પીએમઇન્ડિયા
સિયાવર રામચંદ્ર કી જય!
સિયાવર રામચંદ્ર કી જય!
જય સિયારામ!
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંઘચાલક ડો. મોહન ભાગવતજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્ય ગોપાલ દાસજી, પૂજ્ય સંત સમાજ, અહીં પધારેલા તમામ ભક્તગણ, દેશ અને દુનિયામાંથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહેલા કરોડો રામભક્ત, દેવીઓ અને સજ્જનો!
આજે અયોધ્યા નગરી ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક વધુ ઉત્કર્ષ બિંદુની સાક્ષી બની રહી છે. આજે સંપૂર્ણ ભારત, સંપૂર્ણ વિશ્વ, રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ છે, અસીમ કૃતજ્ઞતા છે, અપાર અલૌકિક આનંદ છે. સદીઓના ઘા ભરાઈ રહ્યા છે, સદીઓની વેદના આજે વિરામ પામી રહી છે, સદીઓનો સંકલ્પ આજે સિદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે તે યજ્ઞની પૂર્ણાહુતિ છે, જેની અગ્નિ 500 વર્ષ સુધી પ્રજ્વલિત રહી. જે યજ્ઞ એક પળ પણ આસ્થાથી ડગ્યો નહીં, એક પળ પણ વિશ્વાસ તૂટ્યો નહીં. આજે, ભગવાન શ્રી રામના ગર્ભગૃહની અનંત ઊર્જા, શ્રી રામ પરિવારનો દિવ્ય પ્રતાપ, આ ધર્મ ધ્વજાના રૂપમાં, આ દિવ્યતમ, ભવ્યતમ મંદિરમાં પ્રતિષ્ઠાપિત થયો છે.
અને સાથીઓ,
આ ધર્મ ધ્વજા ફક્ત એક ધ્વજા નથી, તે ભારતીય સભ્યતાના પુનર્જાગરણનો ધ્વજ છે. તેનો કેસરી રંગ, તેના પર રચાયેલી સૂર્યવંશની ખ્યાતિ, વર્ણિત ઓમ્ શબ્દ અને અંકિત કોવિદાર વૃક્ષ રામ રાજ્યની કીર્તિને પ્રતિબિંબિત કરે છે. આ ધ્વજ સંકલ્પ છે, આ ધ્વજ સફળતા છે. આ ધ્વજ સંઘર્ષથી સર્જનની ગાથા છે, આ ધ્વજ સદીઓથી ચાલી આવતા સ્વપ્નોનું સાકાર સ્વરૂપ છે. આ ધ્વજ સંતોના આધ્યાત્મિક અભ્યાસ અને સમાજની ભાગીદારીનો અર્થપૂર્ણ પરાકાષ્ઠા છે.
સાથીઓ, આવનારી સદીઓ અને સહસ્ર-શતાબ્દીઓ સુધી, આ ધર્મ ધ્વજ પ્રભુ રામના આદર્શો અને સિદ્ધાંતોનો ઉદ્ઘોષ કરશે. આ ધર્મ ધ્વજ આહ્વાન કરશે- સત્યમેવ જયતે નાનૃતં! એટલે કે, જીત સત્યની જ થાય છે, અસત્યની નહીં. આ ધર્મ ધ્વજ ઉદ્ઘોષ કરશે- સત્યમ્-એકપદં બ્રહ્મ સત્યે ધર્મઃ પ્રતિષ્ઠિતઃ। અર્થાત્, સત્ય જ બ્રહ્મનું સ્વરૂપ છે, સત્યમાં જ ધર્મ સ્થાપિત છે. આ ધર્મ ધ્વજ પ્રેરણા બનશે- પ્રાણ જાએ પર વચન ન જાહીં। અર્થાત્, જે કહેવાય, તે જ કરવામાં આવે. આ ધર્મ ધ્વજ સંદેશ આપશે- કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા! અર્થાત્, વિશ્વમાં કર્મ અને કર્તવ્યની પ્રધાનતા હો. આ ધર્મ ધ્વજ કામના કરશે- બૈર ન બિગ્રહ આસ ન ત્રાસા। સુખમય તાહિ સદા સબ આસા॥ એટલે કે, ભેદભાવ, પીડા-પરેશાનીથી મુક્તિ, સમાજમાં શાંતિ અને સુખ હો. આ ધર્મ ધ્વજ આપણને સંકલ્પિત કરશે- નહિં દરિદ્ર કોઉ દુખી ન દીના। એટલે કે, આપણે એવો સમાજ બનાવીએ, જ્યાં ગરીબી ન હોય, કોઈ દુઃખી કે લાચાર ન હોય.
