Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ

માર્ક ઝુક્કરબર્ગ સાથે ફેસબુક વડામથકમાં આયોજિત ટાઉનહોલ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પ્રધાન મંત્રીના વક્તવ્યનો મૂળ અંશ


મિ. માર્ક ઝુક્કરબર્ગ – પ્રધાન મંત્રી મોદી, ફેસબુક પર આપને આવકારતા ગર્વ અનુભવીએ છીએ. અને હેકર સ્ક્વેરમાં બધાનો તથા અમને લાઈવ નિહાળી રહેલા અમારી કોમ્યુનિટીમાં અમને ભારત અને વિશ્વભરમાંના તમામનો આભાર માનીએ છીએ.

તમે જાણો છો કે ભારત વ્યક્તિગત રીતે આપણી કંપનીના ઈતિહાસમાં ખૂબજ મહત્ત્વપૂર્ણ છે. આ એ વાત છે કે જે મેં ક્યારેય જાહેરમાં કહી નથી અને ખૂબજ ઓછા લોકો જાણે છે, પરંતુ અમારા ઈતિહાસની શરૂમાં – તમામ બાબતો બરોબર થાય એ પહેલા અને અમે કપરા સમયમાંથી પસાર થયા તથા અનેક લોકો ફેસબુકને ખરીદવા માગતા હતા અને વિચારતા હતા કે અમારે કંપની વેચી દેવી જોઈએ – હું ગયો અને મેં મારા એક મેન્ટર સ્ટિવ જોબ્સને જોયા. અને તેઓએ મને કહ્યું કે હું મારી કંપનીના મિશન અંગે જે માનું છું એની સાથે મારે પુનઃ સ્થાપિત થવું હોય તો, મારે એ મંદીરની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં તેઓ એપલ અને તેમના ભાવિ વિઝનમાં ફેરફારની વિચારણા પૂર્વે ભારત ગયા હતા.

તેથી હું ત્યાં ગયો અને એક માસ સુધી પ્રવાસ કર્યો, તથા લોકોને નિહાળ્યા, લોકો કઈ રીતે જોડાય છે એ જોયું, અને અનુભવ્યું કે જો દરેક જણને એક બીજા સાથે જોડવાની શક્તિશાળી આવડત હોય તો વિશ્વ વધુ સારું બની શકે, જેના લીધે મને આપણે જે કંઈ કરી રહ્યા છીએ તેના મહત્ત્વનું પુનઃ ભાન થયું હતું. બસ આ બાબત જ છેલ્લા દસ વર્ષથી મને હંમેશા યાદ રહી ગઈ છે અને અમે ફેસબુકને ઊભી કરી શક્યા છીએ.

ગત વર્ષે દિલ્લીમાં અમે સારી વાટાઘાટ કરી હતી. હવે હું આપની સાથે અને સમગ્ર કોમ્યુનિટી સાથે ભારત અને વિશ્વના ભાવિ અંગે આપ શું વિચારો છો એ બાબતે ચર્ચા કરવા આતુર છું. હું ભવિષ્ય અંગે વિચારું છું તો વ્યક્તિગત રીતે ભારત સંદર્ભે અનેક કારણોથી ઉત્તેજિત થઈ જાઉં છું.

હવે ભારતમાં કરોડો લોકો એવા છે કે જેઓને હજુ પણ આપણે ઈન્ટરનેટ સાથે જોડવાની જરૂર છે. તેમને કનેક્ટ કરવાથી આજે માનવજાતનું પ્રતિનિધિત્વ કરવાની શ્રેષ્ઠ તક મળી શકશે. તેથી હું પ્રધાન મંત્રી મોદીના ડિજીટલ ઈન્ડિયાની વ્યાપક તકને તમામ ભારતીયો માટે વાસ્તવિકતામાં પલટવાની પ્રતિબધ્ધાને હ્દય પૂર્વક બિરદાવું છું, આ ઉપરાંત પ્રધાનંત્રી મોદીએ શહેરીજનો સાથે સીધો સંવાદ સાધવા ઈન્ટરનેટ અને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી બેસાડેલા દાખલાથી હું પોતે પણ ખૂબ જ પ્રભાવિત છું.

એ શાંતિના પ્રસારનો સંદેશ હોય અથવા મહિલાઓના અધિકારો માટેની ઝૂંબેશ, બાળકોના વિકાસની વાત હોય કે પછી ડિજીટલ ઈન્ડિયાની વાત હોય વિશ્વના સૌથી મોટા લોકશાહી તંત્રના વડાએ વિશ્વના તમામ નેતાઓ માટે ભવિષ્યમાં તેઓએ તેમના શહેરીજનો સાથે કઈ રીતે કનેક્ટ થવું જોઈએ એ બાબતે સરસ દાખલો બેસાડ્યો છે.

બધા તેમનો અવાજ ઓનલાઈન સાંભળશે ત્યારે આપણને ભાવિ અંગે અર્થપૂર્ણ વાર્તાલાપ કરવા મળશે. સમાજ કઈ રીતે સાથે મળીને લક્ષ્યને હાંસલ કરી શકાય એ જાણી શકાશે.

તેથી છેલ્લે પ્રધાન મંત્રી 1982માં કેલિફોર્નિયાનો પ્રવાસ ખેડ્યો હતો. તથા એ પછીથી ઘણું બધું બદલાઈ ગયું છે. આજે ભારત વૈશ્વિક નેતૃત્વ ધરાવે છે ભારતીય વ્યાપાર અને સંસ્કૃતિ વિશ્વભરમાં લોકોમાં પ્રસરી રહી છે અને ભારત માટે પ્રગતિ જાળવી રાખવા તેણે ઓનલાઈન લિડર પણ બનવાની જરૂર છે. તથા પ્રધાન મંત્રી મોદી આપ જે દેખાય છે તેનું એક ઉદાહરણ છો. તેથી હું આપ આ લક્ષ્યોને કઈ રીતે જુઓ છો અને શા માટે ભારતના ભાવી પર વિશ્વ આશ્વત છે એ સાંભળવા ઉત્સુક છું.

આપનો આભાર અને વેલકમ ટૂ ફેસબુક

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીઃ માર્ક, હું આપનો આભારી છું કે આજે મને ફેસબુકના હેડ ક્વાર્ટર પર આવીને વિશ્વ જેની સાથે જોડાયું છે એમની સાથે મને આજે પ્રત્યક્ષ જોડાવાની તક મળી છે.

