં વ્યાવસાયિક અપીલ ડિવિઝન કાયદા, 2015નો અમલ કરવામાં આવ્યો હતો તથા તમામ ન્યાયિક ક્ષેત્રોમાં જિલ્લા સ્તરે વ્યાવસાયિક અદાલતો સ્થાપિત કરવામાં આવી છે. ફક્ત એ ક્ષેત્રોને છોડવામાં આવ્યાં છે, જ્યાં ઉચ્ચ અદાલતો પાસે મૂળ સ્વરૂપે સામાન્ય દિવાની ચુકાદા આપવાનો અધિકાર હતો. આ પાંચ ઉચ્ચ અદાલતો છે – મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને હિમાચલ પ્રદેશ ઉચ્ચ અદાલત, જે ક્રમશઃ મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ શહેરો અને હિમાચલ પ્રદેશ રાજ્યનાં ક્ષેત્રો સાથે સંબંધિત મૂળ સ્વરૂપે સામાન્ય દિવાની ન્યાયિક અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉચ્ચ અદાલતોને એવા ક્ષેત્રોમાં ખંડ-3નાં ઉપખંડ (1)ની જોગવાઈ અનુસાર આ ઉચ્ચ અદાલતોમાં જિલ્લા સ્તર પર કોઈ વ્યાવસાયિક અદાલતો નથી અને તેનાં સ્થાને દરેક ઉચ્ચ અદાલતમાં વ્યાવસાયિક ડિવિઝનની રચના કરવામાં આવી છે. આ પ્રકારનાં વ્યાવસાયિક વિવાદોમાં સૂચિત મૂલ્યની પતાવટ વ્યાવસાયિક અદાલતો અથવા ઉચ્ચ અદાલતની વ્યાવસાયિક ડિવિઝન દ્વારા કરવામાં આવશે, જેનું મૂલ્ય અત્યારે એક કરોડ રૂપિયા છે.
વેપારવાણિજ્ય કરવાની સરળતા વિશ્વ બેંકનો એક સૂચકાંક છે, જેનો સંબંધ અન્ય બાબતો ઉપરાંત કોઈ દેશમાં વિવાદની પતાવટનું વાતાવરણ બન્યું છે, જે કોઈ વ્યવસાયને સ્થાપિત કરવા અને તેને સંચાલિત કરવા રોકાણકાર નક્કી કરવાનાં કાર્યને સરળ બનાવે છે. આ સૂચકાંક વિશ્વ બેંકનાં સમૂહ દ્વારા તૈયાર કરેલ છે અને વર્ષ 2002થી તે દુનિયાનાં લગભગ તમામ દેશોનું મૂલ્યાંકન કરે છે. વેપારવાણિજ્યની સરળતાના ઉચ્ચ રેન્કિગનો અર્થ છે – વ્યવસાય શરૂ કરવા અને તેને સંચાલિત કરવા નિયંત્રણ વાતાવરણ વધારે અનુકૂળ છે. 31 ઓક્ટોબર, 2017નાં રોજ વિશ્વ બેંકે પોતાનાં નવાં વેપારવાણિજ્ય સરળ કરવાનો અહેવાલ વર્ષ 2018 માટે જાહેર કર્યો, જેમા ભારત ટોચનાં 10 વિકાસશીલ દેશોમાંથી એક બનીને બહાર આવ્યો છે અને સૌપ્રથમ વખત ભારતે 30 સ્થાનની આગેકૂચ કરીને 190 દેશોમાં વેપારવાણિજ્ય સરળ બનાવવાની દ્રષ્ટિએ 100મું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેનાથી સાબિત થાય છે કે વેપારવાણિજ્ય સરળ કરવાનાં તમામ મોરચા પર નિયમિત માળખામાં ભારત સર્વશ્રેષ્ઠ પ્રક્રિયાઓને ઝડપથી અપનાવી રહ્યું છે.
J.Khunt/GP