સાથીઓ,
આપણા ગ્રંથોમાં કહેવાયું છે- આરોપિતં ધ્વજં દૃષ્ટ્વા, યે અભિનન્દન્તિ ધાર્મિકાઃ। તે અપિ સર્વે પ્રમુચ્યન્તે, મહા પાતક કોટિભિઃ॥ એટલે કે, જે લોકો કોઈ કારણસર મંદિર આવી શકતા નથી, અને દૂરથી મંદિરના ધ્વજને પ્રણામ કરી લે છે, તેમને પણ તેટલું જ પુણ્ય મળી જાય છે.
સાથીઓ, આ ધર્મ ધ્વજ પણ આ મંદિરના ધ્યેયનું પ્રતીક છે. આ ધ્વજ દૂરથી જ રામલલ્લાની જન્મભૂમિના દર્શન કરાવશે. અને, યુગો-યુગો સુધી પ્રભુ શ્રી રામના આદેશો અને પ્રેરણાઓને માનવ માત્ર સુધી પહોંચાડશે.
સાથીઓ,
હું સંપૂર્ણ વિશ્વના કરોડો રામભક્તોને આ અવિસ્મરણીય ક્ષણની, આ અદ્વિતીય અવસરની હાર્દિક શુભકામનાઓ આપું છું. હું આજે તે તમામ ભક્તોને પણ પ્રણામ કરું છું, દરેક એવા દાતાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે રામ મંદિર નિર્માણ માટે પોતાનો સહયોગ આપ્યો. હું રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા દરેક શ્રમવીર, દરેક કારીગર, દરેક યોજનાકાર, દરેક વાસ્તુકાર, તમામનું અભિનંદન આપું છું.
સાથીઓ,
અયોધ્યા તે ભૂમિ છે, જ્યાં આદર્શ, આચરણમાં બદલાય છે. આ જ તે નગરી છે, જ્યાંથી શ્રી રામે પોતાનો જીવન-પથ શરૂ કર્યો હતો. આ જ અયોધ્યાએ સંસારને જણાવ્યું કે એક વ્યક્તિ કેવી રીતે સમાજની શક્તિથી, તેના સંસ્કારોથી, પુરુષોત્તમ બને છે. જ્યારે શ્રી રામ અયોધ્યાથી વનવાસ ગયા, તો તેઓ યુવરાજ રામ હતા, પરંતુ જ્યારે પાછા ફર્યા, તો મર્યાદા પુરુષોત્તમ બનીને આવ્યા. અને તેમના મર્યાદા પુરુષોત્તમ બનવામાં મહર્ષિ વશિષ્ઠનું જ્ઞાન, મહર્ષિ વિશ્વામિત્રની દીક્ષા, મહર્ષિ અગસ્ત્યનું માર્ગદર્શન, નિષાદરાજની મિત્રતા, માં શબરીની મમતા, ભક્ત હનુમાનનું સમર્પણ, આ બધાની, અસંખ્ય એવા લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
સાથીઓ,
વિકસિત ભારત બનાવવા માટે પણ સમાજની આવી જ સામૂહિક શક્તિની આવશ્યકતા છે. મને ખૂબ ખુશી છે કે રામ મંદિરનું આ દિવ્ય પ્રાંગણ, ભારતના સામૂહિક સામર્થ્યની પણ ચેતના સ્થળી બની રહ્યું છે. અહીં સપ્તમંદિર બન્યા છે. અહીં માતા શબરીનું મંદિર બન્યું છે, જે જનજાતીય સમાજના પ્રેમભાવ અને આતિથ્ય પરંપરાની પ્રતિમૂર્તિ છે. અહીં નિષાદરાજનું મંદિર બન્યું છે, આ તે મિત્રતાનું સાક્ષી છે, જે સાધનને નહીં, સાધ્યને, તેની ભાવનાને પૂજે છે. અહીં એક જ સ્થાન પર માતા અહલ્યા, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, અને સંત તુલસીદાસ છે. રામલલ્લાની સાથે-સાથે આ તમામ ઋષિઓના દર્શન પણ અહીં જ થાય છે. અહીં જટાયુજી અને ખિસકોલીની મૂર્તિઓ પણ છે, જે મોટા સંકલ્પોની સિદ્ધિ માટે દરેક નાનામાં નાના પ્રયાસના મહત્વને દેખાડે છે. હું આજે દરેક દેશવાસીને કહીશ કે તે જ્યારે પણ રામ મંદિર આવે, તો સપ્ત મંદિરના દર્શન પણ અવશ્ય કરે. આ મંદિર આપણી આસ્થાની સાથે-સાથે, મિત્રતા, કર્તવ્ય અને સામાજિક સદ્ભાવના મૂલ્યોને પણ શક્તિ આપે છે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ, આપણા રામ ભેદથી નહીં, ભાવથી જોડાય છે. તેમના માટે વ્યક્તિનું કુળ નહીં, તેની ભક્તિ મહત્વપૂર્ણ છે. તેમને વંશ નહીં, મૂલ્ય પ્રિય છે. તેમને શક્તિ નહીં, સહયોગ મહાન લાગે છે. આજે આપણે પણ તે જ ભાવનાથી આગળ વધી રહ્યા છીએ. છેલ્લા 11 વર્ષોમાં, મહિલા, દલિત, પછાત, અતિ-પછાત, આદિવાસી, વંચિત, કિસાન, શ્રમિક, યુવા, દરેક વર્ગને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. જ્યારે દેશનો દરેક વ્યક્તિ, દરેક વર્ગ, દરેક ક્ષેત્ર સશક્ત થશે, ત્યારે સંકલ્પની સિદ્ધિમાં સૌનો પ્રયાસ લાગશે. અને સૌના પ્રયાસથી જ 2047, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, આપણને 2047 સુધી વિકસિત ભારતનું નિર્માણ કરવું જ પડશે.