વિજ્ઞાન અને અધ્યાત્મનો સંબંધ આવો પણ હોઈ શકે છે એ જો માર્કે આજે ન જણાવ્યું હોત તો વિશ્વને ખબર પણ ન પડત. અમેરિકાનો એક નવ યુવાન કંઈક કરવાના સપના જુએ છે અને વિજ્ઞાનના વિશ્વમાં જેણે સફળતા મેળવી છે એવા તેના ગુરૂ તેને કહે છે કે કંઈ પણ કરતા પહેલા હિન્દુસ્તાન જાઓ, જ્યાં કોઈક મંદિરમાં જાઓ. અને ત્યાં જઈને તમે તમારી વાત જણાવો, તમને માર્ગ મળી જશે. આ વાત પોતાની રીતે જ એક અજબ વાત છે. આજે વિશ્વના લોકેને ,માર્ક તમારી વાત સાંભળીને ખૂબજ આશ્ચર્ય થયું હશે. તથા હું આશા કરું છું કે જે પ્રેરણા આપને મળી છે, જે પ્રેરણાથી આપે કામ શરૂ કર્યું છે…એ માત્ર કંપનીના બેન્ક ખાતાને વધારનારું કામ નહીં રહે, એ કરોડો – કરોડો લોકોનો અવાજ બનશે. આ વિશ્વના કરોડો – કરોડો લોકોની મહત્વાકાંક્ષાની અભિવ્યક્તિનું માધ્યમ બનશે અને આપનો આ પ્રયાસ સામાન્ય માનવીની આશા – આકાંક્ષાઓને પૂરી કરવાની જેમની જવાબદારી છે તેમને જગાડી રાખશે, અને એ અર્થમાં હું આપના આ પ્રયાસને બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું.

તમે એક પ્રશ્ન કર્યો કે લોકો ભારત પાસે ખૂબજ આશાભરી નજરે જોઈ રહ્યા છે. આપને શું લાગે છે. આપ જ્યારે ભારત આવ્યા, તમે કોઈ મંદિરમાં ભારે આશા ભરેલી નજરો સાથે ગયા, અને જુઓ આપ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આપનો અનુભવ કહે છે કે જે ભારતથી આશાઓ – અપેક્ષાઓ છે, સામર્થ્ય ભારતમાં છે એ આપને આપનો અનુભવ જ બતાવી રહ્યો છે. આ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો – ભલે વર્લ્ડ બેન્ક હોય, આઈએમએફ હોય, વિશ્વની તમામ રેટિંગ સંસ્થાઓ હોય – એક સૂરમાં બધા લોકો કહી રહ્યા છે કે આજે વિશ્વના મોટા દેશોની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જો કોઈ હોય તો એ ભારત છે.

આજે અમે 8 ટ્રિલિયન ડોલર ઈકોનોમી છીએ. મારું સ્વપ્ન છે 20 ટ્રિલિયન ડોલર ઈકોનોમીમાં તબદીલ કરવાનું. અને મારે આ કામ કરવું હશે તો હું ત્રણ વાતો પર જોર આપી રહ્યો છુઃ એગ્રિક્લ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર સેક્ટર. આપ એ લોકો સાથે જોડાયેલા છો કે જેમનું સૌથી મોટું પ્રદાન સર્વિસ સેક્ટરમાં છે. અને હું સર્વિસ સેક્ટરની શક્તિને ખૂબજ મોટી હોવાનું નિહાળી રહ્યો છું.

એકલા પ્રવાસનની વાત કરીએ, એકલા પ્રવાસનની જ. ભારત પાસે પ્રવાસનના ક્ષેત્રમાં એટલી સંભાવના પડી છે, જોબ ક્રિએશનની એટલી સંભાવના પડી છે અને આજની ટેક્નોલોજીએ વિશ્વને એટલી નિકટ લાવીને મૂકી દીધી છે, એટલું પોતીકા પણું પેદા કરી દીધું છે. અને પ્રવાસન વધે તો સર્વિસ સેક્ટરને, જોબ ક્રિએશનને…એટલે કે જીવન ધોરણમાં પરિવર્તન લાવવામાં એક મોટી શક્તિ બને છે. અને એ અર્થમાં હું જોઉં છું કે છેલ્લા વર્ષ સવા વર્ષમાં ભારત પ્રત્યેનો દ્રષ્ટીકોણ બદલાઈ રહ્યો છે, આજે ક્યાંય પણ કોઈ ભારતીયને કોઈક વિદેશી વ્યક્તિને મળવાનો અવસર મળે છે તો તે અત્યંત ગર્વ ભેર જુએ છે.

આટલા ઓછા સમયમાં આ વલણ બદલાઈ જાય, એ વિશ્વાસના મૂળના કારણે હોય છે. અમારી સરકારે છેલ્લા 15 માસમાં સૌથી મોટું કામ ગુમાવેલા વિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાનું કર્યું છે, એક આત્મવિશ્વાસના સ્તરને લાવ્યા છીએ અને હું માનું છું કે એ જ બાબતો બદલાવ લાવે છે. આઈસીયુમાં પડેલો દર્દી, તેને વિશ્વાસ થઈ જાય કે હા મારા ડોક્ટર આવી ગયા છે, હવે હું ઠીક થઈ જઈશ, આઈસીયુ વાળો દર્દી પણ બહાર આવી જાય છે.

મિ. માર્ક ઝુક્કરબર્ગઃ બરોબર છે, તેથી હવે આ મણકામાંથી અમારો પહેલો પ્રશ્ન છે. અમને આ ટાઉન હોલ અંગે અમારી ફેસબુક પોસ્ટ પર 4000 કોમેન્ટ અને પ્રશ્નો મળ્યા છે. આ ખરેખર આશ્ચર્યજનક એન્ગેજમેન્ટ છે.

