પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા માટે ભારત અને કોરિયા વચ્ચેના સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
સમજૂતી કરારોની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
પૂર્વભૂમિકા:
ભારત અને કોરિયા મજબૂત વ્યૂહાત્મક અને લાંબા આર્થિક સંબંધો ધરાવે છે. બંને પક્ષો હવે પ્રવાસન ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા માટે વર્તમાન સંબંધોને આગળ વધારવા અને મજબૂત બનાવવાની ઈચ્છા ધરાવે છે.
કોરિયા ભારત માટે પૂર્વ એશિયામાંથી આવતા સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતું બજાર છે. એમઓયુ પરના આ હસ્તાક્ષર વડે આ મુખ્ય બજારમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
NP/J.Khunt/GP/RP