સાથીઓ,
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર, મેં રામથી રાષ્ટ્રના સંકલ્પની ચર્ચા કરી હતી. મેં કહ્યું હતું કે આપણે આવનારા એક હજાર વર્ષો માટે ભારતનો પાયો મજબૂત કરવો છે. આપણે યાદ રાખવું છે, જે ફક્ત વર્તમાનનું વિચારે છે, તે આવનારી પેઢીઓ સાથે અન્યાય કરે છે. આપણે વર્તમાનની સાથે-સાથે ભાવિ પેઢીઓ વિશે પણ વિચારવું છે. કારણ કે, આપણે જ્યારે નહોતા, આ દેશ ત્યારે પણ હતો, જ્યારે આપણે નહીં રહીએ, આ દેશ ત્યારે પણ રહેશે. આપણે એક જીવંત સમાજ છીએ, આપણે દૂરદૃષ્ટિની સાથે જ કામ કરવું પડશે. આપણે આવનારા દાયકાઓ, આવનારી સદીઓને ધ્યાનમાં રાખવું જ પડશે.
અને મિત્રો,
આ માટે આપણે ભગવાન રામ પાસેથી પણ શીખવું પડશે. આપણે તેમના વ્યક્તિત્વને સમજવું પડશે, આપણે તેમના વર્તનને આત્મસાત કરવું પડશે, આપણે યાદ રાખવું પડશે કે, રામ એટલે આદર્શ, રામ એટલે ગૌરવ, રામ એટલે જીવનનું સર્વોચ્ચ ચારિત્ર્ય. રામ એટલે સત્ય અને બહાદુરીનો સંગમ, “દિવ્યગુણૈ: શક્રસમો રામ: સત્યપરક્રમૈ.” રામ એટલે ધર્મના માર્ગે ચાલતું વ્યક્તિત્વ, “રામ: સત્પુરુષો લોકે સત્ય: સત્યપરાયણૈ:.” રામ એટલે જનતાના સુખને સર્વોચ્ચ રાખવું, પ્રજા સુખત્વે ચંદ્રસ્ય. રામ એટલે ધીરજ અને ક્ષમાની નદી “વસુધાયઃ ક્ષમાગુણૈ:” રામ એટલે જ્ઞાન અને શાણપણનું શિખર, બુદ્ધ અથવા બૃહસ્પતે: તુલ્યઃ. રામ એટલે કોમળતામાં દૃઢતા, “મૃદુપૂર્વાન ચ ભાષ્ટે.” રામ એટલે કૃતજ્ઞતાનું સર્વોચ્ચ ઉદાહરણ, “કદચન નોપકરેણ, કૃતિનૈકેન તુષ્યતિ.” રામનો અર્થ છે – શ્રેષ્ઠ કંપનીની પસંદગી, શીલ વૃધ્ધાયઃ જ્ઞાન વૃધ્ધાયઃ વાયો વૃધ્ધાયઃ ચ સજ્જનાઃ. રામનો અર્થ છે- નમ્રતામાં મહાન શક્તિ, વીર્યવન ચ વીર્યેન, મહાતા સ્વેન વિસ્મિતઃ. રામનો અર્થ થાય છે સત્યનો અચળ નિશ્ચય, “ના ચા અન્રિત કથો વિધાન.” રામ એટલે સભાન, શિસ્તબદ્ધ અને પ્રામાણિક મન, “નિસ્તાન્દ્રિઃ અપ્રમત્તઃ ચ, સ્વ દોષ પર દોષ વિત્.”
સાથીઓ,
રામ માત્ર એક વ્યક્તિ નહીં, રામ એક મૂલ્ય છે, એક મર્યાદા છે, એક દિશા છે. જો ભારતને વર્ષ 2047 સુધી વિકસિત બનાવવું છે, જો સમાજને સામર્થ્યવાન બનાવવો છે, તો આપણે આપણા ભીતર “રામ”ને જગાડવો પડશે. આપણે આપણા ભીતરના રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડશે, અને આ સંકલ્પ માટે આજથી સારો દિવસ બીજો શું હોઈ શકે?