અને કેટલાક લોકો તેમના પ્રશ્નો પૂછવા આજે આવવાના છે પરંતુ અમે તેમને બોલાવીએ એ પહેલા હું ખરેખર આપને એક પ્રશ્ન પૂછીને શરૂઆત કરવા માગું છું. આપ ઈન્ટરનેટ અને સોશિયલ મિડિયા તથા ફેસબુકને વહેલા સ્વિકારનારાઓમાંના એક છો, તો એ તબક્કે આપે વિચાર્યું હતું કે સોશિયલ મિડિયા અને ઈન્ટરનેટ નાગરિકોના કાર્યો અને નીતિઓના સંચાલન માટે ઈન્ટરનેટ મહત્ત્વપૂર્ણ સાધન બનશે.

પ્રધાન મંત્રી, શ્રી નરેન્દ્ર મોદીઃ મેં જ્યારે સોશિયલ મિડિયાને અપનાવ્યું ત્યારે મને ખબર નહતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બનીશ, કે ક્યારેક પ્રધાન મંત્રી બનીશ. તેથી મેં એ તો વિચાર્યું પણ નહતું કે સોશિયલ મિડિયા મને ગવર્નન્સમાં પણ ઉપયોગમાં આવી શકે છે. હું સોશિયલ મિડિયામાં જોડાયો તો ટેક્નોલોજી પ્રત્યે મારી જીજીવિષા રહેતી હતી. મેં જોયું કે પુસ્તકો દ્વારા વિશ્વને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મનુષ્યનો સ્વભાવ છે કે ટેક્સટબુકને બદલે જો તેને ગાઈડ મળી જાય તો તેને વધુ સારું લાગે છે, અને ગાઈડમાંથી પણ જો કોઈ સ્યોર સજેશન આપી દે છે તો વધુ સારું લાગે છે. મારા માટે સોશિયલ મિડિયાએ આ કામ કર્યું. મને ખુબજ ઓછા સમયમાં બે – ચાર શબ્દોમાં મારે જે વસ્તુની જરુર હતી એ મળી જતી હતી.

અને બીજો લાભ એ થયો કે હું બહુ ભણ્યો તો નથી. મારું એ સૌભાગ્ય ન હતું કે હું વધુ કોઈ જ્ઞાન અર્જિત કરી શકું. પરંતુ મારી એ કમીને સોશિયલ મિડિયાએ પૂરી કરી હતી. બે – ચાર શબ્દોથી પણ મારું આખું વિશ્વ ચાલી જતું હતું. તથા તેમના કારણે મારી વિચાર પ્રક્રિયામાં બહુ મોટો બદલાવ આવ્યો. હું ક્યારેક મારી આસ પાસ હોય એ વિશ્વ અંગે જ વિચારતો હતો, એક પૂરા વિશ્વના ફેલાવ સુધી પહોંચવાનો મને અવસર પ્રાપ્ત થયો. હું જોડાતો જ ગયો, અને વિશ્વ એ પણ મને જેવો છું, એવો જ મને સ્વીકારવાનો શરૂ કરી દીધો.

અને માણસ માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે આપ જેવા છો એવા જ આપને વિશ્વ સ્વીકારી લે તો એનાથી મોટો આનંદનો અવસર બીજો કોઈ ન હોઈ શકે. નહિતર શું થતું હોય છે કે, લોકો કહે છે કે, હા, આપ સારા છો પરંતુ આવું હોત તો સારું હોત, આપ બહુ સારા છો પરંતુ થોડું આ… સોશિયલ મિડિયામાં એ પ્રોબલેમ જ નથી ને. આપ જેવા છો એવો જ વિશ્વ આપનો સ્વીકાર કરે છે. એને કોઈ પ્રશ્ન નથી હોતો. અને એનાથી આપનો વ્યાપ ઘણો ઝડપથી વધી જાય છે. મેં પહેલા જે અનુભવ કર્યો એ આ દાયરાને વધારનારો અનુભવ કર્યો હતો.

હું જ્યારે સરકારમાં આવ્યો તો મારા તમામ દરવાજા ખુલી ગયા. મેં જોયું… સરકારની એક સમસ્યા હોય છે. તેની અને જનતા વચ્ચે એક મોટો ગેપ હોય છે, એક મોટી ખીણ હોય છે. અને ખબર પડે છે ત્યારે પાંચ વર્ષ થઈ જાય છે ચૂંટણી આવી જાય છે., રિઝલ્ટ આવે છે, ત્યારે ખબર પડે છે કે ભાઈ આટલો મોટો ગેપ હતો. સોશિયલ મિડિયાના કારણે ડેઈલી વોટિંગ થાય છે. હું અત્યારે વાત કરી રહ્યો છું ત્યારે પણ વોટિંગ ચાલતુ હશે કે મોદી યોગ્ય કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે.

આજે સોશિયલ મિડિયાની શક્તિ છે કે કોઈ પણ સરકારને – એ ખોટું કરે તો તેને અટકાવે છે, ખોટું કરવાથી ડરે છે, અને ભૂલ સુધારવાનો અવસર પહેલા પાંચ વર્ષમાં એક વખત ચૂંટણી પછી હોય છે જે આજે દરેક પાંચ મિનિટ બાદ હોય છે. હું કબૂલ કરું છું કે આ લોકતંત્રની બહુ જ મોટી તાકાત બની ગયું છે. તેથી હું તમામ રાજ નેતાઓને વિશ્વના તમામ રાજનેતાઓને – સોશિયલ મિડિયાથી ભાગવાથી કંઈ નહીં થાય, આપ જોડાઓ, આપ તેને જાણવાનો પ્રયાસ કરો. સારી સરકાર ત્યારે જ ચાલે છે કે જ્યારે તમારી ઈન્ફોર્મેન્શન ચેનલ અનેક હોય અને રિયલ ટાઈમ ઈન્ફર્મેશન મળતી રહેતી હોય.

સરકારો પાસે પહેલા મેકેનિઝમ હતું તો એ પણ ઘણું ધીમું હતું. ક્યાંક કંઈ થઈ જતું તો 24 કલાક બાદ ન્યૂઝ પેપરમાં આવતું હતું ત્યારે જાણ થતી હતી કે ત્યાં કંઈક થયું છે. આજે 24 સેકન્ડમાં ખબર પડી જાય છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં આવું કંઈક થયું છે.

