પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આગામી 3 વર્ષોમાં વસ્ત્ર અને પરિધાન ઉદ્યોગમાં એક કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે સુધાર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કેટલાક એવા ઉપાયો સામેલ છે જે શ્રમિકોને અનુકૂળ છે અને રોજગારી સર્જન, મોટા અર્થતંત્ર તથા નિકાસને પ્રોત્સાહન આપશે. આ ઉપાયોથી આગામી 3 વર્ષોમાં નિકાસમાં 30 બિલિયન યુએસ ડોલરની સંચયી વૃદ્ધિ થશે અને રૂ. 74,000 કરોડનું રોકાણ થશે.
મોટા ભાગની નવી નોકરીઓ મહિલાઓને મળવાની શક્યતા છે કારણ કે પરિધાન ઉદ્યોગ લગભગ 70% મહિલાઓને રોજગારી પુરી પાડે છે. આ પ્રકારે આ પેકેજ મહિલા સશક્તિકરણના માધ્યમથી સામાજિક પરિવર્તનમાં સહાયક થશે.
જાહેર કરાયેલ પેકેજની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
ક. કર્મચારી ભવિષ્ય નિધિ યોજનામાં સુધારો.
* ભારત સરકાર રૂ.15000 પ્રતિમાસથી ઓછી આવક ધરાવતા પરિધાન ઉદ્યોગના નવા કર્મચારીઓનો પ્રથમ ત્રણ વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના નોકરીદાતાનો સંપૂર્ણ ફાળો 12 % વહન કરશે.
* હાલમાં પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય) હેઠળ સરકાર દ્વારા પહેલાથી જ નોકરીદાતાઓનો ફાળો 8.33 % વહન કરવામાં આવી રહ્યો છે. વસ્ત્ર મંત્રાલય આગામી 3 વર્ષોમાં કર્મચારીના ફાળાના 3.67% વધુ ફાળવશે જે રૂ.1170 કરોડની રકમ હશે.
* ઈપીએફ પ્રતિમાસ રૂ.15000 થી ઓછી આવક ધરાવતા કામદારો માટે વૈકલ્પિક બનાવાશે.
* આનાથી કર્મચારીઓના હાથમાં વધુ પૈસા આવશે તથા ઔપચારિક ક્ષેત્રમાં રોજગારીનું સંવર્ધન પણ થશે.
ખ. ઓવર ટાઈમની મર્યાદામાં વધારો કરવો
* આઈએલઓ માપદંડને અનુરૂપ કામદારો માટે ઓવર ટાઈમના કલાકો પ્રતિ સપ્તાહ 8 કલાકથી વધુ નહીં થાય
* આનાથી કામદારોની આવકમાં વધારો થશે.
ગ. નિર્ધારિત અવધિ રોજગારીનો પ્રારંભ
* ઉદ્યોગની મોસમી પ્રકૃતિને જોતા, પરિધાન ક્ષેત્ર માટે નિર્ધારિત અવધિ રોજગારીનો પ્રારંભ કરાશે.
* કામના કલાકો, મજૂરી, ભથ્થા અને અન્ય વૈધાનિક જવાબદારીઓ સંબંધે એક નિર્ધારિત અવધિ કામદારને કાયમી કામદાર સમાન ગણાશે.
ઘ. એ-ટેફ્સ હેઠળ વધારાનું પ્રોત્સાહન
* આ પેકેજ રોજગારી સર્જનને પ્રોત્સાહન આપનાર તરીકે સંશોધિત ટેફ્સ હેઠળ પરિધાન ક્ષેત્ર માટે નવી સબસિડીને 15% થી વધારીને 25% કરીને ઈનપુટથી આઉટકમ આધારિત પ્રોત્સાહન સુધી લાવીને નવી તકો ઉપલબ્ધ કરાવશે.
* આ યોજનાની એક મુખ્ય વિશેષતા સંભવિત નોકરીઓના સર્જન થયા બાદ જ સબસિડી પ્રદાન કરવાની રહેશે.
ચ. લેવી રિફંડ કવરેજમાં વધારો
* અત્યાર સુધી રિફંડ નહીં કરાયેલ રાજ્ય લેવિઓનું રિફંડ કરવા માટે લાગુ કરાયેલ નવી યોજના પોતાની રીતે એક નવા પ્રકારનું પગલું હશે.
* આ પગલાંથી ટ્રેઝરી પર રૂ.5500 કરોડનો બોજો આવવાની શક્યતા છે પરંતુ આનાથી વિદેશી બજારોમાં ભારતીય નિકાસની પ્રતિસ્પર્ધાત્મકતામાં ઘણો વધારો થશે.
AP/J.Khunt
Special package approved by the Cabinet today pertaining to textile & apparel sector will boost youth employment, manufacturing & exports.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
Farmers have a very strong link with the textile sector. The package will further lead to value addition of agro products & help farmers.
— Narendra Modi (@narendramodi) June 22, 2016
The package is labour friendly & women will greatly benefit from it. It is a step for #TransformingIndia. https://t.co/rGF9BClFEw
— Narendra Modi (@narendramodi) June 22, 2016