Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુએસઆઇબીસીનાં બોર્ડનાં સભ્યો પ્રધાનમંત્રીને મળ્યાં


આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)નાં સભ્યો પ્રધાનમંત્રીને મળ્યાં હતાં.

તેમણે પ્રધાનમંત્રીને ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈમાં આયોજિત ઇન્ડિયા આઇડિયા ફોરમનાં પરિણામો વિશે જાણકારી આપી હતી. વિવિધ વ્યવસાયોનાં આગેવાનોએ દ્વિપક્ષીય વેપારમાં 500 અબજ ડોલરનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા અને ભારતમાં એમની અર્થસભર સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી) પ્રવૃત્તિઓ વધારવા માટેની યોજના તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ યુએસઆઇબીસીનાં સભ્યો સાથે ચર્ચા કરતાં ભારત સરકારે હાથ ધરેલા વિવિધ આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતમાં રોકાણની પ્રચૂર સંભાવના વિશે પણ વાત કરી હતી અને દેશમાં રોકાણ વધારવા અમેરિકન રોકાણકાર સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું. ભારત અને અમેરિકાના સહિયારા મૂલ્યોનો ઉલ્લેખ કરીને તેમણે બંને દેશોનાં નાગરિકો વચ્ચે આદાન-પ્રદાન વધારવાની અપીલ પણ કરી હતી.

NP/GP/RP