અને તેથી રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન માટે આ સૌથી મોટો સોર્સ છે. તથા જો ગવર્મેન્ટ જાગૃત છે, સતર્ક છે, કોન્સિયસ છે તો રિયલ ટાઈમ ઈન્ફોર્મેશનથી તે સુધારા પગલાં લઈ શકે છે, પોલિસી ફ્રેમવર્ક બનાવી શકાય છે અને કામની ગતિને ખૂબજ વધારી શકાય છે. અને એ અર્થમાં હું જોઈ રહ્યો છું કે સોશિયલ મિડિયાએ ગવર્નન્સમાં બહુ મોટો રોલ પ્લે કર્યો છે.

આપે મને સવાલ પૂછ્યો ડિપ્લોમસિનો. જુઓ પહેલા તો ડિપ્લોમસી શું હતી. કન્ટ્રી અને કેપિટલ એક બીજા સાથે જોડાતા હતા. દિલ્હી વોશિંગ્ટનથી જોડાતું હતું. દિલ્હી ટોકિયોથી જોડાતું હતું. નેતાઓ સાથે જોડાતા હતા. સોસિયલ મિડિયાના કારણે એક દેશ બીજા દેશના નાગરિકો સાથે જોડાય છે. આજે હું ચાઈનામાં, ચાઈનામાં સોસિયલ મિડિયાનું જુદું સ્ટ્રક્ચર છે, પરંતુ ત્યાં પણ હું એક્ટિવ છું. અને હું ત્યાં ચાઈનીઝ લેન્ગવેજમાં કોમ્યુનિકેટ કરું છું.

આપને આશ્ચર્ય થશે કે મેં ચાઈનાના વિબો પર તેમના પ્રધાન મંત્રીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ચાઈનાના નાગરિકો માટે તેમના પ્રધાન મંત્રીનો જન્મ દિવસ ન્યૂઝ હતા અને એ એટલો વાઈરલ થયો કે સમગ્ર ચાઈનામાં વાયરલ થયો હતો. હવે આ ડિપ્લોમસીનું રૂપ ક્યારેય ક્યાં કોઈએ વિચાર્યું હતું. ક્યારેય નહતું વિચાર્યું. મેં ઈઝરાયલના પ્રધાન મંત્રીને તેમનો ફેસ્ટિવલ થાય છે એ ફેસ્ટિવલ પર હિબ્રુ ભાષામાં શુભેચ્છાઓ પાઠવી હતી. એ વાઈરલ થઈ ગઈ. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમણે મને એનો જવાબ પણ આપ્યો, થેન્કસ હિન્દીમાં મોક્લ્યો. હવે જુઓ આ બાબત, આ ડિપ્લોમસીનું નવું રૂપ છે જે સીધું જનતા સાથે જોડે છે અને કદાચ વિશ્વ એક પરિવાર છે, આ ઈન્ફોર્મેશનમાં, આ સોશિયલ મિડિયા એક કેટાલિટિક એજન્ટના રુપે ખૂબજ મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે.

મિ. માર્ક ઝુકરબર્ગઃ ફેસબુક પર અમારામાંના ઘણાં બધા અત્રે છે એનું એક કારણે એ પણ છે કે તમારા નેતૃત્ત્વથી બધા પ્રભાવિત છે, તેથી અમે આપે હમણાં જે કંઈ અમારા મિશન અંગે કહ્યું એની સાથે ગહન રીતે સંમત છીએ, આના માટે આપનો આભાર.

અમાર બીજો પ્રશ્ન વીર કશ્યપ તરફથી છે. વીર આપ શા માટે અમને નથી જણાવતા કે આપ ક્યાંથી છો.

મી. વીર કશ્યપઃ મોર્નિંગ, પ્રધાન મંત્રી મોદી અને માર્ક. અત્રે અમારી સાથે હોવા બદલ આભાર. તાજેતરમાં હું બેંગલોરમાં રહું છું, અને હું ભારત આઠ વર્ષ પહેલા સ્થિર થયો હતો, અને મેં ભારતમાં ડિજીટલ ક્રાંતીની અસર જોતા તેમાં વિપુલ તકો જણાતા મારી કંપની સાથે મળીને ઊભી કરી હતી, તથા ઈન્ટરનેટના ઉપયોગથી કરોડો લોકોને દેશભરમાં વધુ સારો રોજગાર મળે એમ કર્યું હતું. હું હંમેશા માનતો આવ્યો છું કે ભૂતકાળમાં મોટા ભાગે સરકારો ફિઝિકલ ઈન્ફ્રાસ્ટક્ચર પર રોકાણ કરતી હતી, એ દિવસો અને એ તબક્કે, સરકારોની ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં મુખ્ય ભૂમિકાઓમાંની આ એક હતી કે જેથી નાગરિકો જોડાઈ શકતા હોત અને સમાજના પ્રોડકટિવ સિટીઝન બનતા હતા. તેથી, પ્રધાન મંત્રી, મારો સવાલ આપને એ છે કે આપની સરકાર આગામી 800 મિલિયનથી બિલિયન લોકોને ભારતમાં કનેક્ટ થઈ શકે એ માટે કેવું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે.

પ્રધાન મંત્રી, શ્રી નરેન્દ્ર મોદીઃ વીર, હું આપનો બહુજ આભારી છું કે આપે ભારત આવીને આપનું નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો છે. હું એનું સ્વાગત કરું છું અને વીરથી પ્રેરણા લઈને અહીંનો અન્ય યુવાનો ચોક્ક્સ ભારત આવવાનું પસંદ કરશે. એ વાત સાચી છે કે ભારતને બે વાતો પર બરોબર જોર આપવું પડશે. એક ફિઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેને અમે નકારી શકીએ એમ નથી કેમ કે મારા દેશની એ જરૂરિયાત છે. અને બીજુ ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેમકે હું પહેલા આ કામ કરું, પછી બીજું કરું, પછી ત્રીજું કરું, તો તો સમય ચાલ્યો જશે. તો મારે સમાતંર રીતે આ તમામ બાબતો કરવી પડશે. અને એ મારું કન્વિકશન છે કે આજની 21મી સદીમાં જેટલું મહત્ત્વ હાઈવેઝનું છે એટલું જ મહત્ત્વ આઈ – વેઝનું છે. હાઈવે પણ જોઈએ અને ઈન્ફોર્મેશન વેઝ પણ જોઈએ. ભારતમાં 6,00,000 વિલેજ છે. આ આંકડો જ એટલો મોટો છે કે લોકોને એનાથી જ બીક લાગી જાય છે. અને આશરે અઢી લાખ પંચાયતો છે. મારો પ્રયાસ છે કે આગામી પાંચ વર્ષમાં આ તમામ ગામોને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડી દઉં. જે લોકો ભારતથી પરિચિત છે, અને વિશ્વમાં પણ આપ જોશો તો માનવ સંસ્કૃતિનો જે વિકાસ થયો છે – પહેલા લોકો એ સ્થાને વસતા હતા જ્યાં નદીઓ પાસે હતી. જ્યાં નદી હશે તેની બાજુમાં નગરો વસતા હતા, સમય બદલાઈ ગયો, જ્યાંથી હાઈવે પસાર થતા હતા શહેર ત્યાં વસવા લાગ્યા. આવનારા દિવસોમાં જ્યાંથી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પસાર થશે ત્યાંથી શહેર વસવાના છે.

