Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ જીવન સુધારવાનું એક શક્તિશાળી સાધન પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે એક અમૂલ્ય સંપત્તિ છે જેના દ્વારા દેશના યુવાનો દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને રાષ્ટ્રનું ગૌરવ વધારી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

श्रियः प्रदुग्धे विपदो रुणद्धि

यशांसि सूते मलिनं प्रमार्ष्टि

संस्कारशौचेन परं पुनीते

शुद्धा हि बुद्धिः किल कामधेनुः॥”

આ સુભાષિત સંદેશ આપે છે કે શિક્ષિત, સુસંસ્કૃત અને શુદ્ધ મન મુશ્કેલીઓને દૂર કરે છે અને વ્યક્તિના જીવનમાં સફળતા, સન્માન, શાંતિ અને પ્રગતિ લાવે છે. ખરેખર, એક પ્રબુદ્ધ મનને “કામધેનુ”ની સમકક્ષ માનવામાં આવે છે, જે બધી ઇચ્છાઓ પૂર્ણ કરવા સક્ષમ છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“શિક્ષણ એ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ વ્યક્તિના જીવનને ઉન્નત બનાવવાનું એક શક્તિશાળી સાધન પણ છે. તે એક અમૂલ્ય સંપત્તિ છે જેના દ્વારા આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.”

श्रियः प्रदुग्धे विपदो रुणद्धि

यशांसि सूते मलिनं प्रमार्ष्टि

संस्कारशौचेन परं पुनीते

शुद्धा हि बुद्धिः किल कामधेनुः॥”

 

SM/DK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com