સાથીઓ,
25 નવેમ્બરનો આ ઐતિહાસિક દિવસ પોતાની વિરાસત પર ગર્વની એક વધુ અદ્ભુત ક્ષણ લઈને આવ્યો છે. તેનું કારણ છે, ધર્મધ્વજા પર અંકિત- કોવિદાર વૃક્ષ. આ કોવિદાર વૃક્ષ આ વાતનું ઉદાહરણ છે કે જ્યારે આપણે આપણા મૂળથી કપાઈ જઈએ છીએ, તો આપણું વૈભવ ઇતિહાસના પાનામાં દબાઈ જાય છે.
સાથીઓ,
જ્યારે ભરત પોતાની સેના સાથે ચિત્રકૂટ પહોંચ્યા, તો લક્ષ્મણે દૂરથી જ અયોધ્યાની સેનાને ઓળખી લીધી. આ કેવી રીતે થયું, તેનું વર્ણન વાલ્મીકિ જીએ કર્યું છે, અને વાલ્મીકિ જીએ શું વર્ણન કર્યું છે, તેમણે કહ્યું છે – વિરાજતિ ઉદ્ગત સ્કન્ધમ્, કોવિદાર ધ્વજઃ રથે।। લક્ષ્મણ કહે છે— “હે રામ, સામે જે તેજસ્વી પ્રકાશમાં વિશાળ વૃક્ષ જેવો ધ્વજ દેખાઈ રહ્યો છે, તે જ અયોધ્યાની સેનાનો ધ્વજ છે, તેના પર કોવિદારનું શુભ ચિહ્ન અંકિત છે.”
સાથીઓ,
આજે જ્યારે રામ મંદિરના પ્રાંગણમાં કોવિદાર ફરીથી પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે, તે ફક્ત એક વૃક્ષની વાપસી નથી, તે આપણી સ્મૃતિની વાપસી છે, આપણી અસ્મિતાનું પુનરાગમન છે, આપણી સ્વાભિમાની સભ્યતાનું પુનરાગમન છે. કોવિદાર વૃક્ષ આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે આપણી ઓળખ ભૂલીએ છીએ, તો આપણે સ્વયંને ગુમાવી દઈએ છીએ. અને જ્યારે ઓળખ પાછી ફરે છે, તો રાષ્ટ્રનો આત્મવિશ્વાસ પણ પાછો ફરે છે. અને તેથી હું કહું છું, જો દેશને પ્રગતિ કરવી હોય, તો તેને તેના વારસા પર ગર્વ હોવો જોઈએ.
સાથીઓ,
પોતાની વિરાસત પર ગર્વની સાથે-સાથે, એક વધુ વાત પણ મહત્વપૂર્ણ છે, અને તે છે- ગુલામીની માનસિકતાથી પૂરી રીતે મુક્તિ. આજથી 190 વર્ષ પહેલાં, 190 વર્ષ પહેલાં, વર્ષ 1835માં મેકોલે નામના એક અંગ્રેજે ભારતને પોતાના મૂળથી ઉખેડવાના બીજ રોપ્યા હતા. મેકોલેએ ભારતમાં માનસિક ગુલામીનો પાયો નાખ્યો. દસ વર્ષ પછી, એટલે કે 2035માં તે અપવિત્ર ઘટનાને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ મેં એક કાર્યક્રમમાં આગ્રહ કર્યો હતો કે આપણે આવનારા દસ વર્ષો સુધી, તે દસ વર્ષોનો લક્ષ્ય લઈને ચાલવાનું છે કે ભારતને ગુલામીની માનસિકતાથી મુક્ત કરીને રહીશું.
સાથીઓ,
સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે મેકોલેએ જે કંઈ વિચાર્યું હતું, તેનો પ્રભાવ ઘણો વ્યાપક થયો. આપણને આઝાદી મળી, પરંતુ હીન ભાવનાથી મુક્તિ ન મળી. આપણા અહીં એક વિકાર આવી ગયો કે વિદેશની દરેક વસ્તુ, દરેક વ્યવસ્થા સારી છે, અને જે આપણી પોતાની વસ્તુઓ છે, તેમાં ખામી જ ખામી છે.
સાથીઓ,
ગુલામીની આ માનસિકતા જ સતત સ્થાપિત કરી રહી છે કે આપણે લોકશાહી વિદેશોમાંથી લીધી, એવું કહેવામાં આવતું હતું કે આપણું બંધારણ પણ વિદેશોથી પ્રેરિત છે, જ્યારે સાચું એ છે કે ભારત લોકતંત્રની જનની છે, Mother of Democracy છે, લોકતંત્ર આપણા DNAમાં છે.