આ બદલતા વિશ્વને આપણે નિહાળવો જોઈએ. અને તેથી અમારો એ પ્રયાસ છે કે અમે ગવર્નન્સમાં ટેકનોલોજીને મોટા પ્રમાણમાં લાવી રહ્યા છીએ. પારદર્શકતા માટે એ અત્યંત ઉપયોગી થઈ રહ્યું છે. ઈફેક્ટિવ ગવર્નન્સ કરવું છે, ઈઝી ગવર્નન્સ કરવું છે. એટલું જ નહીં ઈકોનોમિકલ ગવર્નન્સ કરવું છે. તો આ ટેક્નોલોજી બહુ મોટી તાકાત છે. તો સરકારના ફાયદા માટે પણ મારા માટે ફજીયાત છે કે હું મારું સમગ્ર સિપ્ટિંગ ડિઝીટલ વર્લ્ડનું જ કરું. તો એક તો ઈન્ફ્રસ્ટ્રકચર વર્લ્ડ હોય, જ્યાં પૈસાનો સવાલ છે તો નથી, નથી માનતો કે આજે વિશ્વમાં પૈસાની કોઈ કમી છે. અનેક દેશોને ખબર નથી કે પૈસા ક્યાં લગાવવા. હું તેમને સરનામું આપી રહ્યો છું કે આ એ પ્લેસ છે.

મિ. ઝુકરબર્ગઃ બરોબર છે. અમારો પછીનો સવાલ ટીએસ ખુરાના તરફથી છે, કે જેઓ ખરેખર અત્રે ફેસબુકમાં કામ કરે છે. તો ટીએસ તમે ક્યાંના છો.

મિ. ટીએસ ખુરાનાઃ વેલ, મારો જન્મ ભારતમાં થયો છે પરંતુ અમે 1971માં યુએસ ઈમિગ્રેટેડ થયા હતા. હું મારું ઈંગ્લિશ કેનટુક્કીની શેરીઓમાં શિખ્યો હતો. પ્રધાન મંત્રી અમારા કેમ્પસમાં આપનું સ્વાગત છે અને માર્ક રવિવારની સુંદર સવારે અમારા માટે આ આયોજન કરવા બદલ આભાર. મારો સવાલ પ્રધાન મંત્રી માટે છે કે શું તમે માનો છો કે છેલ્લા 15 માસમાં ભારતમાં બિઝનેસ કરવો સરળ બન્યો છે કે કેમ. આપે રેડ ટેપને કટ કરવા માટે મેક ઈન ઈન્ડિયા નામનો કાર્યક્રમ રજૂ કર્યો. પરંતુ તેમ છતાં સુધારાઓની ગતિ ધીમી હોવાનું લાગે છે. શું આપ માનો છો કે મેક ઈન્ડિયા સમગ્રતઃ સફળ છે.

પ્રધાન મંત્રી, શ્રી નરેન્દ્ર મોદીઃ જુઓ સ્કૂટર જ્યારે ટર્ન કરવું હોય તો, આમ જઈ રહ્યું છે સ્કૂટર, એમાં અડધી સેકન્ડનો સમય લાગે છે. અને તમને ખબર પડે કે હા, યાર સ્કૂટર તો એ તરફ જઈ રહ્યું હતું, અહીં આવી ગયું. પરંતુ જો 40 ડબ્બા વાળી ટ્રેનને મારે ત્યાંથી અહીં લાવવાની છે, તો ઘણો સમય જાય છે કે હા યાર અહીં ગયો ફરી આવ્યો, હજુ તો આવ્યો જ નહીં, આવ્યો જ નહીં, આવ્યો જ નહીં.

તો આટલો મોટો દેશ – આપનો એક બદલાવ નિરંતર થતો રહે છે, અનેક બધા થાય છે, હવે તેની સર્વગ્રાહી અસર તો થોડા સમય બાદ ધ્યાનમાં આવે છે, એ સમયે લાગે છે કે કઈ રીતે આ થઈ ગયું. હવે જુઓ ભારતમાં 40 વર્ષ પહેલા બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. એ ઈરાદા સાથે થયું હતું કે બેંકો ગરીબોના કામમાં આવવી જોઈએ. પરંતુ 40 વર્ષમાં 60 ટકા વસતીના તેના એકાઉન્ટ જ ન હતા. હવે કામ થઈ રહ્યું છે એનો હિસાબ કઈ રીતે લગાવશો. 40 વર્ષમાં 180 મિલિયન લોકોના – બેંક એકાઉન્ટ નહતા.

