Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

PM 26 સપ્ટેમ્બરે બિહારમાં મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનું લોકાર્પણ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે, જે કુલ 7,500 કરોડ રૂપિયા થશે.

બિહાર સરકારની પહેલ, યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે. તે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને નાણાકીય સહાય પૂરી પાડશે, જેનાથી તેઓ તેમની પસંદગીની રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકશે, જેનાથી આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સશક્તીકરણને પ્રોત્સાહન મળશે.

યોજના હેઠળ, દરેક લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂ. 10000ની પ્રારંભિક ગ્રાન્ટ મળશે, જેના પછીના તબક્કામાં રૂ. 2 લાખ સુધીની વધારાની નાણાકીય સહાયની શક્યતા છે. સહાયનો ઉપયોગ લાભાર્થીની પસંદગીના ક્ષેત્રોમાં થઈ શકે છે જેમાં કૃષિ, પશુપાલન, હસ્તકલા, ટેલરિંગ, વણાટ અને અન્ય નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

યોજના સમુદાય સંચાલિત હશે જેમાં, નાણાકીય સહાયની સાથે, સ્વસહાય જૂથો સાથે જોડાયેલા સમુદાય સંસાધન વ્યક્તિઓ તેમના પ્રયાસોને ટેકો આપવા માટે તાલીમ આપશે. તેમના ઉત્પાદનના વેચાણને ટેકો આપવા માટે, રાજ્યમાં ગ્રામીણ હાટબજારોનો વધુ વિકાસ કરવામાં આવશે.

મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના પ્રારંભમાં રાજ્યના અનેક વહીવટી સ્તરોજિલ્લા, બ્લોક, ક્લસ્ટર અને ગામપર રાજ્યવ્યાપી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં 1 કરોડથી વધુ મહિલાઓ કાર્યક્રમની સાક્ષી બનશે.

SM/GP/JD