Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીનો આભાર વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની આત્મીય અને વિચારશીલ શુભેચ્છાઓ માટે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીનો આભાર માન્યો છે. “આપણે દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, એ સુનિશ્ચિત કરીને કે વિકાસના ફળ દેશના ખૂણે-ખૂણે પહોંચે અને વિકસિત ભારત નિર્માણના આપણા સામૂહિક સંકલ્પને પૂર્ણ કરે”, શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

“તમારી આત્મીય અને વિચારશીલ શુભેચ્છાઓ માટે આભાર, ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજી.

આપણે દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, એ સુનિશ્ચિત કરીને કે વિકાસના ફળ દેશના ખૂણે-ખૂણે પહોંચે અને વિકસિત ભારત નિર્માણના આપણા સામૂહિક સંકલ્પને પૂર્ણ કરે.

@CPR_VP”

SM/IJ/JD