સાથીઓ,
જો તમે તમિલનાડુ જશો, તો તમિલનાડુના ઉત્તર ભાગમાં ઉત્તિરમેરૂર ગામ છે. ત્યાં હજારો વર્ષ પહેલાંનો એક શિલાલેખ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે તે કાળખંડમાં પણ કેવી રીતે લોકતાંત્રિક રીતે શાસન વ્યવસ્થા ચાલતી હતી, લોકો કેવી રીતે સરકાર ચૂંટતા હતા. પણ આપણા અહીં તો મેગ્ના કાર્ટાની પ્રશંસાનો જ ચલણ રહ્યો. આપણા અહીં ભગવાન બસવન્ના, તેમના અનુભવ મંટપાની જાણકારી પણ સીમિત રાખવામાં આવી. અનુભવ મંટપા એટલે કે, જ્યાં સામાજિક, ધાર્મિક, આર્થિક વિષયો પર સાર્વજનિક ચર્ચા થતી હતી. જ્યાં સામૂહિક સહમતિથી નિર્ણય લેવાતા હતા. પણ ગુલામીની માનસિકતાને કારણે, આ ભારતની કેટલીયે પેઢીઓને આ જાણકારીથી પણ વંચિત રાખવામાં આવી.
સાથીઓ,
આપણી વ્યવસ્થાના દરેક ખૂણામાં ગુલામીની આ માનસિકતાએ ડેરા નાખ્યો હતો. તમે યાદ કરો, ભારતીય નૌસેનાનો ધ્વજ, સદીઓ સુધી તે ધ્વજ પર એવા પ્રતીકો બન્યા રહ્યા, જેનો આપણી સભ્યતા, આપણી શક્તિ, આપણી વિરાસત સાથે કોઈ સંબંધ નહોતો. હવે આપણે નૌસેનાના ધ્વજમાંથી ગુલામીના દરેક પ્રતીકને હટાવ્યા છે. આપણે છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતને સ્થાપિત કરી છે. અને આ માત્ર એક ડિઝાઇનમાં ફેરફાર ન થયો, આ માનસિકતા બદલવાની પળ હતી. આ તે ઘોષણા હતી કે ભારત હવે પોતાની શક્તિ, પોતાના પ્રતીકોથી પરિભાષિત કરશે, ન કે કોઈ બીજાની વિરાસતથી.
અને સાથીઓ,
આ જ પરિવર્તન આજે અયોધ્યામાં પણ દેખાઈ રહ્યું છે.
સાથીઓ,
આ ગુલામીની માનસિકતા જ છે, જેણે આટલા વર્ષો સુધી રામત્વને નકાર્યું છે. ભગવાન રામ, પોતે એક વેલ્યુ સિસ્ટમ છે. ઓરછાના રાજા રામથી લઈને, રામેશ્વરમના ભક્ત રામ સુધી, અને શબરીના પ્રભુ રામથી લઈને, મિથિલાના પાહુન રામજી સુધી, ભારતના દરેક ઘરમાં, દરેક ભારતીયના મનમાં, અને ભારતવર્ષના દરેક કણ-કણમાં રામ છે. પણ ગુલામીની માનસિકતા એટલી હાવી થઈ ગઈ કે પ્રભુ રામને પણ કાલ્પનિક જાહેર કરવામાં આવવા લાગ્યા.
સાથીઓ,
જો આપણે નક્કી કરી લઈએ, આવતા દસ વર્ષમાં માનસિક ગુલામીથી પૂરી રીતે મુક્તિ મેળવી લેશું, અને ત્યારે જઈને, ત્યારે જઈને એવી જ્વાળા પ્રજ્વલિત થશે, એવો આત્મવિશ્વાસ વધશે કે 2047 સુધી વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું થવાથી ભારતને કોઈ રોકી નહીં શકે. આવનારા એક હજાર વર્ષ માટે ભારતનો પાયો ત્યારે જ સશક્ત થશે, જ્યારે મેકોલેના ગુલામીના પ્રોજેક્ટને આપણે આવતા 10 વર્ષમાં પૂરી રીતે ધ્વસ્ત કરીને દેખાડી દઈશું.
સાથીઓ,
અયોધ્યા ધામમાં રામલલ્લાનું મંદિર પરિસર ભવ્યથી ભવ્યતમ થઈ રહ્યું છે, અને સાથે જ અયોધ્યાને સજાવવાનું કામ સતત ચાલુ છે. આજે અયોધ્યા ફરીથી તે નગરી બની રહી છે, જે દુનિયા માટે ઉદાહરણ બનશે. ત્રેતા યુગની અયોધ્યાએ માનવતાને નીતિ આપી, 21મી સદીની અયોધ્યા માનવતાને વિકાસનું નવું મોડેલ આપી રહી છે. ત્યારે અયોધ્યા મર્યાદાનું કેન્દ્ર હતું, હવે અયોધ્યા વિકસિત ભારતનું મેરુદંડ બનીને ઉભરી રહ્યું છે.