આ સરકાર આવી, 100 દિવસમાં, 100 જ દિવસમાં – 180 મિલિયન બેન્ક એકાઉન્ટ ખુલી ગયા. હવે આપ સ્પિડ જુઓ, સ્કેલ જુઓ, એ જુઓ કે અરે વાહ આ કઈ રીતે થઈ ગયું ભાઈ. જે 40 વર્ષોમાં ન થયું એ 100 દિવસમાં કઈ રીતે થઈ ગયું. તો આ બદલાવની સ્પિડ છે, બદલાવની સ્પિડ છે. જે પ્રકારે તાજેતરમાં મેં એક અભિયાન ચલાવ્યું અને વર્લ્ડ બેન્કે ઈનિટિએટિવ લીધું – ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેટિંગમાં ભારત વિશ્વમાં 140 મા નંબરે ઊભું છે. અને જે રિપોર્ટ જોઈને વિચારશે એ ક્યારેય ભારતમાં આવવાનું નહીં વિચારે. સ્વભાવિક છે કેમ કે કંપનીનું બોર્ડ જ્યારે બેસે છે, તો કાગળ લઈને બેસે છે એ કંઈ જોવા થોડું આવે છે, જેમ કે ફેસબુક વાળા મંદિરમાં આવ્યા હતા. તેઓ તો પોતાનું બોર્ડ જુએ છે. હવે આ માર્કની વાત સાંભળીને લોકો વિચારશે કે યાર કાગળથી નહીં, પહેલા એક વાર જઈને તો જોઈ લઈએ. પરંતુ અમે નક્કી કર્યું છે કે અમારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવો છે. મેં તમામ રાજ્યોને ઓન બોર્ડ લીધા. અમે ફેડરલ ગવર્નમેન્ટ છીએ, અને અમારે ત્યાં સૌથી વધુ સત્તા રાજ્યો પાસે છે. તેમને બોલાવ્યા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે શી શી રુકાવટ છે તેની યાદી બનાવી, અને હાલમાં વર્લ્ડ બેંકના રેટિંગ કર્યું, એનાથી હું ચકિત હતો, તમામ રાજ્યો વચ્ચે એસ ઓફ ડુઈંગ બિઝનેસની એક અભૂતપૂર્વ સ્પર્ધા શરૂ થઈ હતી. એક કરતા બીજું રાજ્ય આગળ નિકળવા માગતું હતું. અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં છ મહિનામાં ભારતે અભૂતપૂર્વ સિદ્ધી હાંસલ કરી લીધી છે. આવનારા દિવસોમાં જ્યારે નેશનલ રેટિંગ આવશે ત્યારે મને વિશ્વાસ છે કે અમે 140 કરતા ઘણા ઉપર થઈ જઈશું.

કહેવાનું તાત્પર્ય એ છે કે સંભાવનાઓ છે. બીજું મેક ઈન ઈન્ડિયાની સફળતાનું રહસ્ય શું છે. વિશ્વની કોઈ વ્યક્તિ પોતાની કંપની બંધ કરવા નથી માગતી. કોમ્પિટિટિવ વર્લ્ડમાં તે ઊભો રહેવા ઈચ્છે છે. જો ફેસબુકના હેડ ક્વાર્ટરને માની લઈએ કે તેણે લોકોને 10 મિલિયન પગાર આપવો પડે છે તો એ જ કામ ભારતમાં 1 મિલિયન પગારથી થાય છે, તો આવશે કે નહીં આવે. આવશે કે નહીં આવે. તો લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ, ઈફેક્ટિવ ગવર્નન્સ, સ્કિલડ મેન પાવર, રો મટિરિયલ અને બિગેસ્ટ માર્કેટ ઈન ઈન્ડિયા, આ બધી સંભાવનાઓ એવી છે કે જે મેક ઈન ઈન્ડિયા માટે વિશ્વના કોઈ પણ મેન્યુફેક્ચરર માટે સ્વર્ગ ભૂમિ છે.

અને એ અર્થમાં હું જોઉં છું કે મેક ઈન ઈન્ડિયા માટે ઘણી – ઘણી સંભાવનાઓ પડી છે અને સફળતા તરફ… આપે જોયું હશે કે છેલ્લા 15 મહિનામાં એકલા અમેરિકાથી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં 87 ટકા ગ્રોથ છે, ગ્રોથ છે 87 ટકા. કોઈ આની કલ્પના પણ કરી શકે. એફઆઈઆઈમાં બહુ ઝડપથી વૃધ્ધિ થઈ રહી છે. અને સરેરાશ, અમારા દેશના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનો ગ્રોથ 40 ટકા થઈ ગયો છે. કે જે આજે વિશ્વમાં જે મંદી છે, વિશ્વના અને દેશોમાં 16 ટકા માઈનસ છે, કે જ્યાં ભારત 40 ટકા પ્લસ છે. આ બતાવે છે કે મેક ઈન ઈન્ડિયાની સફળતાઓ આની સાથે જોડાયેલી છે. અને હું જોઈ રહ્યો છું કે મેક ઈન ઈન્ડિયા સફળ થશે જ.

બીજી વાત છે ભારતમાં આજની તારીખે સુવિધાઓની છે જે તેની સરખામણીએ વિશ્વના કોઈની પાસે નથી. અમારી પાસે 3 -ડી છે અને 3 – ડી અમારી યુનિક સ્ટ્રેન્થ છે. સ્ટ્રેન્થ એવી રીતે નહીં – ઈટ ઈસ અ યુનિક સ્ટ્રેન્થ – ડીમોગ્રાફિક ડિવિડન્ડ, ડેમોક્રસી એન્ડ ડિમાન્ડ. 800 મિલિયન વસતિ 35 વર્ષની નીચેની છે. જે યુવા દેશ હોય, વાયબ્રન્ટ લોકશાહી હોય, વાયબ્રન્ટ ન્યાયપાલિકા હોય, વાયબ્રન્ટ મિડિયા હોય, સમાન વિચારધારાવાળા દેશો માટે લોકશાહી આ એક ઘણી મોટી તક હોય છે. અને ડિમાન્ડ – 1.25 બિલિયન લોકો. કેટલી મોટી માંગ છે. અને એમાં મેં આવીને ડી જોડી દીધો છે – ડિરેગ્યુલેલાઈઝેસન. હું તમામ સરકારી કબજાઓને હટાવી રહ્યો છું. હું સરકારને નાની કરી રહ્યો છું. અને મારી ફિલોસોફી છે ગવર્નમેન્ટ હેસ નો બિઝનેસ ટુ બી ઈન બિઝનેસ. એ અમારું કામ નથી હોટલ ચલાવવાનું. લોકો ચલાવે, અને સારી રીતે ચલાવે. તથા આ વસ્તુઓને લીધે હું જોઈ રહ્યો છું કે મિ. ખુરાના ઘણી સંભાવનાઓ છે.

