પીએમઇન્ડિયા
આદરણીય રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીજી, કેન્દ્રીય સરકારમાં મારા સહયોગી શ્રી પ્રતાપરાવ જાધવજી, ડાયસ પર ઉપસ્થિત અન્ય તમામ વિશિષ્ટ મહાનુભાવો, અહીં કોલકાતામાં એકત્રિત થયેલા તમામ સહભાગીઓ, સમગ્ર ભારત અને વિશ્વભરમાંથી આ યોગ ઉત્સવમાં જોડાઈ રહેલા દરેક વ્યક્તિ અને મારા વહાલા દેશવાસીઓ, આપ સૌને મારા નમસ્કાર
21 જૂન એ એવો દિવસ છે જ્યારે પૃથ્વીના કેટલાક ભાગોમાં, દિવસનો સમયગાળો સૌથી લાંબો હોય છે. અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કારણે, 21 જૂન એ વિશ્વની સૌથી મોટી સામૂહિક ઉજવણીનો દિવસ પણ બની ગયો છે. વિશ્વના વિવિધ ખૂણેથી યોગની અદભુત તસવીરો આવી રહી છે. ભારતમાં, હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધી, પૂર્વમાં ઉત્તર–પૂર્વ અને બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, સમગ્ર દેશ યોગની ઊર્જા અને ચેતનાથી ભરેલો દેખાય છે. આખો દેશ, આખી દુનિયા, જોડાયેલી દેખાય છે – અને આ જ યોગની સાચી શક્તિ છે. યોગ દરેકને એક કરે છે, યોગ દરેકને સાથે લાવે છે. આ અવસરે, હું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સમગ્ર વિશ્વને, તમામ માનવતાને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
મિત્રો,
આજે યોગ દિવસ પર, હું કોલકાતાના લોકોની અહીં, ખાસ કરીને બંગાળમાં, જે સ્વચ્છતાના યોગનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના માટે પ્રશંસા કરવા માંગુ છું. આ એક અદ્ભુત પહેલ છે – અહીં ‘સ્વચ્છતા સે સ્વાગત‘ પહેલ માટે જે સતત પ્રયાસો અને નાગરિક ફરજો નિભાવવામાં આવી છે, તે આપણા તમામ દેશવાસીઓ માટે એક મોટી પ્રેરણા બની ગઈ છે.
મિત્રો,
યોગ દિવસના અવસરે બંગાળમાં હોવું એ ખરેખર ખાસ છે. બંગાળની આ પવિત્ર ભૂમિ, જ્યાં ભગવાન રામકૃષ્ણ પરમહંસ જેવા સંતોનો જન્મ થયો હતો, જ્યાં સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને યોગની ઓળખ કરાવી હતી, જ્યાં મહર્ષિ અરવિંદ જેવા મહાન યોગીઓનો જન્મ થયો હતો, જ્યાં લાહિડી મહાશયે યોગ પરંપરાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી હતી – આ ધરતી પર સામૂહિક યોગનો અનુભવ કરવો એ એક અનન્ય આધ્યાત્મિક અનુભૂતિ આપે છે. આ ભૂમિ પર જન્મેલા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે માણસની ઓળખ અલગ રહેવામાં નથી, પરંતુ તેની આસપાસની દુનિયા સાથે જોડાવામાં છે. આ જોડાણ એ જ યોગનો સાર છે. મહર્ષિ અરવિંદે પણ કહ્યું હતું – આપણું સમગ્ર જીવન યોગ છે, ભલે આપણે તેનાથી વાકેફ હોઈએ કે ન હોઈએ. જ્યારે યોગ આપણા સ્વભાવનો એક ભાગ બની જાય છે, ત્યારે તે માનવ એકતાનો પાયો બની જાય છે.
મિત્રો,
યોગ એ માત્ર શારીરિક વ્યાયામનું સાધન નથી. યોગ કોઈ એક વય જૂથ પૂરતો મર્યાદિત નથી. ભારતમાં આપણે જાણીએ છીએ અને જોયું છે કે યોગ એ માનવ જીવનમાં એક પ્રકાશ છે, ચેતના અને ઊર્જા સાથેનું મિલન છે. એટલા માટે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘Yoga for Healthy Ageing’ (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) તરીકે પસંદ કરવામાં આવી છે. ઉંમર વધવા છતાં પણ આપણે સ્વસ્થ, ઊર્જાવાન અને સક્રિય રહી શકીએ છીએ – યોગ આપણને આના માટેનો માર્ગ બતાવે છે.