સાથીઓ,
ભવિષ્યના અયોધ્યામાં પૌરાણિકતા અને નૂતનતાનો સંગમ હશે. સરયૂ જીની અમૃત ધારા અને વિકાસની ધારા, એક સાથે વહેશે. અહીં આધ્યાત્મ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બંનેનો તાલમેલ દેખાશે. રામ પથ, ભક્તિ પથ અને જન્મભૂમિ પથથી નવી અયોધ્યાના દર્શન થાય છે. અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ છે, અયોધ્યામાં આજે શાનદાર રેલવે સ્ટેશન છે. વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનો અયોધ્યાને બાકી દેશથી જોડી રહી છે. અયોધ્યાના લોકોને સુવિધાઓ મળે, તેમના જીવનમાં સમૃદ્ધિ આવે, તેના માટે નિરંતર કામ ચાલી રહ્યું છે.
સાથીઓ,
પ્રતિષ્ઠા સમારોહ પછી, આશરે 45 કરોડ ભક્તોએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ તે પવિત્ર ભૂમિ છે જ્યાં 450 મિલિયન લોકોએ ચરણ રજ કર્યા છે. આનાથી અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના લોકો માટે આર્થિક પરિવર્તન આવ્યું છે અને આવકમાં વધારો થયો છે. એક સમયે વિકાસમાં પાછળ રહેતું અયોધ્યા શહેર આજે ઉત્તર પ્રદેશના અગ્રણી શહેરોમાંનું એક બની રહ્યું છે.
સાથીઓ,
21મી સદીનો આવનારો સમય ખૂબ મહત્વપૂર્ણ છે. આઝાદી પછીના 70 વર્ષમાં ભારત, 70 વર્ષમાં ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું, 70 વર્ષમાં 11મી. પણ છેલ્લા 11 વર્ષમાં જ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. અને તે દિવસ દૂર નથી, જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે. આવનારો સમય નવા અવસરોનો છે, નવી સંભાવનાઓનો છે. અને આ મહત્વપૂર્ણ કાળખંડમાં પણ ભગવાન રામના વિચાર જ આપણી પ્રેરણા બનશે. જ્યારે શ્રી રામની સામે રાવણ વિજય જેવું વિશાળ લક્ષ્ય હતું, ત્યારે તેમણે કહ્યું હતું-
સૌરજ ધીરજ તેહિ રથ ચાકા। સત્ય સીલ દૃઢ ધ્વજા પતાકા।। બલ બિબેક દમ પરહિત ઘોરે। છમા કૃપા સમતા રજુ જોરે।।
એટલે કે, રાવણ પર વિજય મેળવવા માટે જે રથ જોઈએ, શૌર્ય અને ધૈર્ય તેના રથ છે. તેની ધ્વજા સત્ય અને સારા આચરણની છે. બળ, વિવેક, સંયમ અને પરોપકાર આ રથના ઘોડા છે. લગામના રૂપમાં ક્ષમા, દયા અને સમતા છે, જે રથને સાચી દિશામાં રાખે છે.
સાથીઓ, વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવા માટે આવો જ રથ જોઈએ, એવો રથ જેના પૈડાં શૌર્ય અને ધૈર્ય હોય. એટલે કે પડકારોથી ટકરાવવાની હિંમત પણ હોય, અને પરિણામ આવે ત્યાં સુધી દૃઢતાથી ટકેલા રહેવાની ધીરજ પણ હોય. એવો રથ, જેની ધ્વજા સત્ય અને સર્વોચ્ચ આચરણ હોય, એટલે કે નીતિ, નિયત અને નૈતિકતાથી સમજૂતી ક્યારેય ન હોય. એવો રથ, જેના ઘોડા બળ, વિવેક, સંયમ અને પરોપકાર હોય, એટલે કે શક્તિ પણ હોય, બુદ્ધિ પણ હોય, અનુશાસન પણ હોય અને બીજાના હિતનો ભાવ પણ હોય. એવો રથ, જેની લગામ ક્ષમા, કરુણા અને સમભાવ હોય, એટલે કે જ્યાં સફળતાનો અહંકાર નહીં, અને નિષ્ફળતામાં પણ બીજા પ્રત્યે આદર જળવાઈ રહે. અને તેથી હું આદરપૂર્વક કહું છું, આ ક્ષણ ખભેથી ખભા મિલાવવાનો છે, આ ક્ષણ ગતિ વધારવાનો છે. આપણે તે ભારત બનાવવાનું છે, જે રામરાજ્યથી પ્રેરિત હોય. અને આ ત્યારે જ શક્ય છે, જ્યારે સ્વયંહિત પહેલાં, દેશહિત હશે. જ્યારે રાષ્ટ્રહિત સર્વોપરી રહેશે. એક વાર ફરી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.
જય સિયારામ!
જય સિયારામ!
જય સિયારામ!
