Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીનો આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે માનનીય લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીનો આભાર માન્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે કરોડો દેશવાસીઓની પ્રતિભા અને સખત પરિશ્રમના બળ પર દેશ આજે વિકાસના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે, અને આપણે ભારતને વધુ શક્તિશાળી, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે કટિબદ્ધ છીએ.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“સ્નેહપૂર્ણ સંદેશ માટે આપનો હૃદયપૂર્વક આભાર, માનનીય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજી. આપના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓ મારા માટે અત્યંત મૂલ્યવાન છે.

કરોડો દેશવાસીઓની પ્રતિભા અને પરિશ્રમના બળ પર દેશ આજે વિકાસના નિત-નવા માપદંડો કંડારી રહ્યો છે. તેમના સહયોગ અને આશીર્વાદથી આપણે સંપૂર્ણ નિષ્ઠા સાથે ભારતને વધુ સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.

@ombirlakota”