મિ. માર્ક ઝુકરબર્ગઃ બરોબર છે. અમારો પછીનો સવાલ છે ડો. રંજના કુમારી તરફથી, કે જે મારું માનવું છે કે હાલમાં જ દિલ્લીથી આવ્યા છે. ડોક્ટર આપ જણાવશો કે આપ ક્યાંથી છો અને આપનો સવાલ શો છે.

ડો. રંજના કુમારીઃ જી હા, હું ભારતમાં, દિલ્હીમાં, મહિલા સશક્તિકરણ માટે સેન્ટર ફોર સોશિયલ રિસર્ચની નિર્દેશિકા છું . મારો સવાલ આપને છે, મોદીજી, વિશ્વમાં, ભારતીય મહિલાઓને લઈને ઘણુ બધું સાંભળવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયમાં ખાસ, જેના લીધે બધા લોકો જાણવા માગે છે કે આપની મહિલાઓ અને બાળકીઓના સશક્તિકરણ અંગે શી યોજના છે. અને ખાસ કરીને પ્રોગ્રેસિવ ઈન્ડિયામાં મહિલાઓની બરોબરી માટે આપના શા વિચાર છે.

પ્રધાન મંત્રી, શ્રી નરેન્દ્ર મોદીઃ બે બાબતો છે. હું એક એ બાબત તરફ લઈ જઈશ કે જે અનેક લોકો પસંદ નથી કરતા. પરંતુ જ્યારે માર્કે મંદિરની વાત કરી દીધી છે તો મારું મન કહે છે કે કંઈક એવું જણાવી દઉં. વિશ્વમાં ભગવાનની કલ્પના તમામ સમાજોમાં છે. ઈશ્વરની કલ્પના દુર્ગા, સરસ્વતી, અબ્બાસ, કાળી એટલે કે મૂળભૂત આપણા ચિંતનનું છે કે અધિષ્ઠા ન હોય, એમાં નારીના આ રુપની કલ્પના કરવામાં આવી છે.

એ વાત સાચી છે કે હજારો વર્ષથી ચાલતા – ચાલતા તેમાં ડાયવર્ઝન આવે છે, ઘસારો આવે છે, એ બદલાતા સમાજની એક તાસીર રહે છે. જ્યાં સુધી સરકારનો સવાલ છે, ભારતને જો પોતાના આર્થિક વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો 50 ટકા વસતિને ઘરની અંદર બંધ રાખીને થઈ નહીં શકે.

આ 50 ટકા નારી શક્તિ, તેની ભારતની વિકાસ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને 100 ટકા ભાગીદાર હોવી જોઈએ. સરકારની નીતિઓ પ્રોએક્ટિવ હોવી જોઈએ. અને અમે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. આજે હિન્દુસ્તાનમાં શિક્ષણ લઈ લો, હેલ્થ લઈ લો, તો ત્યાં સ્થિતિ એવી છે કે પુરુષો માટે રિઝર્વેશન કરવું પડશે. જો તમે આજે એજ્યુકેશન ફિલ્ડની મિટિંગ કરો, 1000 લોકોને બોલાવો, તો 800 મહિલાઓ હોય છે અને 200 પુરુષ હોય છે.

આટલી મોટી માત્રામાં શિક્ષણ પ્રક્રિયાઓ આજે હિન્દુસ્તાનમાં મહિલાઓના હાથમાં છે. હેલ્થ સેક્ટર – આજે જો આપ હેલ્થ સેક્ટરની કોઈ કોન્ફર્ન્સ કરી લો. આપને બહુ મોટી માત્રામાં હેલ્થ સેક્ટરમાં – ખાસ કરીને નર્સિંગમાં, પેરા મેડિકલ સ્ટાફમાં – પૂરો કંટ્રોલ મહિલાઓએ કર્યો છે. છેલ્લા દિવસોમાં અમે નર્ણય કર્યો કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, જે યુનિયન ટેરેટરિસ છે, જ્યાં ભારત સરકાર નિર્ણય કરે છે ત્યાં 30 ટકા અનામત મહિલા પોલિસ માટે અમે નક્કી કરી છે.

ભારત, આજે પણ વિશ્વના અનેક દેશ છે કે જ્યાં કોઈ મહિલા માટે ચૂંટણી જીતવી આજે પણ મુશ્કેલ છે. ખૂબજ ભણેલા – લખેલા દેશોમાં પણ ભારતમાં ચૂંટણી પ્રક્રિયા છે, અનેક રાજ્યો એવા છે કે જ્યાં લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં 50 ટકા વુમન રિઝર્વેશન છે. જો 100 લોકોની બોડી છે તો ફરજિયાત 50 મહિલાઓ હશે, હશે, હશે જ. આ નિર્ણય નાનો નથી અને પાર્લામેન્ટ એસેમબલીમાં પણ તેના માટે ચર્ચા થઈ રહી છે કે ત્યાં પણ મહિલાઓને… જેથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમની ભાગીદારી હોય. અને હું માનું છું કે સ્ત્રી સશક્તિકરણમાં એક વાત અમારે હાંસલ કરવી રહેશે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં હિસ્સો હોવો જોઈએ.

માત્ર એ મકાન બનાવે છે, તો દીવાલનો કલર કેવો હોય, એટલે સુધી તેમનો રોલ સિમિત ન હોવો જોઈએ, મકાન કેવું બને ત્યાં સુધીમાં તેની ભાગીદારી હોવી જોઈએ. પરિવારમાં પણ સશક્તિકરણ હોવું જોઈએ. અને આ દિશામાં, હવે અમે જેવું એક અભિયાન ચલાવ્યું છે બેટી બચાવો, બેટી પઢાઓ. હું ગુજરાતમાં મુખ્ય મંત્રી હતો, જૂન માસમાં 45 ડીગ્રી તાપમાન ગુજરાતમાં હોય છે. હું જૂન મહિનામાં 12, 13, 14, 15 આ જૂનના ચાર દિવસોમાં ગામડે જતો રહેતો હતો. ગામમાં રહેતો હતો, 45 ડીગ્રી તાપમાન રહેતું હતું. દરેક ઘરમાં જઈને કહેતો હતો કે બેટીને સ્કૂલમાં મોકલો, મારે આપની બેટીને ભણાવવી છે અને 100 ટકા ગર્લ ચાઈલ્ડ શિક્ષણને હાંસલ કરીને રહ્યો હતો. આજે મારો પ્રયાસ ગર્લ ચાઈલ્ડ શિક્ષણને બેટી બચાવો બેટી પઢાઓ મોટું અભિયાન રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યું છે અને એવા અનેક કામ છે.