SM/BS/GP/JD
आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष-बिंदु की साक्षी बन रही है। श्री राम जन्मभूमि मंदिर के शिखर ध्वजारोहण उत्सव का यह क्षण अद्वितीय और अलौकिक है। सियावर रामचंद्र की जय! https://t.co/4PPt0rEnZy
— Narendra Modi (@narendramodi) November 25, 2025
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व…राममय है: PM @narendramodi pic.twitter.com/NaWcE8NAED
— PMO India (@PMOIndia) November 25, 2025
ये धर्म ध्वजा केवल एक ध्वज नहीं… ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है: PM @narendramodi pic.twitter.com/3sI3HsusQe
— PMO India (@PMOIndia) November 25, 2025
अयोध्या वह भूमि है, जहां आदर्श...आचरण में बदलते हैं: PM @narendramodi pic.twitter.com/elzUvALvUr
— PMO India (@PMOIndia) November 25, 2025
राम मंदिर का ये दिव्य प्रांगण... भारत के सामूहिक सामर्थ्य की भी चेतना स्थली बन रहा है: PM @narendramodi pic.twitter.com/mWvkzabhki
— PMO India (@PMOIndia) November 25, 2025
हमारे राम...भेद से नहीं, भाव से जुड़ते हैं: PM @narendramodi pic.twitter.com/d1TdWQEYee
— PMO India (@PMOIndia) November 25, 2025
हम एक जीवंत समाज हैं... हमें दूरदृष्टि के साथ ही काम करना होगा...
— PMO India (@PMOIndia) November 25, 2025
हमें आने वाले दशकों, आने वाली सदियों को ध्यान में रखना ही होगा: PM @narendramodi pic.twitter.com/UWtTRWAEfv
राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र। pic.twitter.com/OtgvIBIOi8
— PMO India (@PMOIndia) November 25, 2025
राम सिर्फ एक व्यक्ति नहीं... राम एक मूल्य हैं, एक मर्यादा हैं, एक दिशा हैं। pic.twitter.com/srviB91AME
— PMO India (@PMOIndia) November 25, 2025
अगर भारत को साल 2047 तक विकसित बनाना है… अगर समाज को सामर्थ्यवान बनाना है…
— PMO India (@PMOIndia) November 25, 2025
तो हमें अपने भीतर “राम” को जगाना होगा: PM @narendramodi pic.twitter.com/BvDFjwN92l
देश को आगे बढ़ना है तो अपनी विरासत पर गर्व करना होगा: PM @narendramodi pic.twitter.com/BxfDP129pE
— PMO India (@PMOIndia) November 25, 2025
हमें आने वाले दस वर्षों का लक्ष्य लेकर चलना है कि हम भारत को गुलामी की मानसिकता से मुक्त करके रहेंगे: PM @narendramodi pic.twitter.com/MclchQMORs
— PMO India (@PMOIndia) November 25, 2025
भारत...लोकतंत्र की जननी है... लोकतंत्र हमारे DNA में है: PM @narendramodi pic.twitter.com/2GdyoGnqVP
— PMO India (@PMOIndia) November 25, 2025
विकसित भारत की यात्रा को गति देने के लिए ऐसा रथ चाहिए... pic.twitter.com/Oz81LjdNc5
— PMO India (@PMOIndia) November 25, 2025
आज अयोध्या में रामलला मंदिर के ध्वजारोहण अनुष्ठान से पूर्व मंदिर परिसर में सप्त मंदिरों के दर्शन कर आशीर्वाद लेने का सौभाग्य भी मिला। महर्षि वशिष्ठ, महर्षि विश्वामित्र, महर्षि अगस्त्य, महर्षि वाल्मीकि, देवी अहिल्या, निषादराज एवं माता शबरी के सप्त मंदिरों से वह बोध एवं भक्ति… pic.twitter.com/SkyS8BmYXD
— Narendra Modi (@narendramodi) November 25, 2025
सप्त मंदिरों के सभी सात ऋषियों एवं महा भागवतों की उपस्थिति से ही रामचरित पूर्ण होता है। महर्षि वशिष्ठ एवं महर्षि विश्वामित्र ने प्रभु रामलला के विद्याध्ययन की लीला पूरी कराई। महर्षि अगस्त्य से वन गमन के समय ज्ञान चर्चाएं हुईं एवं राक्षसी आतंक के विनाश का मार्ग प्रशस्त हुआ। आदिकवि… pic.twitter.com/m1Fl5WwBQ4
— Narendra Modi (@narendramodi) November 25, 2025
Today, before the Dharma Dhwajarohan Utsav at the Shri Ram Janmabhoomi Mandir in Ayodhya, I was blessed with the opportunity to pray and seek blessings at the Sapt Mandir complex within the temple premises. pic.twitter.com/9lZ1cdXlgw
— Narendra Modi (@narendramodi) November 25, 2025
