પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ (એસીએસકે)ના કાર્યકાળને 31-3-2016થી આગળ ત્રણ વર્ષ માટે વધારવાને મંજૂરી આપી દીધી.
આ પ્રસ્તાવના મોટા લાભાર્થી સફાઈ કર્મચારી તેમજ ગટર વ્યવસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ હશે, કેમ કે એનસીએસકે તેમના કલ્યાણ તેમજ ઉત્થાન માટે કાર્ય કરશે.
ત્રણ વર્ષ દરમિયાન થનારો કુલ ખર્ચ લગભગ 13.08 કરોડ રૂપિયા હશે.
AP/J.Khunt/GP