મિત્રો,
જ્યારે આપણે “Yoga for Healthy Aging” ની વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ થાય છે કે આપણે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી શકીએ છીએ કે ઉંમર માનવ ક્ષમતાને ઓછી ન કરે. યોગ માનવ જીવનને સતત વિકાસની આકાંક્ષા રાખવામાં મદદ કરી શકે છે. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે 20 વર્ષની ઉંમરે હતા તેના કરતાં 40 વર્ષની ઉંમરે વધુ ફ્લેક્સિબલ (લવચીક) હોઈએ. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે 30 વર્ષની ઉંમરે હતા તેના કરતાં 50 વર્ષની ઉંમરે વધુ ઊર્જાવાન હોઈએ. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે 50 વર્ષની ઉંમરે હતા તેના કરતાં 70 વર્ષની ઉંમરે લાઈફસ્ટાઈલ (જીવનશૈલી) સંબંધિત રોગો સામે વધુ પ્રતિરોધક હોઈએ. આ તે જગ્યા છે જ્યાં યોગ આપણને મદદ કરી શકે છે. તે આપણને આપણા શરીરને ફ્લેક્સિબલ બનાવવા માટે ટ્યુન કરવામાં મદદ કરે છે. તે આપણી ઊર્જાના સ્તરને ઉચ્ચ રાખે છે, તે આપણને શાંત તણાવમુક્ત જીવન જાળવવામાં પણ મદદ કરે છે અને જીવનશૈલી સંબંધિત રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. તદુપરાંત, નિયમિત અભ્યાસ સાથે, યોગ આપણને આપણા પોતાના શરીર અને મનના આજીવન શીખનારા બનવાનું શીખવે છે. આપણે આપણા વિશે જેટલું વધુ જાણીશું, તેટલું વધુ સારી રીતે આપણે આપણી જાતને મેનેજ (સંચાલિત) કરી શકીશું. એટલા માટે, સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. આ થીમને માત્ર વૃદ્ધો માટે જ નહીં, પરંતુ તમામ ઉંમરના લોકો માટે એક થીમ તરીકે જોવી જોઈએ.
મિત્રો,
ગીતામાં ભગવાન કૃષ્ણે યોગ વિશે વાત કરી છે: “युक्त आहार विहारस्य, युक्त चेष्टस्य कर्मसु। युक्त स्वप्न अव–बोधस्य, योगो भवति दुःखहा॥ આનો અર્થ એ થાય છે કે સંતુલિત આહાર અને મનોરંજન દ્વારા, સંતુલિત કાર્યો અને ફરજો દ્વારા, સંતુલિત ઊંઘ અને જાગરણ દ્વારા, યોગ એ દુઃખનો નાશ કરનાર બને છે. સંતુલન એ યોગનો પાયો છે. સંતુલન એ આપણા જીવનનો પણ પાયો છે. છતાં, આધુનિક સમયમાં, મોટાભાગના લોકો જીવનમાં અસંતુલન સામે સંઘર્ષ કરે છે. યોગ આપણને સંતુલિત રીતે જીવવાની કળા શીખવે છે. યોગ આપણને શું કરવું અને શું ન કરવું તે દર્શાવે છે. અને જ્યારે આપણે આપણા શરીરને યોગ્ય રીતે માર્ગદર્શન આપવાનું શીખી લઈએ છીએ, ત્યારે સ્વાસ્થ્ય આપણી કુદરતી સ્થિતિ બની જાય છે.
મિત્રો,
યોગ માત્ર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરતો. યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ બતાવે છે. એટલા માટે યોગમાં કહેવાયું છે – “યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ” – એટલે કે, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની જાગૃતિ. આ જાગૃતિ આપણા જીવનમાં શાંતિનો સ્ત્રોત બને છે, અને તે વિશ્વ શાંતિનો માર્ગ પણ ખોલે છે. એટલા માટે યોગ આજે માત્ર આપણી અંગત જીવનશૈલી માટે જ જરૂરી નથી, પરંતુ તે વિશ્વના સારા ભવિષ્ય માટે પણ એક આવશ્યકતા છે.
મિત્રો,
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કરોડો લોકો યોગ સાથે જોડાય છે. પરંતુ આજનો દિવસ આપણને આપણા સહિયારા સંકલ્પને નવેસરથી વહેતો કરવાનો અવસર આપે છે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે યોગ માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત નહીં રહે, યોગ માત્ર એક કાર્યક્રમ પૂરતો સીમિત નહીં રહે. આપણે યોગને આપણા જીવનનો એક ભાગ, આપણા પરિવારોનો એક ભાગ અને ભાવિ પેઢીઓનો એક ભાગ બનાવીશું.
મિત્રો,
આ દિશામાં, આ વર્ષે “Yoga 365” પહેલને પણ આગળ વધારવામાં આવી છે. આ હેઠળ, 100-દિવસીય ઓનલાઈન યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભૂતપૂર્વ જનભાગીદારી જોવા મળી હતી. તેમાં 130 દેશોના 3 મિલિયનથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
મિત્રો,
જ્યારે સમાજ સ્વસ્થ હોય છે, ત્યારે રાષ્ટ્ર વધુ સક્ષમ, વધુ સમૃદ્ધ અને વધુ આત્મવિશ્વાસુ બને છે. હું તમારા બધા માટે ઈચ્છું છું: “સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ.” આ સાથે, હું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આપ સૌને ફરી એકવાર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
From physical wellness to inner peace, yoga enriches every aspect of life. Delighted to join this year’s celebrations in Kolkata. https://t.co/75UZECw8JR
— Narendra Modi (@narendramodi) June 21, 2026
Yoga connects us all and brings us together. pic.twitter.com/ghpAAVOmxE
— PMO India (@PMOIndia) June 21, 2026
When yoga becomes a way of life, it becomes the foundation of human unity. pic.twitter.com/FLxB961hWN
— PMO India (@PMOIndia) June 21, 2026
Yoga helps us tune our bodies to be flexible.
— PMO India (@PMOIndia) June 21, 2026
It keeps our energy levels high. pic.twitter.com/zQxvJeJwv8
Yoga teaches us the art of living a balanced life. pic.twitter.com/gcfmQX9dmM
— PMO India (@PMOIndia) June 21, 2026
Yoga shows the path from mental well-being to physical well-being. pic.twitter.com/O81tKmKfHi
— PMO India (@PMOIndia) June 21, 2026