These seven sacred shrines, dedicated to Maharishi Vashishtha, Maharishi Vishwamitra, Maharishi Agastya, Maharishi Valmiki, Devi Ahalya, Nishadraj and Mata Shabari offer us both wisdom and devotion. It is this divine grace that helps us become worthy of following the ideals of… pic.twitter.com/eXuQ8sb9K9
— Narendra Modi (@narendramodi) November 25, 2025
अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के… pic.twitter.com/1uwYN2NXHW
— Narendra Modi (@narendramodi) November 25, 2025
To witness the Dharma Dhwajarohan Utsav at Shri Ram Janmabhoomi Mandir is a moment crores of people in India and the world have waited for. History has been made in Ayodhya and this inspires us even more to walk the path shown by Prabhu Shri Ram. pic.twitter.com/3K9j6CQS68
— Narendra Modi (@narendramodi) November 25, 2025
आज अयोध्या में माता अन्नपूर्णा मंदिर में पूजा-अर्चना का सौभाग्य प्राप्त हुआ। देवी मां से समस्त देशवासियों के उत्तम स्वास्थ्य और समृद्धि की कामना की। माता अन्नपूर्णा अन्न, आनंद और अभय की अधिष्ठात्री देवी हैं। मेरी प्रार्थना है कि उनका आशीर्वाद, विकसित भारत के हर प्रयास को यश और… pic.twitter.com/11Q1ofjRE7
— Narendra Modi (@narendramodi) November 25, 2025
अलौकिक श्री राम जन्मभूमि मंदिर में श्री राम परिवार के दर्शन का सुअवसर मिला। यह क्षण श्रद्धा और भक्ति से भावविभोर कर गया। प्रभु श्री राम, माता जानकी, शेषावतार लक्ष्मण जी और सकल परिवार का दिव्य ये स्वरूप, भारत की चेतना की साक्षात प्रतिमूर्ति सा है। ये असंख्य रामभक्तों की तपस्या का… pic.twitter.com/HV2TKciM04
— Narendra Modi (@narendramodi) November 25, 2025
अयोध्या की पावन भूमि पर दिव्य-भव्य श्री राम जन्मभूमि मंदिर में श्री राम लला के दर्शन-पूजन का अलौकिक क्षण मन को अद्भुत आनंद से भर गया। रामलला की ये बाल प्रतिमा, भारत की चेतना का जागृत स्वरूप है। हर बार रामलला का ये दिव्यतम विग्रह, मुझे एक असीम ऊर्जा देने का माध्यम बनता है। ये… pic.twitter.com/AUj3mHdfdT
— Narendra Modi (@narendramodi) November 25, 2025
श्री राम लला मंदिर के गर्भगृह की अनंत ऊर्जा और उनका दिव्य प्रताप धर्म ध्वजा के रूप में दिव्यतम-भव्यतम श्री राम जन्मभूमि मंदिर में प्रतिष्ठापित हुआ है। ये धर्म ध्वजा केवल एक ध्वज नहीं, बल्कि भारतीय सभ्यता के पुनर्जागरण का प्रतीक है। pic.twitter.com/MO4YMod4Su
— Narendra Modi (@narendramodi) November 25, 2025
मुझे बहुत खुशी है कि राम मंदिर का दिव्य प्रांगण भारत के सामूहिक सामर्थ्य की चेतना स्थली बन रहा है। हर देशवासी से मेरा आग्रह है कि वे यहां सप्तमंदिर के दर्शन अवश्य करें, जो हमारी आस्था के साथ-साथ मित्रता, कर्तव्य और सामाजिक सद्भाव के मूल्यों को दर्शाता है। pic.twitter.com/gTio9Vsf7o
— Narendra Modi (@narendramodi) November 25, 2025
राम एक मूल्य हैं, एक मर्यादा हैं, एक दिशा हैं। भारत को 2047 तक विकसित और समाज को सामर्थ्यवान बनाने के लिए हमें अपने भीतर के राम की प्राण-प्रतिष्ठा करनी होगी। pic.twitter.com/OCof5lUyx6
— Narendra Modi (@narendramodi) November 25, 2025
मैं इसलिए कहता हूं कि हमारे देश को आगे बढ़ना है तो हमें अपनी विरासत पर गर्व करना होगा… pic.twitter.com/ZzQsmZ0pSU
— Narendra Modi (@narendramodi) November 25, 2025
भारत के हर घर में, हर भारतीय के मन में और भारतवर्ष के हर कण में राम हैं। लेकिन गुलामी की मानसिकता इतनी हावी हो गई कि प्रभु राम को भी काल्पनिक घोषित किया जाने लगा। pic.twitter.com/x8uEZ37r5N
— Narendra Modi (@narendramodi) November 25, 2025
हमें वैसा भारत बनाना है, जो रामराज्य से प्रेरित हो। ये तभी संभव है, जब स्वयंहित से पहले देशहित हो और राष्ट्रहित सर्वोपरि हो। pic.twitter.com/lVGgOWWJ0A
— Narendra Modi (@narendramodi) November 25, 2025