જે રીતે સરકારની કોઈ યોજના છે. સરકારની યોજનામાં જો આપણે ગરીબોને મકાન આપીએ છીએ. તો મારે ત્યાં ફરજીયાત છે, એ મકાન, સૌથી પહેલા માલિકનું નામ મહિલાનું હશે બીજું નામ એ ઘરના પુરુષનુ હશે. પહેલા ભારતમાં બાળકોને શાળામાં દાખલ કરતા હતા, તો બાળકોની પાછળ પિતાનું નામ લખાતું હતું. હું ગુજરાતમાં હતો તો ફરજીયાત કરી દીધું હતું, બાળકોની સાથે માત્ર પિતાનું નામ નહીં માતાનું નામ ફરજીયાત રહેશે. આપે સમાજના જીવનની જે જૂની વિચાર ધારા છે તેને બદવી પડશે અને એક પછી એક ભલે તે સામાજિક સ્તર હોય કે, આર્થિક સ્તર હોય, સરકારની વ્યવસ્થાનું સ્તર હોય આ તમામ વિષયોમાં એને જોડવામાં આવી રહ્યું છે અને હું માનું છું કે તેના કારણે એક ઘણો મોટો બદલાવ આવી રહ્યો છે.

મિ. માર્ક ઝુકરબર્ગઃ બરોબર છે, તો હવે પછી અન્ય સવાલ, હું આપને વ્યક્તિગત સવાલ કરવા માગું છું. લોકો એ માનતા નથી પરંતુ અનેક બાબતો આપણેમાં સરખી છે. એક આપણા બન્ને પરિવારનું મહત્વ ખૂબજ મહત્ત્વ ધરાવીએ છીએ. હકીકતમાં મારા બન્ને વાલીઓ અહીં હાજર છે. એવું મનાય છે કે તમારા માતાનું તમારા જીવનમાં ખૂબજ મહત્ત્વ છે. તેથી હું ઈચ્છીશ કે તમે અમને તેમના અંગે કંઈક કહો.

પ્રધાન મંત્રી, શ્રી નરેન્દ્ર મોદીઃ હું એ મા – બાપને અભિનંદન આપું છું અને પ્રણામ કરૂં છું કે તેઓએ માર્ક જેવા પુત્રને એક એવા કામ માટે આપ્યો કે જેણે વિશ્વને જોડવાનું કામ કર્યું છે. હું આપને વિનંતી કરું છું, આપ મહેરબાની કરીને ઊભા થઈ જશો. અમે આપને જોવા માગીએ છીએ. અને મને લાગે છે કે કદાચ આ પહેલી ઘટના હશે કે માર્કે આજે આપ બન્નેને અહીં બોલાવ્યા છે.

આપ કોઈ પણ વ્યક્તિના જીવનમાં જુઓ, કોઈની પણ બાયોગ્રાફી જુઓ, ઓટો બાયોગ્રાફી જુઓ, દરેકના જીવનમાં બે બાબતો હંમેશા આવે છે – કે મારા જીવનમાં ટીચરનો શું રોલ છે અને મારા જીવનમાં મારી માતાનો શું રોલ રહ્યો. દરેકના જીવનમાં આવે છે. હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું.

મારા જીવનમાં મારા મા બાપનો બહુ મોટો રોલ છે. હું ખૂબજ ગરીબ પરિવારમાંથી છું. આપ જાણો છો કે હું રેલવે સ્ટેશન પર ચા વેચતો હતો. કોઈ કલ્પના નહીં કરી શકે કે વિશ્વની આવી મોટી લોકશાહીએ એક ચા વેચનારને પોતાનો નેતા માની લીધો છે. અને તેથી હું સૌ પહેલા એ સવા કરોડ ભારતવાસીઓને નમન કરું છું કે જેઓએ મારા જેવી સામાન્ય વ્યક્તિને પોતાની બનાવી લીધી.

બીજી વાત છે, સામાન્ય પરિવારમાંથી કેવી રીતે ગુજારો કર્યો છે. અમારા પિતા જીવી તો નથી રહ્યા. માતા છે જેમની 90 થી વધુની વય છે. આજે પણ પોતાના તમામ કામ જાતે કરે છે, બધુ જ પોતે કરે છે. ભણેલી – લખેલી નથી, પરંતુ ટીવીને લીધે સમાચારોની બધી ખબર પડે છે, વિશ્વમાં શું ચાલી રહ્યું છે. નહિતર, કંઈજ ખબર ન હોત. અમે જ્યારે નાના હતા તો અમારું પોષણ કરવા તે આડોશ પાડોશના ઘરોમાં વાસણ સાફ કરવા, પાણી ભરવા, મજૂરી કરવી… શું આપ કલ્પના કરી શકો છો કે એક માએ પોતના બાળકોને મોટા કરવા માટે કેટલું કષ્ટ વેઠ્યું હશે. અને આ માત્ર નરેન્દ્ર મોદીના કેસમાં નથી. ભારતમાં લાખો માતાઓ છે, જેઓએ પોતાના બાળકોના સપના માટે આખું જીવન સમર્પિત કરી દીધું છે.

અને એટલે હું તમામ માતાઓને શત – શત વંદન કરું છું અને તેમની પ્રેરણા, તેમના આશિર્વાદ માત્ર શક્તિ ન આપે પણ અમને સાચા રસ્તા પર રાખે. અને એ જ માની સૌથી મોટી શક્તિ હોય છે. મા ક્યારેય નથી ઈચ્છતી કે આપ કંઈ ક બની જાઓ. પરંતુ મા હંમેશા ઈચ્છે છે કે આપ કેવા બનો. અને એ માનું સપનું હોય છે કેવા બનો, કંઈ પણ બનો, આ ક્યારેય માનું સપનું નથી હોતું. એ ફેર હોય છે અને તેથી દરેકના જીવનમાં માનું યોગદાન ખૂબજ મોટું હોય છે.

થેન્ક યુ, માર્ક

AP/J.Khunt/GP